ગુજરાત

gujarat

15 એપ્રિલથી અમરનાથ યાત્રા માટે શરૂ થશે ઓનલાઈન નોંધણી

By

Published : Apr 13, 2021, 10:29 AM IST

Updated : Apr 13, 2021, 2:25 PM IST

અમરનાથ યાત્રા 2021 માટે 15 એપ્રિલથી ઓનલાઇન નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ વ્યવસ્થામાં શિવ ભક્ત શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડની સંબંધિત વેબસાઇટ પર જઈને યાત્રા માટે ઓનલાઈન નોંધણી કરી શકશે.

Amarnath yatra
Amarnath yatra

  • 15 એપ્રિલથી અમરનાથ યાત્રા માટે ઓનલાઈન નોંધણી શરૂ થશે
  • 56 દિવસ માટેની યાત્રા હશે
  • હેલિકોપ્ટરથી મુસાફરી કરનારાઓને અગાઉથી નોંધણી કરવાની જરૂર રહેશે નહીં

જમ્મુ: અમરનાથ યાત્રા 2021 માટે 15 એપ્રિલથી ઓનલાઇન નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ વ્યવસ્થામાં શિવ ભક્ત શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડની સંબંધિત વેબસાઇટ પર જઈને યાત્રા માટે ઓનલાઈન નોંધણી કરી શકશે. ઓનલાઇન અરજી દરમિયાન શ્રદ્ધાળુઓએ તેની વિગતો, ફોટોગ્રાફ અને ફરજિયાત આરોગ્ય પ્રમાણપત્ર (CHC) આપવાનું રહેશે.

બાલટાલ અને ચંદનબારી ટ્રેક માટે શ્રદ્ધાળુ ક્વોટા નક્કી કરાશે

પ્રાપ્ત થતી વિગતો મુજબ, દૈનિક ધોરણે પરંપરાગત બાલટાલ અને ચંદનબારી ટ્રેક માટે શ્રદ્ધાળુ ક્વોટા નક્કી કરવામાં આવશે. અત્યાર સુધીમાં લગભગ 20 હજાર શ્રદ્ધાળુઓ દેશભરની વિવિધ બેન્ક શાખાઓમાં નોંધણી કરાવી ચૂક્યા છે. બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) નીતીશ્વર કુમારે જણાવ્યું હતું કે, આ વખતે 56 દિવસની યાત્રા માટે બેન્કની શાખાઓ સાથે ઓનલાઇન નોંધણીની સુવિધા આપવામાં આવશે.ઓનલાઇન નોંધણી માટે કેન્દ્ર શાસિત પ્રદેશો અને રાજ્યોના માન્ય બોર્ડ / મેડિકલ સંસ્થાઓ તરફથી આપવામાં આવેલી CHC 15 માર્ચથી બોર્ડ દ્વારા લેવામાં આવશે. ઓનલાઇન નોંધણી માટે નકલી CHC પર નજર રાખવામાં આવશે. શ્રદ્ધાંળુઓને બોર્ડની વેબસાઇટ પર ઓનલાઇન નોંધણીની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે.

આ પણ વાંચો: અંબાજી મંદિરને કોરોના ગ્રહણ, આજે મંગળવારથી આ તારીખ સુધી રહેશે બંધ

શ્રદ્ધાળુઓએ સાથે લાવવું પડશે ફોટો ID

યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓએ તેમની સાથે અસલ ફોટો ID અને CHC સાથે રાખવું પડશે. શ્રદ્ધાળુઓને નિર્ધારિત તારીખ અને માર્ગ પ્રમાણે શ્રદ્ધાળુઓને પરમીટ આપવામાં આવશે. ડોમેલ અને ચંદનબારી પ્રવેશ દરવાજાના શ્રદ્ધાળુઓને ફક્ત સંબંધિત શ્રદ્ધાળુઓની પરવાનગીના આધારે આગળ મોકલવામાં આવશે. યાત્રા માટે 13 વર્ષથી ઓછા, 75 વર્ષથી વધુ અને છ અઠવાડિયાની ગર્ભવતી મહિલાઓને યાત્રા માટે પાત્ર ગણવામાં આવશે નહીં. હેલિકોપ્ટરથી પ્રવાસ કરનારાઓને અગાઉથી નોંધણી કરવાની જરૂર રહેશે નહીં પરંતુ તેઓએ વાસ્તવિક CHC બતાવવું પડશે.

આ પણ વાંચો: પ્રવાસીઓથી ઉભરાતા સાપુતારામાં કોરોના કાળને કારણે સન્નાટો

અંબાજી મંદિરમાં ફરી એકવાર કોરોનાનું ગ્રહણ

ઉલ્લેખનીય છે કે, અંબાજી મંદિરમાં ફરી એક વાર કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. કોરોના વાયરસની મહામારીની પરિસ્થિતિને ધ્યાને રાખી અંબાજી મંદિરના દ્વાર ફરી એકવાર બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. અંબાજી મંદિરને 13થી 30 એપ્રિલ સુધી એમ 17 દિવસ માટે બંધ કરવાનો નિર્ણય મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે.

કોરોનાં કાળમાં પ્રવાસીઓ વગર હવાખાવાનું સ્થળ સુમસામ

કોરોનાની બીજી લહેર માનવ જીવન માટે ખુબજ ઘાતક સાબિત થઈ રહી છે. જેને જોતા ફરી એકવાર સ્વૈચ્છિક લોકડાઉન કરવાની ફરજ પડી છે. રાજ્યમાં અનેક જિલ્લાઓમાં સ્વૈચ્છિક લોકડાઉનને પગલે લોકો હવે જાગૃત બન્યા છે અને કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. આવા સમયે રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં દિવસે પણ કરફ્યૂ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

Last Updated : Apr 13, 2021, 2:25 PM IST

ABOUT THE AUTHOR

...view details