ગુજરાત

gujarat

Ashok Gehlot: રાજસ્થાનના CM અશોક ગેહલોતે મોદીને પૂછ્યું, ગેરંટી દેવામાં દેશ કેવી રીતે નાદાર થઈ શકે?

By

Published : Jun 2, 2023, 12:58 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ સરકાર દ્વારા આપવામાં આવેલી ગેરંટી પર પ્રશ્નો ઉઠાવ્યા ત્યારે મુખ્યપ્રધાન અશોક ગેહલોતે ગુરુવારે વળતો પ્રહાર કર્યો હતો. રૂપિયા 1378 કરોડના વિકાસ કામોના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન સીએમ ગેહલોતે પીએમ મોદીના નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે.

Ashok Gehlot: રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે પીએમ મોદી પર પ્રહારો કર્યા
Ashok Gehlot: રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે પીએમ મોદી પર પ્રહારો કર્યા

જયપુરઃરાજ્યમાં ચૂંટણીના વર્ષમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. બુધવારે અજમેરની સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યની કોંગ્રેસ સરકાર પર નિશાન સાધ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી ગેરંટી પર સવાલ ઉઠાવ્યા હતા. પીએમ મોદીના આ સવાલ પર મુખ્યપ્રધાન અશોક ગેહલોતે વળતો જવાબ આપ્યો. સીએમ ગેહલોતે કહ્યું કે, ગેરંટી આપવામાં આવતા દેશ કેવી રીતે નાદાર થઈ શકે છે.

લોક કલ્યાણની યોજનાઓ:વડાપ્રધાને આ વિશે જણાવવું જોઈએ? ગેહલોતે કહ્યું કે, ભારત સરકાર વિના રાજ્ય સરકાર લોન લઈ શકે નહીં અને રાજ્ય અને દેશના વિકાસ માટે લોન લેવી એ ખરાબ બાબત નથી. કેન્દ્રની મોદી સરકારે પોતાના 9 વર્ષના કાર્યકાળમાં 1 લાખ કરોડની લોન લીધી છે. આ આંકડાઓ પણ જોવા જોઈએ. સામાજિક સુરક્ષા રેવડિયા નથી અશોક ગેહલોતે કહ્યું કે અમે લોક કલ્યાણની યોજનાઓ પર કામ કરી રહ્યા છીએ.

લાંબા ગાળાની યોજના: મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવેલી જાહેરાતો પર કટાક્ષ કરતા સીએમ ગેહલોતે કહ્યું કે મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શું જાહેરાત કરી છે તે ખબર નથી, પરંતુ અમારી સરકાર દ્વારા કરવામાં આવેલી યોજનાઓ કાયમી બની રહી છે. અમે ચિરંજીવી યોજનામાં 25 લાખનો વીમો આપ્યો છે. આ એક કાયમી યોજના છે, જે રીતે અમે આરોગ્ય અધિકાર ખરડો પસાર કર્યો, તે કાયમી કાયદો બની ગયો. તે સમજની બહાર છે કે અમે જે ડિસ્કાઉન્ટ આપી રહ્યા છીએ. તે ચૂંટણી સમય કે પાર્ટ ટાઈમ ડિસ્કાઉન્ટ નથી. આ લાંબા ગાળાની યોજના છે, લોકોને તેનાથી રાહત મળશે.

Rajasthan CM Ashok Gehlot attack PM Modi

ભારત સરકારની પરવાનગી:ગેહલોતે કહ્યું કે, વિકાસના કામ માટે લોન લેવી એ ખરાબ બાબત નથી. રાજ્ય સરકાર ભારત સરકારની પરવાનગી વિના 1 લાખની લોન લઈ શકતી નથી. જ્યારે તેમની પરવાનગીથી લોન લેવામાં આવી હતી. ત્યારે તે લોન વિકાસના કામ માટે ખર્ચવામાં આવી હતી. ગેહલોતે કહ્યું કે, જ્યારે રાજકીય ચૂંટણી આવે છે ત્યારે આવા ભાષણો થતા રહેશે, પરંતુ અમે માનીએ છીએ કે, અમારું નાણાકીય વ્યવસ્થાપન ઉત્તમ છે, તેના આધારે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે અને રાજસ્થાન સર્વાંગી વિકાસ કરી રહ્યું છે.

  1. અશોક ગેહલોત માટે આમ આદમી પાર્ટી કશું નથી, ભાજપ માટે તમતમતી પ્રતિક્રિયાઓ આપી
  2. ક્લીન ચિટ બાદ CM અશોક ગેહલોત આજે દિલ્હી જશે, સોનિયા ગાંધીને મળ્યા બાદ લેવાશે નિર્ણય
  3. CM ગહેલોતેના ભાજપ પર પ્રહાર, મોઢવાડિયાએ રીબીન કાપી જનતા માટે હોસ્પિટલ મુક્કી ખુલ્લી

ABOUT THE AUTHOR

...view details