ગુજરાત

gujarat

PM મોદીએ આયુષ્માન કાર્ડનું વિતરણ કર્યું

By

Published : Oct 17, 2022, 11:42 AM IST

Updated : Oct 17, 2022, 5:03 PM IST

PM નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતમાં એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-મા અમૃતમના લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું વિતરણ કર્યું હતું.(PM Modi to distribute PMJAY MA Yojana Ayushman cards)

PM મોદીએ આયુષ્માન કાર્ડનું વિતરણ કર્યું
PM મોદીએ આયુષ્માન કાર્ડનું વિતરણ કર્યું

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ગુજરાતમાં એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-મા અમૃતમ (PMJAY-MA) ના લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું વિતરણ કર્યું હતું(PM Modi to distribute PMJAY MA Yojana Ayushman cards). એક અધિકારીએ રવિવારે આ જાણકારી આપી હતી. એક સત્તાવાર રીલીઝ મુજબ, મોદી ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં આયોજિત આ કાર્યક્રમમાં સાંજે 4 વાગ્યે વીડિયો કોન્ફરન્સ દ્વારા હાજરી આપશે અને તેઓ ત્રણ લાભાર્થીઓ સાથે વાતચીત કરશે(Prime Minister Modi will attend the conference).

50 લાખથી વધું લાભીર્થીઓને લાભ મળશે આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે(CM will be present in distribution of Ayushyaman cards). ગુજરાતમાં PMJAY-MA યોજના હેઠળ 50 લાખથી વધુ લાભાર્થીઓને આયુષ્માન PVC કાર્ડનું વિતરણ કરવામાં આવશે. આ કાર્ડ પોલીવિનાઇલ ક્લોરાઇડ સામગ્રીથી બનેલું છે. કેન્દ્રની PMJAY યોજના, જે આર્થિક રીતે નબળા વર્ગોને આરોગ્ય સંભાળની સુવિધાઓ પૂરી પાડે છે, તેને 2019માં ગુજરાતની 'મુખ્યમંત્રી અમૃતમ (MA) અને મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય (MAV) આરોગ્ય યોજનાઓ સાથે મર્જ કરવામાં આવી હતી.

કેન્દ્રના નેતાઓ પણ રહેશે હાજર પરિણામ સ્વરૂપે, રાજ્યની યોજનાઓના તમામ લાભાર્થીઓ PMJAY-MA કાર્ડ મેળવવા માટે પાત્ર છે, એમ રિલીઝમાં જણાવાયું છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા આ કાર્યક્રમમાં ડિજિટલ માધ્યમથી ભાગ લેશે.

Last Updated : Oct 17, 2022, 5:03 PM IST

ABOUT THE AUTHOR

...view details