ગુજરાત

gujarat

કેવી રીતે પડી ઉદ્ધવ સરકાર?, એકનાથ શિંદેએ કર્યો મોટો ખુલાસો

By

Published : Jul 5, 2022, 10:51 AM IST

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ સોમવારે શિવસેના (eknath shinde tells how uddhav thackeray govt collapse) નેતૃત્વ સામે તેમના (maharashtra political crisis) તાજેતરના "બળવો" ને લઈને મોટો ખુલાસો કર્યો છે (how uddhav thackeray govt collapse) તેને ક્હ્યું કે, આ બધા પાછળ ભાજપ સરકારનો હાથ છે.

કેવી રીતે પડી ઉદ્ધવ સરકાર, એકનાથ શિંદેએ કર્યો મોટો ખુલાસો
કેવી રીતે પડી ઉદ્ધવ સરકાર, એકનાથ શિંદેએ કર્યો મોટો ખુલાસો

મુંબઈ:મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ (cm eknath shinde) સોમવારે જાહેરમાં કહ્યું (eknath shinde tells how uddhav thackeray govt collapse) હતું કે, શિવસેના નેતૃત્વ સામે તેમના તાજેતરના "બળવો" કરવા (maharashtra political crisis) પાછળ ભાજપનો હાથ છે. શિંદેએ કહ્યું કે, ગુજરાતમાંથી ગુવાહાટી ગયા બાદ તેઓ તેમના જૂથના ધારાસભ્યો સૂઈ ગયા બાદ ફડણવીસને મળતા હતા અને ધારાસભ્યો જાગે તે પહેલા તેઓ (ગુવાહાટી) પરત ફરતા હતા. ગૃહમાં વિશ્વાસ મત જીત્યા પછી રાજ્ય વિધાનસભામાં શિંદેની ટિપ્પણીએ સ્પષ્ટ કર્યું કે, ભાજપના નેતા અને વર્તમાન નાયબ મુખ્ય પ્રધાન (maharashtra politics) દેવેન્દ્ર ફડણવીસ આ સમયગાળા દરમિયાન શિંદેના નેતૃત્વવાળા જૂથની પ્રવૃત્તિઓમાં સક્રિયપણે સામેલ હતા.

આ પણ વાંચો:કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષનું વિવાદીત નિવેદન, કહ્યું અમે ઈલાજ કરવાનું શરૂ કરી દીધુ

શિંદે જૂથના ધારાસભ્યો ગયા મહિનાના અંતમાં ગુવાહાટીની એક વૈભવી (maharashtra political Controvercy) હોટેલમાં ધામા નાખતા હતા, પરંતુ એવા અહેવાલો હતા કે, શિંદેએ ગુવાહાટીથી ગુજરાત પહોંચ્યા પછી ફડણવીસ સાથે ગુપ્ત બેઠક કરી હતી. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે, પરોઢ થતાં પહેલાં શિંદે ગુવાહાટીની હોટેલમાં પાછા ફર્યા જ્યાં તેઓ 40 ધારાસભ્યો સાથે કેમ્પ કરી રહ્યા હતા.

વડાપ્રધાને આશીર્વાદ આપ્યા: શિંદેએ કહ્યું, અમારી સંખ્યા ઓછી હતી (ભાજપની સરખામણીમાં), પરંતુ વડાપ્રધાન મોદીએ અમને આશીર્વાદ આપ્યા. મોદી સાહેબે શપથ લેતા પહેલા મને કહ્યું હતું કે, તેઓ મારી દરેક સંભવ મદદ કરશે. અમિત શાહે કહ્યું કે, તેઓ અમારી પાછળ ખડકની જેમ ઉભા રહેશે. શિંદેએ ફડણવીસ તરફ ઈશારો કરતા કહ્યું, પરંતુ તેઓ સૌથી મોટા કલાકાર છે. શિંદેએ કહ્યું, અમારી સાથેના ધારાસભ્યો જ્યારે ઊંઘતા હતા ત્યારે અમે મળતા હતા અને તેઓ જાગતા પહેલા (ગુવાહાટી) પરત ફરી જતા હતા. શિંદેના ખુલાસાઓથી ફડણવીસ સ્પષ્ટપણે શરમાતા હતા.

આ પણ વાંચો:અમરાવતી કેમિસ્ટ હત્યા કેસના તમામ આરોપી NIAની કસ્ટડીમાં

રાજકીય ઉથલપાથલનો અંત:શિંદે ફડણવીસ તરફ ઈશારો કરીને કહ્યું કે, તેઓ શું કરશે અને ક્યારે કરશે તે કોઈને ખબર નથી. શિંદેએ 30 જૂનના રોજ રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા, મહારાષ્ટ્રમાં એક અઠવાડિયાથી વધુ સમયથી ચાલી રહેલી રાજકીય ઉથલપાથલનો અંત આવ્યો.

ABOUT THE AUTHOR

...view details