ગુજરાત

gujarat

મમતાદી આજે વર્ચુઅલી મનાવશે શહીદ દિવસ

By

Published : Jul 21, 2021, 12:18 PM IST

Updated : Jul 21, 2021, 12:47 PM IST

કોરોના મહામારીના કારણે તૃણમૂલ કોંગ્રેસ 21 જુલાઈના શહીદ દિવસ (Martyr's Day)ને વર્ચુઅલી મનાવવાનુ નક્કી કર્યું છે. આ દરમિયાન મુખ્યપ્રધાન મમતા બેનર્જી(Mamata Banerjee)નું ભાષણ પણ હશે, જોકે આ વર્ષે પાર્ટી આ દિવસને કંઈક અલગ રીતે અથવા રાષ્ટ્રીય દ્રષ્ટીકોણથી મનાવશે.

mamata di
મમતાદી મનાવશે આજે વર્ચુઅલી શહીદ દિવસ

  • મમતા દીનું આજે શહીદ દિવસ નિમિત્તે વર્ચુઅલી ભાષણ
  • TMCનું લક્ષ્ય આગામી 2024 લોકસભાની ચૂંટણી
  • અલગ-અલગ જગ્યાએ પ્રસારીત કરવામાં આવશે ભાષણ

કોલકત્તા: પશ્વિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021ની જીત બાક 2024ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તૃણમૂલ કોંગ્રેસ સરકાર આજે શહીદ દિવસ (Martyr's Day) મનાવશે. પોતાના સોથી મોટા વાર્ષિક કાર્યક્રમ દરમિયાન મમતા બેનર્જી (Mamata Banerjee)નું ભાષણ અલગ-અલગ રાજ્યોમાં પ્રસારીત કરવામાં આવશે. આ ભાષણ બપોરના 2 વાગ્યે શરૂ થશે.

સતત બીજા વર્ષે વર્ચુઅલ કાર્યક્રમ

દર વર્ષે 21 જૂલાઈએ કોલકત્તામાં યોજાતી ઐતિહાસિક શહિદ રેલી આ વર્ષે પણ લોકોની ગેરહાજરીમાં થશે. પાર્ટી સતત બીજી વાર આ રેલીનુ વર્ચુઅલી આયોજન કરશે અને આ વર્ષે મમતા બેનર્જીનું ભાષણ પણ થશે જોકે આ વર્ષે કાર્યક્રમ કંઈક અલગ રીતે યોજાશે.

હવે 2024ની ચૂંટણી લક્ષ્ય

પશ્વિમ બંગાળમાં ચૂંટણીમાં પ્રંચડ જીત બાદ તૃણમૂલ કોંગ્રેસ 2024ની લોકસભાની ચૂંટણીને પોતાનું લક્ષ્ય બનાવ્યું છે. તૃણમૂલ કોંગ્રસના નેતૃત્વ 2024ની લોકસભા ચૂટંણીમાં પોતાના પક્ષને મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ચૂંટણી બાદ નવી કેન્દ્ર સરકારના ગઠનમાં TMC મહત્વપૂર્ણ ભાગ ભજવશે. તેથી આ વર્ષે શહીદ દિવસ કંઈક અલગ રીતે મનાવવામાં આવશે.

મમતા બેનર્જી કરશે સંબોધન

સોથી પહેલા મુખ્ય સમારોહનું સીધુ પ્રસારણ જેને મુખ્યપ્રધાન દ્વારા સંબોધીત કરવામાં આવશે. કોલકત્તા સિવાય દિલ્હીમાં વર્ચુઅલી પણ આ કાર્યક્રમને પ્રસારીત કરવામાં આવશે જેમાં શત્રુઘ્ન સિંન્હા અને વાઈકો જેવા અન્ય રાષ્ટ્રી નેતા પણ મુખ્ય કાર્યક્રમમાં સામેલ થશે. આશા છે કે મુખ્યપ્રધાન મમતા કોંગ્રેસની રાષ્ટ્રીય યોજનાઓ પર પ્રકાશ પાડશે.

આ પણ વાંચો : બંગાળ: ભાજપ કાર્યકરની માતાનું નિધન, અમિત શાહે TMC પર લગાવ્યો આક્ષેપ

શોર્ટ વિડીયો તૈયાર કરવામાં આવ્યો

રાષ્ટીય રાજનીતીમાં 21 જૂલાઈના મહત્વથી યુવાનાને અવગત કરાવવા માટે તૃણમૂલ કોંગ્રસની યુવા શાખા તરફથી તૈયાર કરવામાં આવેલી શોર્ટ ડોક્યુમેન્ટ્રી પ્રદેશના વિવિધ વિભાગમાં પ્રસારીત કરવામાં આવશે. વિડીયો ફક્ત 2 મિનીટ 35 સેકેન્ડનો છે. આ વિડીયોમાં 21 જૂલાઈ 1993ના દિવસે થયેલી ઘટનાનો સાર પ્રસ્તુત કરવાનો પ્રસાય કરવામાં આવ્યો છે.

14 લોકોના મૃત્યું

આ દિવસે પોલીસ ફાયરીંગમાં 14 લોકોના મૃત્યું થયા હતા, જે તત્કાલીન રાજ્ય યુવા કોંગ્રેસ અધ્યક્ષ મમતા બેનર્જીના નેતૃત્વમાં વિરોધ માર્ચના ભાગ હતા. વિડીયોના માધ્યમથી બોન્ડન દાસ, મૂરારી ચક્રવર્તી, રતન મંડલ, અસીમ દાસ જેવા શહિદોને યાદ કરવામાં આવે છે. વિડીયોમાં તે દિવસથી તૃણમૂલ કોંગ્રેસની ભાવના ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

મમત બેનર્જી એક માત્ર રસ્તો

લોકોએ મમતા બેનર્જીના સંઘર્ષને સલામ કરી અને સમજાયું કે બંગાળને સામ્યવાદી શાસનથી મુક્ત કરવાનો તેમનો માર્ગ એકમાત્ર રસ્તો હતો. કહ્યું કે, પશ્ચિમ બંગાળને લાલ આતંકથી બચાવ્યા બાદ હવે મમતા બેનર્જીનો સંઘર્ષ 2024 માં ભારતને ભગવા આતંકથી મુક્ત કરવાનો છે. સંઘર્ષ તે જ છે જેનો પ્રારંભ 21 જુલાઈ 1993 ના રોજ થયો હતો. તેથી આ ટૂંકી વિડિઓ યુવાનોને શિક્ષિત કરવામાં ખૂબ મહત્વપૂર્ણ રહેશે.

આ પણ વાંચો : હુગલીમાં મતદાન પહેલા ભાજપના સમર્થકની માતાનું મોત થતા TMC પર આક્ષેપ

34 વર્ષના વામ મોરચાને ખતમ કર્યું

યુવા તૃણમૂલ નેતા અશોક રુદ્રએ ETV Bharatને જણાવ્યું કે શાસનમાં વાસ્તવિક પરીવર્તન 2011માં થયું હતું. જ્યારે મમતા બેનર્જીએ પહેલીવાર 34 વર્ષ લાંબા વામ મોરચાને સમાપ્ત કરી પશ્વિમ બંગાળની મુખ્ય પ્રધાન બની હતી. વાસ્તવમાં આ જૂલાઈએ હતું.21, 1993, કે પશ્ચિમ બંગાળના લોકોએ તેમને નવા શાસનના મુખ્ય પ્રધાન તરીકે સ્વીકાર્યા હતા.

Last Updated :Jul 21, 2021, 12:47 PM IST

ABOUT THE AUTHOR

...view details