હૈદરાબાદઃ ઈન્ડો પેસિફિકમાં ભારત અને ચીન વચ્ચે તણાવ વધી રહ્યો છે. જેમાં 'સ્ટ્રિંગ ઓફ પર્લ થીયોરી' અને 'હીરાનો હાર' સ્પર્ધા ચરમસીમા પર છે. આ બધા પડકારોનો સામનો કરવા માટે ઈન્ડિયન નેવી વિશ્વમાં શ્રેષ્ઠતમ એવા જહાજો, સબમરિન, વિમાન વાહક જહાજ, માનવ રહિત નાના જહાજો જેવા સંસાધનોથી લેસ છે. સ્ટ્રેટેજી અને ટેકનોલોજીમાં આવેલા પરિવર્તનને પરિણામે ભારતીય નેવીએ પોતાની ભૂમિકા મેરિટાઈમ સ્ટ્રેટેજી ડોક્યુમેન્ટ (2004-2015)માં દર્શાવી છે.
સામુદ્રિક ક્ષેત્રે નવી દિલ્હી માટે બેજિંગ(ચીન) એક મોટો પડકાર છે. ચીને ભારતને દરિયામાં ઘેરવા માટે પાકિસ્તાન, બાંગ્લાદેશ, બર્મા, શ્રીલંકા અને થાઈલેન્ડ પર દબાણ ઊભુ કર્યુ છે. ભારત માટે ચિંતાનો વિષય માત્ર ચીની યુદ્ધ તોપો અને એટોમિક સબમરિન જ નથી, પરંતુ ભારતીય જળ સીમામાં માછીમારી માટે મોટી સંખ્યામાં આવતા મલેશિયા અને ચીની જહાજો પણ છે. આ ઉપરાંત ચીન દરિયાના પાણીની સપાટી નીચે જે હરકતો કરે છે તેનાથી પણ ભારતને જોખમ છે. ડિસેમ્બર 2019થી ફેબ્રુઆરી 2020 સુધીમાં ચીને દરિયાના પાણીની સપાટી નીચે ચીની નેવીએ 12 અન્ડર વોટર ડ્રોનની એક ફ્લીટ સ્ટેન્ડ બાય કરી હતી. જાન્યુઆરી 2023માં ચીને પ્રથમ માનવ રહિત ડ્રોન વાહક ઝુ હાઈ યુન લોન્ચ કર્યુ, જેને દૂરથી નિયંત્રિત કરી શકાય તેમજ તે પોતે પણ જાતે નેવિગેટ થઈ શકે છે. નવી દિલ્હીને ડર છે કે બેજિંગ(ચીન) દરિયાઈ સીક્રેટ મિશન માટે અનમેન્ડ અન્ડરવોટર વ્હીકલ(યુયુવી)નો ઉપયોગ કરે છે. જો દરિયાઈ મેઈન ચેકપોસ્ટ અને મહત્વના સ્થળોએ નિરીક્ષણ વધારી દેવામાં આવે તો આ ગતિવિધિને અટકાવી શકાય છે.
ભારતીય નેવી હવે પોતાને આત્મનિર્ભર બનાવવામાં જોતરાયેલી છે. વિદેશોની નિર્ભરતા છોડીને ભારતીય નેવી 2035 સુધીમાં 175 સામુદ્રિક જહાજો સાથે સજ્જ હશે. જેના માટે 43 જહાજોનું નિર્માણ થઈ રહ્યું છે. 43માંથી 41 જહાજોનું નિર્માણ ભારતીય શિપયાર્ડમાં કરવામાં આવી રહ્યું છે. અન્ય 49 જહાજો અને સબમરિનના નિર્માણનો પ્રસ્તાવ રજૂ કરી દેવાયો છે. ભારતીય નેવીના મેરિટાઈમ કેપેબિલિટી પર્સપેક્ટિવ પ્લાન(2012-27) અંતર્ગત પાંચ કલવરી ક્લાસ સબમરિન અને અન્ય 24 બોટ્સ સામેલ કરવા છતાં 8 બોટની ઘટ પડે છે. ભારત પાસે અત્યારે બે વિમાન વાહક જહાજ છે. આઈએનએસ વિક્રમાદિત્ય અને આઈએનએસ વિક્રાંત. ત્રીજા વિમાનવાહક જહાજ પર હાલ કામ ચાલી રહ્યું છે. જે આઈએનએસ વિક્રાંત જહાજનું અપડેટેડ વર્ઝન હશે.
આ ઉપરાંત નેવીને નજીકના ભવિષ્યમાં અનમેન્ડ સરફેસ વેસલ્સ(યુએસવી) અને અનમેન્ડ અન્ડરવોટર વ્હીકલ(યુયુવી)ની જરુર પડવાની છે. તેથી 2021થી 2030 સુધી માનવ રહિત પ્લેટફોર્મનો વિકાસ કરવા માટે ભારતે 'ઈન્ટીગ્રેટેડ અનમેન્ડ રોડમેપ ફોર ઈન્ડિયન નેવી' લોન્ચ કર્યો છે. ભારતીય નેવી 2022માં યુદ્ધ જહાજો માટે 40 નેવલ અનમેન્ડ એરીયલ સીસ્ટમ(એનયુએએસ) ગ્લોબલ ટેન્ડર લઈને આવી હતી. અંદાજિત 1300 કરોડ રુપિયાના કુલ 10 એનયુએએસ જહાજો મેળવવાની પ્રક્રિયા ફાસ્ટ ટ્રેક મોડ પર ચાલી રહી છે. ગાર્ડન રિચ શિપ બિલ્ડર્સ અને એન્જિનિયર્સ લિમિટેડે 28 જુલાઈ, 2023ના રોજ એક અયુવી લોન્ચ કર્યુ. આ સાધનની મદદથી દરિયામાં રહેલ ખીણો શોધી શકાય છે અને ખીણો તેમજ પાણી નીચે મોનિટરિંગ કરી શકાય છે.
તેમજ ભારતીય નેવી માનવ રહિત સંસાધન ક્ષેત્રે આત્મનિર્ભર બનવા માટે પ્રાઈવેટ ઉદ્યોગોને પણ સામેલ કરવાની યોજના ચલાવી રહી છે. લાર્સન એન્ડ ટુબ્રો કંપની દ્વારા અન્ડરવોટર ડ્રોન અદમ્ય, અમોઘ અને માયા તૈયાર કરવામાં આવ્યા છે. સાગર ડિફેન્સ એન્જિનિયરિંગ લિમિટેડ દ્વારા ટાર્ડિડ ટેકનોલોજીથી સજ્જ યુએસવી તૈયાર કરવામાં આવ્યા. યુએસવી પારાશર તેનું ઉત્તમ ઉદાહરણ છે.