ગુજરાત

gujarat

શિંદે સરકારનું પ્રથમ કેબિનેટ વિસ્તરણ, બંને કેમ્પના 18 પ્રધાનોએ લીધા શપથ

By

Published : Aug 9, 2022, 9:41 AM IST

Updated : Aug 9, 2022, 1:11 PM IST

શિંદેએ મરાઠવાડા ક્ષેત્રના નાંદેડમાં પત્રકારોને જણાવ્યું હતું કે, મંગળવારે (આજે) પ્રધાનમંડળનું વિસ્તરણ (Maharashtra Expansion of Eknath Shindes Cabinet Today) થવાની અપેક્ષા છે. શિંદેના નજીકના સહયોગીએ પીટીઆઈને જણાવ્યું હતું કે, દક્ષિણ મુંબઈમાં રાજભવન ખાતે સવારે 11 વાગ્યે નિર્ધારિત સમારોહમાં એક ડઝન પ્રધાનોએ શપથ ગ્રહણ કર્યા હતા.

એકનાથ શિંદેના પ્રધાનમંડળનું આજે થશે વિસ્તરણ
એકનાથ શિંદેના પ્રધાનમંડળનું આજે થશે વિસ્તરણ

મુંબઈ:મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે (Maharashtra Chief Minister Eknath Shinde) આજે એટલે કે 9 ઓગસ્ટે તેમના 40 દિવસ જૂના કેબિનેટનું વિસ્તરણ (Will expand the cabinet) કરશે. મુખ્યપ્રધાનએ સોમવારે આ માહિતી આપી હતી. શિવસેનાના ધારાસભ્ય શિંદે અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે 30 જૂને અનુક્રમે મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા.

આ પણ વાંચો:દેશ માટે પોતાની આહૂતિ આપી દેનારા અને આઝાદીની લડાઈમાં મુખ્ય ભૂમિકા ભજવનારા 7 મહાન નાયકો

કેબિનેટનું વિસ્તરણ થવાની અપેક્ષા :શિંદેએ મરાઠવાડા ક્ષેત્રના નાંદેડમાં પત્રકારોને જણાવ્યું હતું કે, કેબિનેટનું વિસ્તરણ મંગળવારે થવાની અપેક્ષા છે. શિંદેના નજીકના સહયોગીએ પીટીઆઈને જણાવ્યું હતું કે, દક્ષિણ મુંબઈમાં રાજભવન ખાતે સવારે 11 વાગ્યે નિર્ધારિત સમારોહમાં એક ડઝન મંત્રીઓ શપથ લેશે. તેમણે કહ્યું કે, વિસ્તરણનો આગામી રાઉન્ડ પછીથી થશે. મુખ્ય પ્રધાનના સહાયકે કહ્યું, "રાજ્ય વિધાનસભાનું ચોમાસુ સત્ર ટૂંક સમયમાં યોજવાનું છે, તેથી અમે કેબિનેટ વિસ્તરણમાં 12 ધારાસભ્યોનો સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે." મંગળવારે શપથ લેનારાઓમાં કેટલાક વિધાન પરિષદના સભ્યો પણ સામેલ હશે.

શિંદે જૂથમાંથી ભરત ગોગાવાલે અને શંભુરાજ દેસાઈના નામ ચર્ચામાં : શિવસેનામાં બળવાખોર વલણ અપનાવીને મોટાભાગના ધારાસભ્યોને પોતાની છાવણીમાં લાવનારા શિંદે માટે આ મુશ્કેલ કામ હશે. શિંદે છેલ્લા એક મહિનામાં સાત વખત દિલ્હીની મુલાકાતે આવ્યા છે અને દરેક મુલાકાત બાદ કેબિનેટ વિસ્તરણની અટકળો થઈ રહી છે. શિંદે જૂથમાંથી ભરત ગોગાવાલે અને શંભુરાજ દેસાઈના નામ ચર્ચામાં છે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીમાં (BJP) પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ, સુધીર મુનગંટીવાર, ગિરીશ મહાજન, રાધાકૃષ્ણ વિખે પાટીલ, સુરેશ ખાડે અને અતુલ સેવનો સમાવેશ થાય તેવી શક્યતા છે.

પ્રધાન તરીકે શપથ લેનારાઓના નામ ફાઇનલ કરવામાં આવી રહ્યા છે :શિંદેએ કહ્યું હતું કે, પ્રધાન તરીકે શપથ લેનારાઓના નામ ફાઇનલ કરવામાં આવી રહ્યા છે. આ નામો આજે રાત્રે અથવા આવતીકાલે (સવારે) નક્કી કરવામાં આવશે, એમ શિંદેએ જણાવ્યું હતું. છેલ્લા એક મહિનામાં મુખ્યપ્રધાન સાત વખત નવી દિલ્હીની મુલાકાતે આવ્યા છે અને દરેક મુલાકાત સાથે એવી ચર્ચા છે કે પ્રધાનમંડળનું વિસ્તરણ થવાનું છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા અજિત પવારે કહ્યું કે, શિંદેએ તેમની સાથે આવેલા દરેક ધારાસભ્યને પ્રધાન પદનું વચન આપ્યું હતું. પવારે કહ્યું કે, હવે શિંદે પોતાનું વચન પૂરું કરી શક્યા નથી, તેથી કેબિનેટ વિસ્તરણમાં વિલંબ થઈ રહ્યો છે. વિલંબનું કારણ શું હતું તે પણ મુખ્યપ્રધાને જણાવવું જોઈએ.

આ પણ વાંચો:આઝાદી કા અમૃત ઉત્સવ: ભાભા અને શાસ્ત્રીની હત્યા પાછળ અમેરિકાની ગુપ્તચર સંસ્થાનું ક્નેક્શન

પરિષદની રચના કરવા માટે બે મહિનાથી વધુ રાહ જોઈ હતી :પવારે એમ પણ કહ્યું હતું કે, મંગળવારે યોજાનાર કેબિનેટ વિસ્તરણ માટે તેમને હજુ સુધી કોઈ આમંત્રણ મળ્યું નથી. તેમણે કહ્યું કે, તે સ્પષ્ટ છે કે શિંદે જૂથમાં ગયેલા તમામ 40 બળવાખોર શિવસેના ધારાસભ્યોને પ્રધાન તરીકે શપથ લેનારાઓના નામ ફાઇનલ કરવામાં આવી રહ્યા છે પદ નહીં મળે. એક રાજકીય નિરીક્ષકે કહ્યું કે, મહારાષ્ટ્રમાં તેલંગાણા કરતાં ઓછો વિલંબ થયો છે, જ્યાં 2019માં મુખ્યપ્રધાન તરીકે શપથ લેનારાઓના નામ ફાઇનલ કરવામાં આવી રહ્યા છે કે. ચંદ્રશેખર રાવે સંપૂર્ણ પ્રધાન તરીકે શપથ લેનારાઓના નામ ફાઇનલ કરવામાં આવી રહ્યા છે પરિષદની રચના કરવા માટે બે મહિનાથી વધુ રાહ જોઈ હતી.

Last Updated :Aug 9, 2022, 1:11 PM IST

ABOUT THE AUTHOR

...view details