- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આજે (શુક્રવારે) શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) દેશોની બેઠકને સંબોધિત કરી
- તાજિકિસ્તાનમાં યોજાવા જઈ રહેલી બેઠકમાં ભાગ લેવા માટે વિદેશ પ્રધાન એસ. જયશંકર પહોંચ્યા દુશાંબે
- શિખર બેઠક પછી સંપર્ક બેઠક (આઉટરિચ) યોજાશે. તે દરમિયાન અફઘાનિસ્તાનના મુદ્દા પર પણ ચર્ચા થશેઃ પ્રવક્તા
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આજે (શુક્રવારે) શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) દેશોની બેઠકને સંબોધિત કરી હતી. આ વખતે આ બેઠક તાજિકિસ્તાનના દુશાંબેમાં યોજાઈ રહી છે. ત્યારે વિદેશ પ્રધાન એસ. જયશંકર SCO બેઠકમાં ભાગ લેવા માટે દુશાંબે જવા રવાના થઈ ગયા છે. પ્રવક્તાએ આ અંગે જણાવ્યું હતું કે, શિખર બેઠક પછી સંપર્ક બેઠક (આઉટરિચ) યોજાશે. તે દરમિયાન અફઘાનિસ્તાનના મુદ્દા પર પણ ચર્ચા થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાન, સાઉદી અરબ, મિસ્ર અને કતરના SCO ગૃપમાં સામેલ થવા પર સ્વાગત કર્યું હતું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) સંબોધન દરમિયાન તાજિકિસ્તાનને તેમની આઝાદીના 30 વર્ષ થવા અંગે શુભેચ્છા આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ઈરાન, સાઉદી અરબ, મિસ્ર અને કતરના SCO ગૃપમાં સામેલ થવા પર સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) કહ્યું હતું કે, નવા સભ્યોથી અમારું ગૃપ વધુ મજબૂત થઈ રહ્યું છે. વડાપ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, અમારા ક્ષેત્રમાં સૌથી મોટો પડકાર શાંતિ-સુરક્ષાથી સંબંધિત છે. અફઘાનિસ્તાનમાં હાલના ઘટનાક્રમે આ પડકારને સ્પષ્ટ કરી દીધો છે. SCO સમિટે કટ્ટરતાનો સામનો કરવા માટે પગલાં ઉઠાવવા જોઈએ. ઈસ્લામ સાથે જોડાયેલી જેટલી પણ સંસ્થાઓ છે. તેમાથી સંબંધ બનાવવો જોઈએ અને આગળ કામ કરવું જોઈએ.