નવી દિલ્હી: ભારતીય નૌસેનાના વિશિષ્ટ મરિન કમાન્ડો 'માર્કોસ' એ શુક્રવારે ઉત્તર અરબી સમુદ્રમાં લાઇબેરીયન ધ્વજવાળા કોમર્શિયલ જહાજને હાઇજેક કરવાના પ્રયાસ સામે કાર્યવાહી કરતા શુક્રવારે 15 ભારતીયો સહિત તમામ 21 ક્રૂ સભ્યોને બચાવ્યા હતા. પાંચ-છ હથિયારધારી શખ્સોએ આ જહાજને હાઇજેક કરવાનો પ્રયાસ કર્યો હતો. નૌકાદળે એમવી લીલા નોરફૉકને હાઇજેક કરવાના પ્રયાસ બાદ મદદ માટે એક યુદ્ધ જહાજ, મેરીટાઇમ પેટ્રોલિંગ એરક્રાફ્ટ, હેલિકોપ્ટર અને P-8I અને લાંબા અંતરના એરક્રાફ્ટ અને પ્રિડેટર MQ9B ડ્રોન તૈનાત કર્યા હતા.
ભારતીય નૌસેનાની મોટી કાર્યવાહી: નૌસેનાના પ્રવક્તા કમાન્ડર વિવેક મધવાલે જણાવ્યું હતું કે, 'જહાજમાં સવાર 15 ભારતીયો સહિત તમામ 21 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.' તેમણે કહ્યું, 'માર્કોસ કમાન્ડોએ જહાજની તપાસ કરી અને પુષ્ટિ કરી કે તેમાં કોઈ હાઇજેકર્સ સવાર નથી. દરિયાઈ ચાંચીયાઓએ ભારતીય નૌસેનાના યુદ્ધપોત અને પેટ્રોલિંગ એરક્રાફ્ટની હાજરની જોતા અને ભારતીય નૌસેનાની ચેતવણીને જોતા કોમર્શિયલ જહાંજને અપહૃત કરવાનો પ્રયાસ છોડી દીધો હતો.