ગુજરાત

gujarat

Karnataka Assembly Election 2023: ભાજપના નેતા ઈશ્વરપ્પાએ કોંગ્રેસનો મેનીફેસ્ટો સળગાવ્યો, ખડગેએ કહ્યું- આ જનતાનું અપમાન છે

By

Published : May 4, 2023, 5:18 PM IST

કર્ણાટકના પૂર્વ પ્રધાન અને બીજેપીના વરિષ્ઠ નેતા કેએસ ઇશ્વરપ્પાએ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના મેનિફેસ્ટો પર આગ લગાવી દીધી. કલબુર્ગીમાં પત્રકારો સાથે વાતચીત કરતા ઈશ્વરપ્પાએ કહ્યું કે બજરંગ દળ એક દેશભક્ત સંગઠન છે. તેમણે કોંગ્રેસ પર પીપલ્સ ફ્રન્ટ ઓફ ઈન્ડિયાને સમર્થન કરવાનો આરોપ લગાવ્યો.

BJP Leader KS Eshwarappa set fire to a copy of Congress election manifesto: Burning manifesto is not right, says Kharge
BJP Leader KS Eshwarappa set fire to a copy of Congress election manifesto: Burning manifesto is not right, says Kharge

કલબુર્ગી (કર્ણાટક): પૂર્વ પ્રધાન અને બીજેપીના વરિષ્ઠ નેતા કેએસ ઈશ્વરપ્પાએ બજરંગ દળ સંગઠન પર પ્રતિબંધ મૂકવાની કોંગ્રેસ પાર્ટીની નીતિની નિંદા કરી. જેના વિરોધમાં તેઓએ અહીં ભાજપ કાર્યાલય ખાતે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાની નકલ પણ બાળી હતી. તેઓ ગુરુવારે ભાજપ જિલ્લા કાર્યાલય ખાતે પત્રકાર પરિષદને સંબોધી રહ્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસ દેશ વિરોધી ઢંઢેરા સાથે ચૂંટણી લડી રહી છે. PFI તરફી કોંગ્રેસ હવે રાષ્ટ્રવાદી બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાની વાત કરી રહી છે.

કોંગ્રેસ પર પ્રહાર:ઈશ્વરપ્પાએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાને મોહમ્મદ અલી ઝીણાનો ઢંઢેરો ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે આવા રાષ્ટ્રવિરોધી ઢંઢેરાને તાત્કાલિક પાછો ખેંચી લેવો જોઈએ. તેમણે કહ્યું કે રાષ્ટ્રવિરોધી કોંગ્રેસ પાર્ટીમાં પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને KPCC પ્રમુખ ડીકે શિવકુમાર જેવા જાતિવાદી લોકો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો 'હિંદુ વિરુદ્ધ મુસ્લિમ ચૂંટણી' જેવો છે. ઈશ્વરપ્પાએ પડકાર ફેંક્યો કે જો કોંગ્રેસમાં હિંમત હોય તો તે જાહેર કરે કે તેને હિન્દુઓના મત નથી જોઈતા.

'અમારે દેશ વિરોધી મુસ્લિમોના વોટ જોઈતા નથી. તેમણે કહ્યું કે આપણને દેશભક્ત મુસ્લિમોના વોટની જરૂર છે. ઈશ્વરપ્પાએ કહ્યું કે કોંગ્રેસના નેતાઓ પણ નથી જાણતા કે PFI આ દેશમાં પ્રતિબંધિત સંગઠન છે. પૂર્વ નાયબ મુખ્યપ્રધાન કે.એસ. ઇશ્વરપ્પાએ કહ્યું કે કોંગ્રેસ સરકારે PFI નેતાઓ સામેના 173 કેસ પાછા ખેંચી લીધા છે. દેશદ્રોહી કૃત્યોનું સમર્થન કરતી કોંગ્રેસ પાર્ટીને 'બંધારણ પવિત્ર છે' એમ કહેવાનો કોઈ અધિકાર નથી.' -કે.એસ ઈશ્વરપ્પા, બીજેપીના વરિષ્ઠ નેતા

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની પ્રતિક્રિયા:કલબુર્ગીમાં મેનિફેસ્ટો સળગાવવા પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે મેનિફેસ્ટો ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન પહેલા જ બજરંગ દળ પર પ્રતિબંધની વાત કરી ચૂક્યા છે. તેમણે કહ્યું કે મેનિફેસ્ટો સળગાવવાનું ખોટું છે. ઇશ્વરપ્પાએ અમારી પાર્ટીએ લોકોને આપેલી બાંયધરીઓને બાળી નાખી છે. આ લોકોનું અપમાન છે. ઇશ્વરપ્પાએ લોકશાહીનું અપમાન કર્યું છે. તેમણે કહ્યું કે લોકશાહીમાં સહિષ્ણુતા હોવી જોઈએ. હિંદુ વિરોધી હોવાના આરોપો પર ખડગેએ કહ્યું કે આ તેમનો મુદ્દો છે, તેમની માન્યતા અલગ છે, અમારી માન્યતા અલગ છે.

આ પણ વાંચોPM Modi's rally in Mudbidri : પીએમ મોદીએ કહ્યું- કોંગ્રેસ છે કર્ણાટકમાં શાંતિ અને વિકાસની દુશ્મન

આ પણ વાંચોRahul Gandhi in Ranchi Court: મોદી અટક કેસમાં રાહુલને રાંચી કોર્ટમાં હાજર થવાનો કડક આદેશ, અરજી ફગાવી

ABOUT THE AUTHOR

...view details