મૈસૂર (કર્ણાટક): કર્ણાટકના બીજેપી સાંસદ પ્રતાપ સિમ્હાએ એવું કહીને વિવાદ ઉભો કર્યો છે, (i will bulldoze gumbaz type bus shelters )કે તેઓ સમગ્ર શહેરમાં બાંધવામાં આવતા ગુંબજ જેવા બસ સ્ટેશનો પર બુલડોઝર ફેરવશે.
ગુંબજ આકારના બસ સ્ટેશનો પર બુલડોઝર ફેરવીશ દઈશઃ BJP સાંસદ
કર્ણાટકમાં બસ સ્ટેશન નિર્માણને લઈને વિવાદ ઉભો થયો છે. બીજેપી સાંસદ પ્રતાપ સિંહાએ કહ્યું કે, (i will bulldoze gumbaz type bus shelters )જો આ માળખું બદલવામાં નહીં આવે તો તેઓ પોતે તેના પર બુલડોઝર ચલાવશે.
જેસીબી લાવીને તોડી પાડીશ:રવિવારે મૈસુરમાં એક પુસ્તક વિમોચન સમારોહમાં બોલતા, (karnataka mp pratap simha )બીજેપી સાંસદે કહ્યું, 'મેં બસ સ્ટેશનોમાં ગુંબજ જેવી રચનાઓ જોઈ છે, મધ્યમાં એક મોટો ગુંબજ અને બંને બાજુ બે નાના ગુંબજ છે. આ એક મસ્જિદ સિવાય બીજું કંઈ નથી. ઇજનેરોએ આવા આશ્રયસ્થાનો દૂર કરવા પડશે નહીં તો હું જેસીબી લાવીને તોડી પાડીશ.
પુસ્તકનું વિમોચન:બીજેપી સાંસદ પ્રતાપ સિમ્હાએ પણ સવાલ ઉઠાવ્યો કે 'શું બસ શેલ્ટરનું મોડલ રાતોરાત બદલાઈ જાય છે?' તેમણે દાવો કર્યો કે મૈસૂરના મોટાભાગના વિસ્તારોમાં ડોમ મોડલ બસ શેલ્ટર બનાવવામાં આવી રહ્યા છે. મેં એન્જિનિયરોને બાંધકામ તોડી પાડવા કહ્યું છે. જો તેઓ આમ નહીં કરે તો હું જેસીબી લાવીને તોડી નાખીશ. કર્ણાટકના બીજેપી સાંસદ પ્રતાપ સિંહા 'ટીપુ નિજા કાનસુગલુ' પર લખાયેલ પુસ્તકનું વિમોચન કરવા પહોંચ્યા હતા.