ગુજરાત

gujarat

શું તમે જાણો છો આપણો રાષ્ટ્રધ્વજ પહેલીવાર ક્યાં ફરકાવવામાં આવ્યો હતો?

By

Published : Aug 6, 2022, 4:42 PM IST

આપણો દેશ 15 ઓગસ્ટ, 1947ના રોજ આઝાદ થયો (75th independence day) હતો. ત્યારે અમે તમારા માટે આઝાદી સાથે જોડાયેલા (independence day 2022) કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો અને તેના જવાબો લઈને (Har Ghar Tiranga) આવ્યા છીએ. આઝાદી સાથે જોડાયેલા (Azadi Ka Amrit Mahotsav) આ પ્રશ્નો એટલા મહત્વના છે કે, દરેક ભારતીય માટે તેના જવાબો જાણવા જરૂરી છે.

har ghar tiranga campaign
har ghar tiranga campaign

ન્યુઝ ડેસ્ક: ભારત આ વર્ષે તેનો 75મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ (75th independence day) રહ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Azadi Ka Amrit Mahotsav) દેશવાસીઓને 'હર ઘર તિરંગા અભિયાન'માં (Har Ghar Tiranga) ભાગ લેવા વિનંતી કરી છે. સરકારે દેશના લોકોને 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી ધ્વજ (har ghar tiranga campaign) ફરકાવવાનું કહ્યું છે. આવી સ્થિતિમાં, અમે તમારા માટે સ્વતંત્રતા સાથે જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો (independence day 2022) અને તેમના જવાબો લઈને આવ્યા છીએ. આઝાદી સાથે જોડાયેલા આ પ્રશ્નો એટલા મહત્વના છે કે, દરેક ભારતીય માટે તેના જવાબો જાણવા જરૂરી છે.

આઝાદીના 75 વર્ષ: આપણે બધા જાણીએ છીએ કે, આપણો દેશ 15 ઓગસ્ટ, 1947ના રોજ આઝાદ (har ghar tiranga campaign) થયો હતો. પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે, ભારતના રાષ્ટ્રધ્વજનો ત્રિરંગો પહેલીવાર ક્યારે ફરકાવ્યો હતો. તમને જાણીને થોડું આશ્ચર્ય થશે કે, આઝાદીના 41 વર્ષ પહેલા આપણો રાષ્ટ્રધ્વજ ત્રિરંગો ફરકાવવામાં આવ્યો હતો. આજે અમે તમને તેની સાથે જોડાયેલી આખી વાત જણાવીશું. આ સિવાય અમે આવા જ કેટલાક સવાલોના જવાબ પણ આપીશું, જે સ્વતંત્રતા દિવસના અવસર પર સૌથી વધુ પૂછવામાં આવે છે, પરંતુ તેમના જવાબો બહુ ઓછા લોકો જાણે છે.

પ્રશ્ન- ભારતનો રાષ્ટ્રધ્વજ પ્રથમવાર ક્યારે અને ક્યાં ફરકાવવામાં આવ્યો હતો?

જવાબ- 7 ઓગસ્ટ 1906ના રોજ કોલકાતાના પારસી બાગન ચોક (ગ્રીન પાર્ક)માં બંગાળના વિભાજનના વિરોધમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં પહેલીવાર ત્રિરંગો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ ધ્વજમાં ત્રણ આડી પટ્ટીઓ હતી, જે લાલ, પીળી અને લીલી હતી. ટોચ પર એક લીલી પટ્ટી હતી, જેના પર કમળના ફૂલો બનાવવામાં આવ્યા હતા. તેમજ મધ્યમાં એક પીળી પટ્ટી હતી, જેના પર 'વંદે માતરમ' લખેલું હતું. જ્યારે તળિયે લાલ પટ્ટી હતી. જેના પર ચંદ્ર અને સૂર્ય બનાવવામાં આવ્યા હતા.

પ્રશ્ન- ભારતના ત્રિરંગા ધ્વજમાં ફરતા ચક્રની જગ્યાએ અશોક ચક્ર ક્યારે અસ્તિત્વમાં આવ્યું?

જવાબ -વર્ષ 1947 માં

પ્રશ્ન- વર્તમાન રાષ્ટ્રધ્વજની રચના કોણે કરી?

જવાબ -પિંગલી વેંકૈયા

પ્રશ્ન- ભારતના રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર કેટલો છે?

જવાબ-ભારતના રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર 3:2 છે.

પ્રશ્ન- દેશમાં કયા કાયદા હેઠળ તિરંગો ફરકાવવાના નિયમો બનાવવામાં આવ્યા છે?

જવાબ-ભારતીય ધ્વજ સંહિતા

પ્રશ્ન- દેશની સર્વોચ્ચ અદાલતે કઈ કલમ હેઠળ ધ્વજ લહેરાવવાના અધિકારને મૂળભૂત અધિકાર તરીકે જાહેર કર્યો છે?

જવાબ- કલમ 19 (i)

ABOUT THE AUTHOR

...view details