ગુજરાત

gujarat

Monsoon session of Parliament: સંસદમાં સરકારને ઘેરવા માટે કોંગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે સંસદીય વ્યૂહાત્મક સમૂહની બેઠક બોલાવી

By

Published : Jul 14, 2021, 9:28 AM IST

Updated : Jul 14, 2021, 12:25 PM IST

ટૂંક જ સમયમાં સંસદનું ચોમાસું સત્ર (Monsoon session of Parliament ) યોજાશે ત્યારે વિપક્ષ કોંગ્રેસ પણ ભાજપને સંસદમાં ઘેરવાનો પ્લાન બનાવી રહી છે. ત્યારે કોંગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધીએ (Congress President Sonia Gandhi) આજે (બુધવારે) સંસદીય વ્યૂહાત્મક સમૂહની બેઠક (Meeting of the Parliamentary Strategic Group) યોજી હતી, જેમાં સંસદના ચોમાસુ સત્ર (Monsoon session of Parliament )માં ઉઠાવવામાં આવનારા મુદ્દાઓ અને સરકારને ઘેરવાની રણનીતિ પર ચર્ચા કરશે.

Monsoon session of Parliamen: સંસદમાં સરકારને ઘેરવા માટે કોંગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે સંસદીય વ્યૂહાત્મક સમૂહની બેઠક બોલાવી
Monsoon session of Parliamen: સંસદમાં સરકારને ઘેરવા માટે કોંગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે સંસદીય વ્યૂહાત્મક સમૂહની બેઠક બોલાવી

  • સંસદના ચોમાસું સત્ર (Monsoon session of Parliament) પહેલા કોંગ્રેસે શરૂ કરી તૈયારી
  • કોંગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધી (Congress President Sonia Gandhi) આજે યોજશે બેઠક
  • સોનિયા ગાંધીએ આજે સંસદીય વ્યૂહાત્મક સમૂહની બોલાવી બેઠક (Meeting of the Parliamentary Strategic Group)
  • બેઠકમાં મુદ્દાઓ અને સરકારને ઘેરવાની રણનીતિ પર ચર્ચા (Discussion on the strategy of encircling the government) થશે

નવી દિલ્હીઃ કોંગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધી (Congress President Sonia Gandhi)એ સંસદના ચોમાસું સત્ર (Monsoon session of Parliament ) પહેલા સંસદીય વ્યૂહાત્મક સમૂહ (Parliamentary Strategic Group)ની આજે બેઠક બોલાવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ બેઠક ડિજિટલ (Digital) માધ્યમથી થશે, જેમાં કોરોના (Corona)ની સ્થિતિ, કોરોના વેક્સિનેશન (Corona Vaccination)ની ધીમી ગતિ, બેરોજગારી, મોંઘવારી અને કેટલાક અન્ય મુદ્દાઓ પર સરકારને ઘેરવાની રણનીતિ પર ચર્ચા થશે.

આ પણ વાંચો-પોરબંદરમાં ભૂગર્ભ ગટરના પાણી રસ્તા પર આવતા કોંગી નેતાઓએ આળોટીને નોંધાવ્યો વિરોધ

લોકસભામાંથી અધીર રંજન ચૌધરીને હટાવે તેવી શક્યતા

આ તમામની વચ્ચે ચર્ચા છે કે, કોંગ્રેસ લોકસભામાં પોતાના નેતા અધીર રંજન ચૌધરી (Impatient Ranjan Chaudhary)ને હટાવવા અને તેમના સ્થાને અન્ય નેતાની નિયુક્તિ કરવાનો વિચાર કરી રહી છે. જોકે, પાર્ટી તરફથી આ અંગે અત્યાર સુધી કોઈ સત્તાવારી રીતે માહિતી સામે નથી આવી. સૂત્રોના જણાવ્યા મુજબ, પશ્ચિમ બંગાળ (West Bengal)માં કોંગ્રેસના નિરાશાજનક પ્રદર્શન પછી ચૌધરીને હટાવવાની ચર્ચા છે, પરંતુ હાઈકમાન્ડ તરફથી તેમને હટાવવા કે યથાવત રાખવા અંગે કોઈ નિર્ણય નથી કરાયો. ચૂંટણીના સમયે ચૌધરી પશ્ચિમ બંગાળ (West Bengal) પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષની જવાબદારી નિભાવી રહ્યા હતા.

આ પણ વાંચો-વડોદરામાં દૂધ વગરની ચા બનાવી કોંગ્રેસ કાર્યકરોએ દૂધના ભાવ વધારા માટે કર્યા વિરોધ પ્રદર્શન

અન્ય નેતાને લોકસભામાં વિપક્ષના નેતાની જવાબદારી મળી શકે છે

માનવામાં આવી રહ્યું છે કે, જો ચૌધરીને હટાવવાનો નિર્ણય થશે તો મનીષ તિવારી, શશિ થરૂર, ગૌરવ ગોગોઈ અને રવનીત બિટ્ટુમાંથી કોઈ એકને લોકસભામાં કોંગ્રેસના નેતાની જવાબદારી સોંપવામાં આવી શકે છે.

Last Updated :Jul 14, 2021, 12:25 PM IST

ABOUT THE AUTHOR

...view details