ગુજરાત

gujarat

Delhi Snooping Case: કથિત જાસૂસી કેસમાં મનીષ સિસોદિયાની વધી મુસીબતો

By

Published : Feb 22, 2023, 7:39 PM IST

જાસૂસી કેસમાં મનીષ સિસોદિયાની મુસીબત વધી શકે છે. ગૃહ મંત્રાલયે 'ફીડબેક યુનિટ' કથિત જાસૂસી કેસમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપી છે.

જાસૂસીની ફરિયાદ પર કેસ દાખલ કરવામાં આવશે- સિસોદિયા
જાસૂસીની ફરિયાદ પર કેસ દાખલ કરવામાં આવશે- સિસોદિયા

નવી દિલ્હી:ગૃહ મંત્રાલયે ભ્રષ્ટાચાર સંબંધિત અન્ય એક કેસમાં દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા વિરુદ્ધ કેસ નોંધવાની મંજૂરી આપી છે. દારૂ કૌભાંડ બાદ હવે જાસૂસી કેસમાં સિસોદિયાની મુસીબત વધી શકે છે.

સિસોદિયાની મુસીબત વધી:સીબીઆઈએ દિલ્હી સરકાર દ્વારા રચવામાં આવેલ ફીડબેક યુનિટની સ્થાપના અને યુનિટ દ્વારા રાજકીય જાસૂસી અને અન્ય દુરુપયોગની ફરિયાદો મળ્યા બાદ મનીષ સિસોદિયા અને અન્ય લોકો સામે કાર્યવાહી કરવાની પરવાનગી માંગી હતી. લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ ગયા મહિને જ તેને મંજૂરી આપી હતી અને આગળની મંજૂરી માટે ફાઇલને ગૃહ મંત્રાલયને મોકલી હતી. હવે ગૃહ મંત્રાલયે પણ સીબીઆઈને કેસ નોંધવાની મંજૂરી આપી દીધી છે.

રાજકીય વિરોધીઓની જાસૂસી:દિલ્હી સરકારે ફેબ્રુઆરી 2016માં ફીડબેક યુનિટની રચના કરી હતી. પછી તેમાં 20 અધિકારીઓ સાથે કામ કરવાનું શરૂ કર્યું. આરોપ છે કે ફીડબેક યુનિટે ફેબ્રુઆરીથી સપ્ટેમ્બર 2016 દરમિયાન રાજકીય વિરોધીઓની જાસૂસી કરી હતી. ફીડબેક યુનિટમાં માત્ર ભાજપના નેતાઓ જ નહીં, AAP સાથે જોડાયેલા નેતાઓ પર પણ નજર રાખવામાં આવી હતી. ફીડબેક યુનિટ શરૂ કરવા માટે લેફ્ટનન્ટ ગવર્નર પાસેથી કોઈ પરવાનગી લેવામાં આવી ન હતી. આરોપ છે કે સરકારી યોજનાઓ વગેરે સંબંધિત કામો સિવાય યુનિટે રાજકીય ગુપ્ત માહિતી પણ એકત્રિત કરી હતી. સીબીઆઈને પ્રારંભિક તપાસમાં પુરાવા મળ્યા, ત્યારપછી આગળની કાર્યવાહી માટે રિપોર્ટ 12 જાન્યુઆરી 2023ના રોજ એલજીને મોકલવામાં આવ્યો.

આ પણ વાંચો:Roopa IPS vs Rohini IAS : બે વરિષ્ઠ મહિલા અધિકારીઓ વચ્ચેના વિવાદ મામલે IPS રૂપાનો ઓડિયો વાયરલ

મનીષ સિસોદિયા સામે કાર્યવાહી: સીબીઆઈ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં દાવો કરવામાં આવ્યો હતો કે આમ આદમી પાર્ટીની સરકાર ફીડબેક યુનિટ દ્વારા રાજકીય ગુપ્ત માહિતી પણ એકત્રિત કરી રહી છે. સીબીઆઈએ 12 જાન્યુઆરી 2023ના રોજ તકેદારી વિભાગને એક અહેવાલ સુપરત કર્યો હતો. જેમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અને આઈપીસીની વિવિધ કલમો હેઠળ મનીષ સિસોદિયા વિરુદ્ધ કેસ નોંધવા માટે લેફ્ટનન્ટ ગવર્નરની મંજૂરી માંગવામાં આવી હતી. જે મંજૂર કરવામાં આવેલ છે. મનીષ સિસોદિયા ઉપરાંત, સીબીઆઈએ પૂર્વ તકેદારી નિર્દેશક આરકે સિંહા, દિલ્હી સરકારના ફીડબેક યુનિટના અધિકારી પ્રદીપ કુમાર પુંજ અને સતીશ અને મુખ્યમંત્રીના સલાહકાર ગોપાલ મોહન સામે કેસ ચલાવવાની મંજૂરી માંગી હતી, જેના પર મંત્રાલયે આગળની કાર્યવાહી માટે મંજૂરી આપી દીધી છે.

વિપક્ષના પ્રહારો:બીજેપી નેતા હરીશ ખુરાનાએ સિસોદિયા સામે ભ્રષ્ટાચારનો બીજો કેસ ચલાવવાની મંજૂરી મળતાની સાથે જ પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું છે કે દિલ્હીના મનીષ સિસોદિયા વિરુદ્ધ આ ચોથો કેસ છે. જેમાં તેઓ ભ્રષ્ટાચારમાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે. તેમને તેમના પદ પર રહેવાનો કોઈ નૈતિક અધિકાર નથી. તે જ સમયે કપિલ મિશ્રાએ કહ્યું કે ગૃહ મંત્રાલયે મનીષ સિસોદિયાની તપાસના આદેશ આપ્યા છે. કેજરીવાલ અને સિસોદિયાએ વિપક્ષ, તેમની પાર્ટીના નેતાઓ, પીએસી સભ્યો, એકબીજાના પરિવારના સભ્યોની જાસૂસી કરાવી હતી. સિસોદિયા સામે ભ્રષ્ટાચારનો આ ચોથો કેસ છે. ટૂંક સમયમાં મનીષ સિસોદિયા સત્યેન્દ્ર જૈન સાથે તિહારમાં હશે.

આ પણ વાંચો:Shelly Oberoi Becomes Delhi Mayor : AAPના શૈલી ઓબેરોય બન્યા દિલ્હીના મેયર

કાયદાકીય કાર્યવાહી:જાન્યુઆરી મહિનામાં લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ CBIને મનીષ સિસોદિયા વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 2018 હેઠળ કેસ નોંધવાની મંજૂરી આપી હતી. આ સાથે લેફ્ટનન્ટ ગવર્નરે આ યુનિટના અન્ય અધિકારીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવા અંગે ગૃહ મંત્રાલયને પત્ર લખ્યો હતો. હવે મંત્રાલયે સિસોદિયા સામે કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે.

ABOUT THE AUTHOR

...view details