ગુજરાત

gujarat

Expansion of the Cabinet: મોદી પ્રધાનમંડળમાં સાત મહિલા સાંસદોને મળ્યુ સ્થાન

By

Published : Jul 8, 2021, 10:07 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) એ તેમના પ્રધાનમંડળના વિસ્તરણ (Expansion of the Cabinet) માં સાત મહિલા સાંસદોને સ્થાન આપ્યું છે. તેમના નામ દર્શના વિક્રમ જર્દોષ, મીનાક્ષી લેખી, અનુપ્રિયા પટેલ, શોભા કરંડલજે, ડો.ભારતી પ્રવીણ પવાર, અન્નપૂર્ણા દેવી અને પ્રતિમા ભૌમિક છે. ચાર મહિલા સાંસદ પહેલેથી જ મોદી મંત્રીમંડળમાં છે. જેમાં નિર્મલા સીતારમણ, સ્મૃતિ ઈરાની, સાધ્વી નિરંજન જ્યોતિ અને રેણુકા સિંહ શામેલ છે. મહિલા પ્રધાનોની કુલ સંખ્યા 11 થઈ ગઈ છે.

મોદી પ્રધાનમંડળમાં સાત મહિલા સાંસદોને મળ્યુ સ્થાન
મોદી પ્રધાનમંડળમાં સાત મહિલા સાંસદોને મળ્યુ સ્થાન

  • મોદી પ્રધાનમંડળમાં વધુ 7 મહિલાઓને મળ્યુ સ્થાન
  • પહેલાથી જ 4 મહિલાઓ મોદી પ્રધાનમંડળમાં હતા
  • હાલ મોદી પ્રધાનમંડળમાં 11 મહિલા પ્રધાનો

હૈદરાબાદ: કેન્દ્રીય પ્રધાનમંડળના વિસ્તરણ (Expansion of the Cabinet) માં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા બુધવારે 43 પ્રધાનોને પદ અને ગુપ્તતાના શપથ અપાયા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) એ તેમના પ્રધાનમંડળના વિસ્તરણમાં સાત મહિલા સાંસદોને સ્થાન આપ્યું છે. આમાં દર્શના વિક્રમ જર્દોષ, મીનાક્ષી લેખી, અનુપ્રિયા પટેલ, શોભા કરંડલજે, ડો.ભારતી પ્રવીણ પવાર, અન્નપૂર્ણા દેવી અને પ્રતિમા ભૂમિકના નામ શામેલ છે.

આ પહેલા ટીમ મોદી પાસે માત્ર 4 મહિલા પ્રધાનો હતા. જેમાં નિર્મલા સીતારમણ, સ્મૃતિ ઈરાની, સાધ્વી નિરંજન જ્યોતિ અને રેણુકા સિંહ શામેલ છે. 7 મહિલા પ્રધાનોના શપથ લીધા બાદ મોદી કેબિનેટમાં મહિલા પ્રધાનોની કુલ સંખ્યા 11 થઈ ગઈ છે.

  • દર્શના વિક્રમ જર્દોષ

ગુજરાતના સુરતનાં સાંસદ દર્શના વિક્રમ જરદોષ પણ વડાપ્રધાન મોદીની ટીમમાં બીજી મહિલા પ્રધાન છે. તેઓ વર્ષ 2009 થી સતત ત્રીજી વખત સાંસદ છે. આ સમય દરમિયાન તેમણે ઉદ્યોગથી લઈને રસાયણો, માહિતી તકનીક સહિતના અનેક મંત્રાલયોની સમિતિના સભ્ય તરીકે પણ કામ કર્યું છે. નોંધપાત્ર વાત એ છે કે, 2022 ના અંતમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાવાની છે.

1988 થી પાર્ટી સાથે સંકળાયેલા દર્શના વિક્રમ, ગુજરાત ભાજપ મહિલા મોરચાના મહામંત્રી તરીકે સભ્ય છે. આ પહેલા તે એક એક્ઝિક્યુટિવ સભ્ય, ઉપપ્રમુખ, જનરલ સેક્રેટરી અને સુરત ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ રહી ચૂક્યા છે. અર્થશાસ્ત્ર અને બેંકિંગમાં બી.કોમ.નો અભ્યાસ કર્યો છે.

  • ડૉ.ભારતી પ્રવીણ પવાર

ભારતી પ્રવીણ મહારાષ્ટ્રના ડિંડોરીથી લોકસભાના સાંસદ છે. તે અનુસૂચિત જનજાતિ સમુદાયમાંથી આવે છે. વ્યવસાયે ડૉક્ટર ભારતી પ્રવીણ પવારને ડિસેમ્બર 2019 માં સર્વશ્રેષ્ઠ મહિલા સંસદના પદકથી નવાજવામાં આવ્યા હતા.

તે 2012 થી 2019 દરમિયાન જિલ્લા પરિષદના સભ્ય હતા. ડૉ ભારતી પ્રવીણ પવારને વર્ષ 2019 ની લોકસભાની ચૂંટણીમાં ડિંડોરી લોકસભા બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. ભારતી પવાર પહેલીવાર સંસદ પહોંચ્યા, કૌશલ વિકાસ અને ઉદ્યમ મંત્રાલયની સલાહકાર સમિતિના સભ્ય પણ છે.

  • અનુપ્રિયા પટેલ

અનુપ્રિયા પટેલ અપના દળ પાર્ટીના પ્રમુખ છે. તે મિર્ઝાપુરના સાંસદ છે. યુપીમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અનુપ્રિયા પટેલને સ્થાન આપવામાં આવ્યું છે. તે પછાત વર્ગની છે અને યુપીમાં પછાત વર્ગોની નોંધપાત્ર વોટ બેંક છે. યુપીની મિર્ઝાપુર લોકસભા બેઠક પરથી તેઓ સતત બીજી વખત સાંસદ છે, તેઓ એક વખત ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે.

28 એપ્રિલ 1981 ના રોજ કાનપુરમાં જન્મેલા, અનુપ્રિયાએ મનોવિજ્ઞાનમાં પી.જી.ની ડીગ્રી મેળવી છે. અનુપ્રિયા જ્યારે તેની માતા કૃષ્ણા પટેલ સાથે પાર્ટીમાં ઝઘડો થયો ત્યારે તે ચર્ચામાં આવી હતી. આ પાર્ટીની સ્થાપના તેમના પિતા સોનેલાલ પટેલે કરી હતી.

  • મીનાક્ષી લેખી

મીનાક્ષી લેખી ૨૦૧૦ માં ભાજપમાં જોડાયા, દિલ્હી લોકસભા મત વિસ્તારથી 2014 પછી 2019માં પણ સંસદ પહોંચ્યા હતા. આ પહેલા તે ભાજપના મહિલા મોરચાના ઉપપ્રમુખ હતા. મીનાક્ષી લેખીએ પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તાની જવાબદારી પણ સંભાળી છે. તે વડાપ્રધાન મોદીની તરફેણમાં સોશિયલ મીડિયા પર સતત સક્રિય રહે છે.

2010 માં તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ. તે સમયે તે સ્વદેશી જાગરણ મંચ માટે કામ કરતી હતી. તે સમયે તત્કાલિન ભાજપ અધ્યક્ષ નીતિન ગડકરીએ તેમને પાર્ટીમાં જોડાવા આમંત્રણ આપ્યું હતું. તે ભાજપ મહિલા મોરચાની સભ્ય બની હતી. તે પછી પાર્ટીમાં તેમનું કદ સતત વધતું ગયું.

દિલ્હીની હિન્દુ કોલેજમાંથી વનસ્પતિશાસ્ત્રમાં બીએસસી કરનારી મીનાક્ષી લેખીએ પણ કાયદાનો અભ્યાસ કર્યો છે. આ પછી તેણે સુપ્રીમ કોર્ટ, દિલ્હી હાઈકોર્ટ અને દેશના વિવિધ અદાલતો, ટ્રિબ્યુનલ્સ અને મંચોમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી.

  • શોભા કરંડલાજે

શોભા કરંડલજે એક સામાજિક કાર્યકર્તા છે. તેણે મંગલોર યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્રમાં એમએની ડિગ્રી મેળવી છે. તે કર્ણાટક વિધાનસભા અને વિધાનસભાના સભ્ય રહી ચૂક્યા છે. રાજ્ય સરકારમાં તેમણે વીજળી મંત્રાલય અને ખાદ્ય અને પુરવઠા વિભાગની જવાબદારી સંભાળી છે.

2014 માં પહેલીવાર તે લોકસભાની સભ્ય બન્યા હતા. તે પછી 2019 માં પણ તે ફરીથી ચૂંટાયા હતા. તે કર્ણાટકના ઉદૂપી ચીકમાગલુરના સાંસદ છે. મૂળ તે દક્ષિણ કન્નડના પુત્તુર વિસ્તારની છે. તે અપરિણીત છે.

  • અન્નપૂર્ણા દેવી

અન્નપૂર્ણા દેવી ઝારખંડના કોડરમાથી સાંસદ છે અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ છે. 2019ની લોકસભાની ચૂંટણી પૂર્વે તે આરજેડી છોડીને ભાજપમાં જોડાઈ હતી. કોડરમાથી ચૂંટણી લડ્યા અને પ્રથમ વખત લોકસભા પહોંચ્યા. તેમણે ઝારખંડ વિકાસ મોરચાના ઉમેદવાર બાબુલાલ મરાંડીને 4.5 લાખ મતોથી હરાવ્યા હતા.

ચૂંટણીઓમાં વિજય બાદ તેમને ઝારખંડમાં પાર્ટીના ઉપપ્રમુખની જવાબદારી સોંપવામાં આવી હતી. બાદમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઉપરાંત હરિયાણાના સહ પ્રભારી પણ બનાવવામાં આવ્યા હતા. તેમના પતિ રમેશ પ્રસાદ યાદવ બિહારમાં પ્રધાન હતા. જેમના અવસાન પછી વર્ષ 1999 માં તેમણે વિધાનસભાની પેટા-ચૂંટણી લડી અને પહેલીવાર ધારાસભ્ય બન્યા. એક વર્ષ પછી યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં તે ફરીથી વિધાનસભામાં પહોંચી અને આ વખતે રાજ્ય સરકારમાં પ્રધાન બન્યા. 2005 અને 2009 માં પણ તે ચૂંટણી જીતી અને મંત્રી બની. 2014 ની વિધાનસભાની ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.

  • પ્રતિમા ભૌમિક

પ્રતિમા ભૌમિક પશ્ચિમ ત્રિપુરાથી સાંસદ છે. આ અગાઉ તે લોકસભામાં પાર્ટી વ્હીપની ભૂમિકા નિભાવી ચુકી છે. તેમણે 2019ની લોકસભાની ચૂંટણીમાં 51 ટકા મતો મેળવ્યા હતા. આ પછી તેમને અન્ન, ગ્રાહક બાબતો અને જાહેર વિતરણ સંબંધિત કમિટીના સભ્યની જવાબદારી પણ મળી હતી.

પ્રતિમા ભૌમિક 1991 થી ભાજપના સભ્ય છે. તે તેના વિસ્તારમાં 'દીદી' તરીકે જાણીતી છે. તેણે ત્રિપુરા યુનિવર્સિટીમાંથી બાયોસાયન્સમાં ડિગ્રી મેળવી છે. લોકસભાના સાંસદ તરીકે, તેમણે આસામના પૂર પીડિતોને સહાય માટે પ્રથમ પગારમાંથી એક લાખ રૂપિયા આપ્યા હતા.

વાંચો: મોદી પ્રધાનમંડળ સાથે જોડાયેલા સમાચાર

ABOUT THE AUTHOR

...view details