ગુજરાત

gujarat

કરતારપુર પહોંચેલા નવજોત સિદ્ધુએ વડાપ્રધાન ઈમરાન ખાનને ગણાવ્યા 'મોટા ભાઈ', અમિત માલવિયાનું ટ્વિટ

By

Published : Nov 20, 2021, 1:38 PM IST

Updated : Nov 20, 2021, 3:13 PM IST

કરતારપુર પહોંચેલા નવજોત સિદ્ધુએ વડાપ્રધાન ઈમરાન ખાનને ગણાવ્યા 'મોટા ભાઈ', અમિત માલવિયાનું ટ્વિટ

પંજાબ કોંગ્રેસના નેતા નવજોતસિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu) કરતારપુર કોરિડોર (Kartarpur Corridor) પહોંચ્યા છે. ત્યારે તેમણે અહીં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને (Prime Minister of Pakistan Imran Khan) પોતાના 'મોટા ભાઈ' (Big Brother) ગણાવતા વિવાદ સર્જાયો છે. ભાજપના આઈટી વિભાગના પ્રભારી અમિત માલવિયાએ (Amit Malviya in charge of BJP's IT department) ટ્વિટ કરી આ માહિતી આપી હતી.

  • પંજાબ કોંગ્રેસના નેતા નવજોતસિંહ સિદ્ધુ પહોંચ્યા કરતારપુર કોરિડોર
  • નવજોત સિંહે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને ગણાવ્યા પોતાના 'મોટા ભાઈ'
  • ભાજપના IT વિભાગના પ્રભારી અમિત માલવિયાએ ટ્વિટ કરી નવજોત સિંહની કરી ટિકા

ન્યૂઝ ડેસ્કઃ પંજાબ કોંગ્રેસના નેતા નવજોતસિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu) કરતારપુર કોરિડોર (Kartarpur Corridor) પહોંચ્યા છે. અહીં તેમણે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને (Prime Minister of Pakistan Imran Khan) 'મોટા ભાઈ' (Big Brother) ગણાવ્યા હતા. તો આ મામલે હવે રાજકીય ગરમાવો આવ્યો છે. બીજી તરફ ભાજપના આઈટી વિભાગના પ્રભારી અમિત માલવિયાએ ટ્વિટ કરી નવજોતસિંહ સિદ્ધુની (Navjot Singh Sidhu) ટિકા કરી હતી. તેમણે ટ્વિટર પર જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીના પ્રિય નવજોતસિંહ સિદ્ધુએ (Navjot Singh Sidhu) પાકિસ્તાનના વડાપ્રધાનને પોતાના મોટા ભાઈ ગણાવ્યા છે. આ અગાઉ પણ તેઓ પાકિસ્તાનની આર્મીના વડા જનરલ બાજવાને (General Bajwa, Chief of the Pakistan Army) ભેટી ચૂક્યા છે.

આ પણ વાંચો-કૃષિ કાયદા રદ્દ થયા બાદ અમરિંદર સિંહના નિવેદનથી રાજકારણમાં ગરમાવો, BJP સાથે કામ કરશે!

સિદ્ધુએ નવા વિવાદને આપ્યો જન્મ

આ સાથે જ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ (Navjot Singh Sidhu) વધુ એક વિવાદને જન્મ આપ્યો છે. પાકિસ્તાનમાં આવેલા ગુરુદ્વારા શ્રી કરતારપુર સાહિબ (Gurudwara Shri Kartarpur Sahib) પહોંચેલા સિદ્ધુએ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને (Prime Minister of Pakistan Imran Khan 'મોટા ભાઈ' (Big Brother) ગણાવ્યા હતા. સિદ્ધુના આ નિવેદન અંગે ભાજપે કોંગ્રેસે ઘેરવાનું શરૂ કરી દીધું છે.

આ પણ વાંચો-ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા ચંદ્રાબાબૂ નાયડૂ, સત્તામાં નહીં આવે ત્યાં સુધી વિધાનસભા નહીં જાય

ગુરુનાનક દેવજીના નામે રાજનીતિ થઈ રહી છે, જે ટીકાત્મક છે

તો ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં નવજોત સિંહ સિદ્ધુના મીડિયા એડવાઈઝ સુરિન્દર ડલ્લાએ (Navjot Singh Sidhu's Media Advisor Surinder Dalla) કહ્યું હતું કે, જ્યારે ભારત પાકિસ્તાનની સાથે મેચ (India Pakistan Match) રમે છે. ત્યારે એવા લોકોને તકલીફ કેમ નથી થતી. હવે બાબે (ગુરુનાનક દેવજીના) નામે કેટલાક લોકોને તકલીફ થઈ રહી છે. તેમણે કહ્યું હતું કે, કેટલાક લોકો બાબે પર રાજનીતિ કરી રહ્યા છે, જે ટીકાત્મક છે.

Last Updated :Nov 20, 2021, 3:13 PM IST

ABOUT THE AUTHOR

...view details