ગુજરાત

gujarat

Stray Dogs Kills Newborn: રખડતા કૂતરાઓનો આતંક અને હોસ્પિટલની બેદરકારીનો ભોગ બન્યું નવજાત બાળક

By

Published : Feb 28, 2023, 1:55 PM IST

રખડતા કૂતરાઓએ નવજાત બાળકનું મૃત્યુ કર્યું. રાજસ્થાનના સિરોહીમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં જિલ્લા હોસ્પિટલમાં માતા સાથે સૂતેલા નવજાતને રખડતા કૂતરાઓ ઉપાડી ગયા હતા અને બાદમાં તેનો વિકૃત મૃતદેહ મળી આવ્યો હતો.

Stray Dogs Kills Newborn: રખડતા કૂતરાઓનો આતંક અને હોસ્પિટલની બેદરકારીનો ભોગ બન્યું નવજાત બાળક
Stray Dogs Kills Newborn: રખડતા કૂતરાઓનો આતંક અને હોસ્પિટલની બેદરકારીનો ભોગ બન્યું નવજાત બાળક

સિરોહીઃજિલ્લા હોસ્પિટલમાં મોટી બેદરકારી સામે આવી છે. સોમવારે રાત્રે હોસ્પિટલના વોર્ડમાંથી એક મહિનાના બાળકને લઈ જઈને તેની હત્યા કરવામાં આવી હતી. બાળકની માતાને ઘટનાની જાણ થઈ ત્યાં સુધીમાં નવજાત શિશુ વિકૃત થઈ ચૂક્યું હતું. ઘટનાની માહિતી મળતાં જ કોતવાલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મેડિકલ બોર્ડ દ્વારા પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહ પરિજનોને સોંપ્યો હતો.

આ પણ વાંચો:TMC Twitter account hacked: TMCનું ટ્વિટર એકાઉન્ટ હેક, નામ બદલીને યુગા લેબ્સ કરવામાં આવ્યું

રખડતા કૂતરાઓ બાળકને ઉપાડી ગયા: કોતવાલી પોલીસ સ્ટેશનના અધિકારી સીતારામે જણાવ્યું કે, પાલી જિલ્લાના જવાઈબંધના રહેવાસી મહેન્દ્ર કુમારને ખરાબ તબિયતના કારણે સિરોહીની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મહેન્દ્રની પત્ની રેખા અને ત્રણ બાળકો પણ હોસ્પિટલમાં હતા. ગત રાત્રે રેખા તેના ત્રણ બાળકો સાથે વોર્ડમાં નીચે સૂતી હતી. બાળકોમાં એક મહિનાનું બાળક પણ હતું. જણાવવામાં આવી રહ્યું છે કે રાત્રે લગભગ 2 વાગે બે-ત્રણ કૂતરા વોર્ડમાં આવ્યા અને બાળકને ઉપાડીને હોસ્પિટલની બહાર લઈ ગયા.

મૃતદેહ સંબંધીઓને સોંપ્યો: અચાનક માતા રેખા જાગી ગઈ, કોઈ અવાજ સાંભળ્યો, તે ઊભી થઈ અને બહાર ગઈ. માતાએ જોયું કે, કુતરાઓ એક મહિનાના નવજાત શિશુને બટકા ભળતા હતા. કોઈક રીતે કેટલાક લોકોની મદદથી કૂતરાઓને ભગાડી ગયા હતા. પરંતુ ત્યાં સુધીમાં કુતરાઓએ માસૂમને ખરાબ રીતે નોચી લીધો હતો, જેના કારણે તેનું મોત થયું હતું. માહિતી મળતાં જ કોતવાલી પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી અને મેડિકલ બોર્ડ દ્વારા પોસ્ટમોર્ટમ કરાવ્યું અને મૃતદેહ સંબંધીઓને સોંપ્યો.

આ પણ વાંચો:PM Modi's Younger Brother : PM મોદીના નાના ભાઈની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ

હોસ્પિટલ પ્રશાસનની બેદરકારી: સમગ્ર મામલે હોસ્પિટલ પ્રશાસનની બેદરકારી પણ સામે આવી છે. નબળી વ્યવસ્થાને લઈને લોકો અનેક સવાલો ઉઠાવી રહ્યા છે. દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓનું કહેવું છે કે, અવારનવાર કૂતરાઓની ટોળકી આવીને રાત્રીના સમયે હાહાકાર મચાવે છે, પરંતુ હોસ્પિટલ પ્રશાસન તેના પર કોઈ ધ્યાન આપતું નથી કે કોઈ પગલા લેતું નથી. આ ધટના બાદ એમ કહી શકાય કે આ નવજાત બાળકીની મૃત્યુ પાછળ હોસ્પિટલ પ્રશાસનની બેદરકારી પણ જવાબદાર છે.

ABOUT THE AUTHOR

...view details