ગુજરાત

gujarat

જમ્મુમાં કાશ્મીરી પંડિતોના ઘરો પર ફેંકાયા બોમ્બ, સુરક્ષામાં કરાયો વધારો

By

Published : Aug 6, 2022, 4:23 PM IST

Updated : Aug 6, 2022, 5:06 PM IST

શ્રીનગરની બહારના ક્રાલપોરા વિસ્તારમાં એક સ્ટીકી બોમ્બ વિસ્ફોટ થયો(Bomb blast in Srinagar) હતો. આંતકવાદીઓ દ્વારા કાશ્મીરી પંડિતોના ઘરો પર બોમ્બ ફેકવામાં આવ્યા હતા(Militants hurl sticky bomb at Kashmiri Pandit houses ). જેમાં કોઇજાહી થઇ નથી પરંતુ મકાનોને નુકસાન પહોંચ્યું હતું.

જમ્મુમાં કાશ્મીરી પંડિતોના ઘરો પર ફેંકાયા બોમ્બ
જમ્મુમાં કાશ્મીરી પંડિતોના ઘરો પર ફેંકાયા બોમ્બ

શ્રીનગર: શ્રીનગરની બહારના ક્રાલપોરા વિસ્તારમાં શંકાસ્પદ આતંકવાદીઓએ એક સ્ટીકી બોમ્બ ફેંક્યો(Militants hurl sticky bomb at Kashmiri Pandit houses ) હતા. આ બોમ્બ કાશ્મીરી પંડિતોને ટાર્ગેટ બનાવીને ફેકવામાં આવ્યા(Bomb blast in Srinagar) હતા. સદ્દનશીબે કોઇ જાનહાની થઇ નથી. લોકોના ઘરોને નુકસાન જોવા મળ્યું હતું. સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો છે અને હુમલાખોરોને પકડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

આ પણ વાંચો -શ્રીનગર એન્કાઉન્ટરમાં બે આતંકી ઠાર,એક CRPF જવાનો પર થયેલા હુમલામાં સામેલ હતો

કાશ્મીરી પંડિતોના ઘર પર વિસ્ફોટ - મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના ચદૂરાના ક્રાલપોરા ગામમાં શનિવારે સવારે એક રહસ્યમય વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ સવારે લગભગ 7:45 વાગ્યાના અરસામાં થયો હતો. એ વિસ્તારમાં થયો હતો જ્યાં કેટલાક કાશ્મીરી પંડિત પરિવારો પણ રહે છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટનામાં કોઈ મોટું નુકસાન થયું નથી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે સ્થળની મુલાકાત લીધી હતી અને પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે કેટલાક અનફોટેડ જૂના શેલ ફાટ્યા હોઈ શકે છે.

આ પણ વાંચો - શ્રીનગર-શારજાહ ફ્લાઈટ: પાકિસ્તાને હવાઈ ક્ષેત્રમાંથી પસાર થવાની મંજૂરી ન આપતા ગુજરાત થઈને ગઈ

Last Updated :Aug 6, 2022, 5:06 PM IST

ABOUT THE AUTHOR

...view details