ગુજરાત

gujarat

શા માટે નવાબ મલિક સમીર વાનખેડે પર વારંવાર કરી રહ્યા છે પ્રહાર ?

By

Published : Oct 30, 2021, 12:13 PM IST

આર્યન ખાન ક્રૂઝ ડ્રગ્સ કેસમાં NCB ની કામગીરીની ટીકા શરૂ થતાં જ મહારાષ્ટ્રના કેબિનેટ પ્રધાન (Cabinet Minister) નવાબ મલિકે (Nawab Malik) ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર ઘણાં આક્ષેપો સાથે પ્રહાર કર્યા હતા. દરરોજ તેઓ સોશિયલ મીડિયા પર કંઈકને કંઈક પોસ્ટ કરીને સમીર વાનખેડે પર સવાલો ઉઠાવી રહ્યા છે. તેમના અંગત જીવન પર પ્રહાર કરી રહ્યા છે. આ આક્ષેપોમાં કેટલી યોગ્યતા છે, તેની તપાસ કરવાની બાકી છે પરંતુ એક સવાલ ચોક્કસ પૂછવામાં આવી રહ્યો છે કે, નવાબ મલિક સમીર વાનખેડે પર આટલા પ્રહાર કેમ કરી રહ્યા છે. શું છે સમગ્ર મામલો. આ પાછળનું સત્ય શું છે. જાણવા માટે સંપૂર્ણ સમાચાર વાંચો...

cruise drugs case
cruise drugs case

  • ક્રૂઝ ડ્રગ્સ કેસમાં NCB ના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પણ હેડલાઇન્સમાં આવ્યા
  • મહારાષ્ટ્ર સરકારના પ્રધાન નવાબ મલિકે સમીર સામે મોરચો ખોલ્યો
  • દરરોજ તેઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સમીર પર ઉઠાવી રહ્યા છે સવાલો
  • વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકરે મહિલા આયોગને ફરિયાદ કરી

હૈદરાબાદઃ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાન અને તેના મિત્રોની ધરપકડ બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે (Sameer Wankhede) પણ હેડલાઇન્સમાં આવ્યા છે. મહારાષ્ટ્ર સરકારના પ્રધાન નવાબ મલિકે તેમની સામે મોરચો ખોલ્યો છે. તેમણે સમીર વાનખેડેના જન્મ પ્રમાણપત્ર પર સવાલો ઉઠાવ્યા છે. તેમના કહેવા પ્રમાણે તે સર્ટિફિકેટમાં સમીર દાઉદ વાનખેડે નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મલિકે તેમના નિકાહનામાને સાર્વજનિક કરી દીધુ છે. તેમણે સમીર અને તેના પરિવારના માલદીવમાં વિતાવેલી રજાઓને લગતા ફોટા પણ બધાને બતાવ્યા અને અંતે ક્રુઝ પરની પાર્ટીના ફૂટેજ બહાર પાડવામાં આવ્યા. રોજબરોજના વ્યક્તિગત આક્ષેપોથી દુઃખી થઈને સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકરે મહિલા આયોગને ફરિયાદ કરી હતી.

ક્રૂઝ ડ્રગ્સ કેસમાં NCB ના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પણ હેડલાઇન્સમાં આવ્યા

નવાબ મલિકે સમીર અને ફેશન ટીવી (ભારત) ના વડા કાશિફ ખાનને એકબીજાના મિત્રો બતાવ્યા

આ ફરિયાદ કરવા છતાં પણ નવાબ મલિક ચૂપ ન રહ્યા. તેમણે સમીર અને ફેશન ટીવી (ભારત) ના વડા કાશિફ ખાનના 'સંબંધ' ને શોધી કાઢ્યા અને તેમને એકબીજાના મિત્રો બનાવી દીધા. મલિકનો આરોપ છે કે, કાશિફ ખાન આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયા છે. તે સેક્સ રેકેટ ચલાવે છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે, નવાબ મલિકે સમીર વાનખેડે સાથે જોડાયેલા આટલા બધા રહસ્યો કેમ જાહેર કર્યા. તેમને આટલો રસ કેમ છે ? આખરે મામલો શું છે ? મીડિયા રિપોર્ટ્સ અનુસાર સમીર વાનખેડે સાથે તેનો ગુસ્સો જૂનો છે. વાર્તા સુશાંત સિંહ રાજપૂતની કથિત આત્મહત્યા પછી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની તપાસથી શરૂ થાય છે. જ્યારે સુશાંત આત્મહત્યા કેસની તપાસ આગળ વધી ત્યારે તેમાં ડ્રગ્સ રેકેટની એન્ટ્રી થઈ હતી. જેમાં સૌથી પહેલું નામ રિયા ચક્રવર્તીનું આવ્યું હતું. તેને જેલમાં મોકલી દેવામાં આવી હતી.

મહારાષ્ટ્ર સરકારના પ્રધાન નવાબ મલિકે સમીર સામે મોરચો ખોલ્યો

NCB તમાકું અને ગાંજા વચ્ચે તફાવત કરી શકતું નથી: નવાબ મલિક

આ ઘટના બાદ બ્રિટિશ નાગરિક કરણ સજનાનીનું નામ સામે આવ્યું હતું. સજનાનીની 200 કિલો નશીલા પદાર્થ સાથે ધરપકડ કરાઈ હતી. પૂછપરછ દરમિયાન તેણે કેબિનેટ પ્રધાન નવાબ મલિકના જમાઈ સમીર ખાનનું નામ આપ્યું હતું. આ સમાચાર સાર્વજનિક થતાં જ નવાબ મલિક સમીર વાનખેડે પર પ્રહારી બની ગયા હતા. આ વર્ષે 13 જાન્યુઆરીએ સમીર વાનખેડે (Sameer Wankhede) એ સમીર ખાનની સાથે અન્ય બે આરોપીઓની ધરપકડ કરી હતી. સમીર ખાન લગભગ 8 મહિના જેલમાં રહ્યો, જે બાદ તેને જામીન મળી ગયા હતા. જમાઈ સમીર ખાનના જામીન બાદ નવાબ મલિકે પ્રેસ કોન્ફરન્સ કરીને NCB પર પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે, તેના જમાઈને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો છે. તેમના જણાવ્યા મુજબ જપ્ત કરાયેલી સામગ્રી, જે NCB 200 કિલો ગાંજા તરીકે વર્ણવી રહી હતી તે CA રિપોર્ટમાં હર્બલ તમાકું હોવાનું બહાર આવ્યું હતું. તેમણે ટોણો મારતા પૂછ્યું હતું કે, NCB તમાકું અને ગાંજા વચ્ચે તફાવત કરી શકતું નથી.

વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકરે મહિલા આયોગને ફરિયાદ કરી

નવાબ મલિક મૂળ ઉત્તર પ્રદેશના બલરામપુરના છે

હવે આ વિવાદ નવા સ્તરે પહોંચી ગયો છે. નવાબ મલિકના સમર્થનમાં લગભગ આખું બોલિવૂડ બહાર આવ્યું છે. ખાસ કરીને લોબી જેનું નામ સુશાંત કેસ દરમિયાન હેડલાઇન્સમાં આવ્યું હતું. અભિનેત્રી પૂજા ભટ્ટે ટ્વીટ કરીને નવાબ મલિકનો આભાર માન્યો હતો. મલિકે તેના સ્પેશિયલ 26 પત્રમાં રિયા ચક્રવર્તી, તેના ભાઈ શવિકની સાથે ફિલ્મ અભિનેતા અરમાનનો પક્ષ પણ લીધો છે. હવે CBI સુશાંત કેસની તપાસ કરી રહી છે. નવાબ મલિક મહારાષ્ટ્રના રાજકારણમાં એક મોટું નામ છે. તેઓ એક સમયે મુલાયમ સિંહ યાદવની નજીક હતા. મહારાષ્ટ્રમાં સમાજવાદી પાર્ટીનો ઝંડો લહેરાવનાર કેટલાક નેતાઓમાં તેઓ એક હતા. નવાબ મલિક મૂળ ઉત્તર પ્રદેશના બલરામપુરના છે. BA પાસ કર્યા બાદ તેઓ 70 ના દાયકામાં પરિવાર સાથે મુંબઈ આવ્યા અને બિઝનેસ શરૂ કર્યો હતો. આ દરમિયાન તેઓ રાજકારણમાં પણ સક્રિય હતા. રામ મંદિર આંદોલન દરમિયાન મુલાયમ સિંહ યાદવથી પ્રભાવિત થઈને તેઓ સમાજવાદી પાર્ટી (SP) માં જોડાયા હતા.

નવાબ મલિક સાથે ઉભી છે સમગ્ર સરકાર

નવાબ મલિક (Nawab Malik) 1996 માં પ્રથમ વખત નહેરુ નગરના ધારાસભ્ય બન્યા હતા. સપાની ટિકિટ પર બીજી વખત જીત્યા. આ જીતનો સિલસિલો 2004 માં પણ યથાવત રહ્યો પરંતુ તેમની ત્રીજી જીત પહેલા તેઓ શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં જોડાયા. 2009 માં તેમણે વિધાનસભા ક્ષેત્ર બદલ્યું. અણુશક્તિ નગરથી ચૂંટણી લડવાનું શરૂ કર્યું. 2014 માં તેઓ શિવસેનાના તુકારામ રામકૃષ્ણ સામે ચૂંટણી હારી ગયા પરંતુ 2019 માં તેમને હરાવીને તેનો બદલો લીધો. અત્યારે તેઓ રાજ્યના કેબિનેટ પ્રધાન (Cabinet Minister) છે, જેમની સાથે સમગ્ર સરકાર ઉભી છે.

મહારાષ્ટ્ર સરકારના પ્રધાન નવાબ મલિકે સમીર સામે મોરચો ખોલ્યો

નવાબ મલિકના આક્ષેપોમાં કેટલી યોગ્યતા છે તે હવે પછી નક્કી થશે

હાલ NCB સમીર વાનખેડે (Sameer Wankhede) સામેના આરોપોની વિભાગીય તપાસ કરી રહી છે. ટ્વિટર સહિત અન્ય સ્થળોએ પણ લોકો સમીરના સમર્થનમાં આગળ આવ્યા છે. હવે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ નવાબ મલિકના આરોપો સામે વાંધો ઉઠાવ્યો છે. NCB ના એક અધિકારીએ કહ્યું કે, નવાબ મલિક મીડિયામાં આવીને માત્ર આરોપો લગાવી રહ્યા છે, પુરાવા નથી આપી રહ્યા. એક પ્રધાન તરીકે મુંબઈ પોલીસ એવા લોકોની સામે પણ કાર્યવાહી કરી શકે છે. જેમની ધરપકડ કરવા માટે તે NCB પાસે માગ કરી રહ્યા છે પરંતુ રાજ્ય પોલીસ નવાબ મલિકની યાદી સાથે આરોપીઓની પૂછપરછ પણ કરી રહી નથી. નવાબ મલિક (Nawab Malik) ના આરોપોમાં કેટલી યોગ્યતા છે તે હવે પછી નક્કી થશે.

આ પણ વાંચો: આર્યન ખાન જેલમાંથી મુક્ત, 'મન્નત' બહાર લોકોની ભીડ ઉમટી પડી

આ પણ વાંચો: નવાબ મલિકનું વિસ્ફોટક નિવેદન: આર્યનને NCBઓફિસ લઈ જવા વાળો શખ્સ જ જેલના સળીયા પાછળ

ABOUT THE AUTHOR

...view details