ગુજરાત

gujarat

Vande Bharat Train: વડાપ્રધાને આઠમી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી, આંધ્ર-તેલંગણા વચ્ચે દોડશે

By

Published : Jan 15, 2023, 11:16 AM IST

Updated : Jan 15, 2023, 11:55 AM IST

PM Modi: વડાપ્રધાને આઠમી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી, આંધ્ર-તેલંગણા વચ્ચે દોડશે
PM Modi: વડાપ્રધાને આઠમી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી, આંધ્ર-તેલંગણા વચ્ચે દોડશે

ભારતમાં વંદે ભારત ટ્રેનનું નેટવર્ક વધી રહ્યું છે અને તેમાં ઉમેરો કરીને દેશની આઠમી વંદે ભારત એક્સપ્રેસ વધુ બે રાજ્યોને જોડશે. 15 જાન્યુઆરીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિકંદરાબાદ અને વિશાખાપટ્ટનમ વચ્ચેના નવા રૂટ પર સેમી-હાઈ-સ્પીડ ટ્રેન શરૂ કરાવી દીધી હતી. આ વિસ્તારની પ્રથમ અને દક્ષિણ ભારતમાં બીજી ટ્રેન બનશે.

નવી દિલ્હીઃવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મકર સંક્રાંતિના અવસર પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ કાર્યક્રમ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાયો હતો. વંદે ભારત એક્સપ્રેસ સિકંદરાબાદ અને વિશાખાપટ્ટનમ વચ્ચે દોડશે. આ સાથે દેશમાં વંદે ભારત ટ્રેનોની સંખ્યા વધીને 8 થઈ ગઈ છે.

ભારત ધાર્મિક રીતે પણ મજબૂત બનશે:આ દરમિયાન પીએમ મોદીએ દેશવાસીઓને મકરસંક્રાંતિ અને પોંગલની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન તેલંગાણા-આંધ્ર વચ્ચેના વિરાસતને જોડવાનું કામ કરશે. તે આપણી શ્રદ્ધાને જોડવાનું પણ કામ કરે છે. આસ્થા અને પર્યટન સાથે જોડાયેલા સ્થળો ટ્રેનના રૂટ પર આવે છે, તેથી ભારત ધાર્મિક રીતે પણ મજબૂત બનશે.

ટ્રેન નવા ભારતના સંકલ્પોનું પ્રતિક: પીએમએ કહ્યું કે આ ટ્રેન નવા ભારતના સંકલ્પોનું પ્રતિક છે. સિકંદરાબાદ અને વિશાખાપટ્ટનમ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ પ્રવાસનને વેગ આપશે. આજે ભારતીય રેલ્વેમાં મુસાફરી પહેલા કરતા વધુ આનંદપ્રદ બની રહી છે. ભાજપ દ્વારા છેલ્લા 7 થી 8 વર્ષમાં શરૂ કરાયેલા કામો રેલવેને સંપૂર્ણ રીતે નવજીવન આપી રહ્યા છે. આ કાર્યક્રમમાં રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય પ્રવાસન મંત્રી જી કિશન રેડ્ડી અને તેલંગાણાના ગવર્નર ટી સુંદરરાજન સિકંદરાબાદ સ્ટેશન પર હાજર હતા. રેલ્વેએ જણાવ્યું હતું કે તેની પાસે 14 એસી ચેર કાર અને બે એક્ઝિક્યુટિવ એસી ચેર કોચ સાથે 1,128 મુસાફરોની બેઠક ક્ષમતા છે.

વંદે ભારતનો રૂટ:રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર, વિશાખાપટ્ટનમ-સિકંદરાબાદ એક્સપ્રેસ (20833) સવારે 5.45 વાગ્યે વિશાખાપટ્ટનમથી ઉપડશે અને બપોરે 2.15 વાગ્યે સિકંદરાબાદ પહોંચશે. જ્યારે સિકંદરાબાદ-વિશાખાપટ્ટનમ ટ્રેન (20834) સિકંદરાબાદ બપોરે 3 વાગ્યે ઉપડશે અને 11.30 વાગ્યે વિશાખાપટ્ટનમ પહોંચશે.

આ પણ વાંચોLok Sabha Elections 2024: મમતા બેનર્જી આગામી પીએમ બનવાની ક્ષમતા ધરાવે છે - અમર્ત્ય સેન

'રેલવે અને રાજનીતિથી ઉપર દેશનો વિકાસ':પીએમ મોદીએ આ ટ્રેન વિશે કહ્યું કે દેશના એન્જિનિયર્સ, ડિઝાઇનર્સ ટેકનિશિયનોએ તેને બનાવી છે. આ ટ્રેનમાં અવાજનું પ્રમાણ વિમાન કરતા 100 ગણું ઓછું છે, તે એન્જિનિયરો માટે ગર્વની વાત છે. રેલવે અને દેશનો વિકાસ રાજકારણથી ઉપર છે. જ્યાં પણ કેન્દ્રની જરૂર પડશે ત્યાં કેન્દ્ર ભંડોળ આપશે.

આ પણ વાંચોCBI raided Manish Sisodias Office: દિલ્હી સચિવાલયમાં મનીષ સિસોદિયાની ઓફિસ પર CBI ત્રાટકી

ભારતીય સેનાની બહાદુરી અનોખી: પીએમ મોદીએ કહ્યું કે આજે આર્મી ડે પણ છે. દરેક ભારતીયને સેના પર ગર્વ છે. રાષ્ટ્ર અને તેની સરહદોની સુરક્ષામાં ભારતીય સેનાનું યોગદાન, તેની બહાદુરી અજોડ છે. ભારત તેના સપના અને આકાંક્ષાઓ માટે હંમેશા આગળ રહે છે. આ સાથે આજે આ તહેવારના માહોલમાં તેલંગાણા અને આંધ્રપ્રદેશને એક શાનદાર ભેટ મળી રહી છે.

Last Updated :Jan 15, 2023, 11:55 AM IST

ABOUT THE AUTHOR

...view details