- કોંગ્રેસે અમિત શાહ(Home Minister Amit Shah)ના રાજીનામાની માંગ કરી
- પેગાસસ જાસૂસી મામલે કોંગ્રેસના ભાજપ પર આકરા પ્રહાર
- વડાપ્રધાન મોદી (PM MODI) પર કાર્યવાહીની માંગ
નવી દિલ્હી: મુખ્ય વિપક્ષી પાર્ટીએ કોંગ્રેસે પેગાસસ જાસૂસી મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકા પર સવાલ ઉભા કર્યો છે. રાજ્યસભાના વિરોધ પ્રક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ આ સમગ્ર મામલે તપાસ શરૂ કરતાં પહેલાં અમિતશાહના રાજીનામાની માંગ કરી અને વડાપ્રધાન સામે તપાસની વાત ઉચ્ચારી હતી.
કોંગ્રેસે પૂછ્યું- શું આ ઉગ્રવાદ સામેની લડત છે?
કોંગ્રેસે મોદી સરકાર પર રાહુલ ગાંધીની જાસૂસી કરાવાના આક્ષેપ લગાવ્યા છે. કોંગ્રેસે કહ્યું કે,ફક્ત રાહુલ ગાંધી જ નહી પરતું વિપક્ષાના અન્ય નેતાઓની પણ જાસૂસી કરવામાં આવી છે.રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, રાહુલ ગાંધી,તેમના સ્ટાફની, પોતે કેબિનેટ પ્રધાનોની, પત્રકારોની જાસૂસી કરવામાં આવી છે.શું આ ઉગ્રવાદના વિરૂદ્ધ લડત છે? તેમણે કહ્યું કે,ભાજપે હવે પોતાનું નામ બદલીને ભારતીય જાસૂસી પાર્ટી રાખી દેવું જોઇએ.કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલા અને રાજ્યસભા સાંસદ મલ્લિકાર્જુન ખડ઼ગે તથા અધીર રંજન ચૌધરીએ જાસૂસી કાંડ મામલે ગૃહપ્રધાન અમિત શાહના રાજીનામાની માંગ કરી છે.
ઇઝરાયલના પેગાસસ સોફ્ટવેર જરીએ ફોન ટેપિંગની રિપોર્ટ આવ્યા બાદ હોબાળો મચી ગયો હતો.આ સમગ્ર વિવાદને લઇને કોંગ્રેસ પણ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, સરકારે લોકતંત્ર સાતે મજાક કર્યો છે. કોંગ્રેસે રાહુલ ગાંધીની જાસૂસી બદલ ગૃહપ્રધાન અમિત શાહના રાજીનામાની માંગ કરી છે.તો આ સાથે વડાપ્રધાન મોદીની ભૂમિકા વિસે પણ તપાસ માટે માંગ કરી છે. ત્યારે ભૂતપૂર્વ IT પ્રધાન રવિશંકર પ્રસાદે કોંગ્રેસના આક્ષેપોને નકારી કાઢયા છે.તેમણે ફોન ટેપિંગના આરોપોને દેશ વિરોધી એજન્ડા ચલાવવાનું કાવતરું ગણાવ્યું છે.