ગુજરાત

gujarat

રાજસ્થાનના નવા મુખ્યપ્રધાન પદે આજે ભજનલાલ શર્માની શપથવિધિ, જાણો કોણ કોણ મહાનુભાવ આપશે હાજરી

By ETV Bharat Gujarati Team

Published : Dec 14, 2023, 11:57 AM IST

Updated : Dec 15, 2023, 7:16 AM IST

રાજસ્થાનના નવા મુખ્યમંત્રી તરીકે ભજનલાલ શર્મા આજે 15 ડિસેમ્બરે શપથ લેશે. આ શપથ ગ્રહણ કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે સામાન્ય જનતાને પણ સહભાગી થવા આહ્વાન કરવામાં આવ્યું છે. 'આણો અગ્રણી રાજસ્થાન'ના નામથી જાહેરાત દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભજનલાલ શર્માની તસવીરો સાથે આમંત્રણ મોકલવામાં આવા રહ્યાં છે.

રાજસ્થાનના નવા મુખ્યપ્રધાન પદે આજે ભજનલાલની શપથવિધિ
રાજસ્થાનના નવા મુખ્યપ્રધાન પદે આજે ભજનલાલની શપથવિધિ

જયપુર:રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023માં સ્પષ્ટ બહુમત હાંસલ કરીને ભાજપે સત્તા હસ્તાંતરણ કરી છે. ત્યારે આજે રાજસ્થાનના મુખ્યપ્રધાન પદે ભજનલાલ શર્માની શપથવિધિ થઈ રહી છે. રાજસ્થાનના નવા મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે. આજે 15મી ડિસેમ્બરે જયપુરમાં આ શપથ ગ્રહણ સમારોહ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય સચિવ ઉષા શર્માએ બુધવારે મોડી સાંજે કાર્યક્રમની તૈયારીઓને લઈને બેઠક યોજી હતી. આ દરમિયાન ઉચ્ચ અધિકારીઓને સુરક્ષા, ટ્રાફિક, મેડિકલ, સ્વચ્છતા વ્યવસ્થા અંગે સૂચનાઓ આપવામાં આવી હતી. મુખ્ય સચિવે ટ્રાફિક સુવ્યવસ્થિત રાખવા અને સામાન્ય જનજીવન પ્રભાવિત ન થાય તે સુનિશ્ચિત કરવા પણ સૂચના આપી છે.

વહિવટીતંત્રની બેઠક: બેઠક દરમિયાન અધિકારીઓએ મુખ્ય સચિવને પોતપોતાના વિભાગોને લગતી તૈયારીઓ વિશે માહિતી આપી હતી. સીએસે વડાપ્રધાનની મુલાકાત દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થા કરવા સૂચના આપી હતી. તેમણે વડાપ્રધાનના પ્રવાસ રૂટ પ્લાન, ઈમરજન્સી મેડિકલ વ્યવસ્થા, ફાયર ફાઈટિંગ સિસ્ટમ અંગે પણ સૂચનાઓ આપી હતી. મુખ્ય સચિવે તમામ સંબંધિત અધિકારીઓને તેમની જવાબદારીઓને સંપૂર્ણ ગંભીરતાથી નિભાવવા અને પરસ્પર સંકલન સાથે તમામ યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી.

આ હસ્તીઓ થશે સામેલ:ભજનલાલ શર્માના શપથ ગ્રહણ સમારોહમાં 6 ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, 1 રાજ્યના ડેપ્યુટી સીએમ, 9 કેન્દ્રીય મંત્રીઓ હાજરી આપશે. સમારોહમાં આવનારા મુખ્યમંત્રીઓમાં યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, આસામના મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા, ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત, હરિયાણાના મુખ્યપ્રધાન મનોહર લાલ અને મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન મોહન યાદવ તેમજ છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈનો સમાવેશ થાય છે.

મહાનુભાવોની ઉપસ્થિતિ: આ ઉપરાંત મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ શપથ ગ્રહણ સમારોહ કાર્યક્રમમાં ભાગ લેશે. આ ભવ્ય કાર્યક્રમમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ, ગજેન્દ્ર સિંહ શેખાવત, અર્જુન મેઘવાલ, નીતિન ગડકરી, મનસુખ માંડવિયા, રામદાસ આઠવલે, કૈલાશ ચૌધરી, બિશેશ્વર તૂડ્ડુ સહિત પ્રદેશ પ્રભારી અરુણ સિંહ ભાગ લેશે.

રામનિવાસ બાગમાં 2 દિવસ સુધી નો એન્ટ્રીઃઅશોક ગેહલોત અને સચિન પાયલટના શપથ ગ્રહણ સમારોહ બાદ હવે રાજ્યના નવા મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ પણ આલ્બર્ટ હોલમાં યોજાશે. રામનિવાસ બાગમાં આ બે દિવસ દરમિયાન તૈયારીઓને કારણે નો એન્ટ્રી રહેશે. નવા મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓને કારણે ગુરુવારે સવારે 7 વાગ્યાથી શુક્રવારે બપોરે 3 વાગ્યા સુધી રામ નિવાસ બાગની અંદરની અવરૃજવર બંધ રહેશે.

  1. CM વિષ્ણુદેવ સાંઈએ સંભાળ્યો મંત્રાલયનો કાર્યભાર, આવતીકાલે સાંઈ કેબિનેટની બેઠક મળશે, મોદીની ગેરંટી પર ફોકસ રહેશે
  2. PM મોદી 25 ડિસેમ્બરે અયોધ્યા એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે, દિલ્હી અને અમદાવાદ માટે ફ્લાઇટ્સ ઉપલબ્ધ થશે
Last Updated : Dec 15, 2023, 7:16 AM IST

ABOUT THE AUTHOR

...view details