ગુજરાત

gujarat

G20 Summit 2nd day: બીજા દિવસના સત્રની શરૂઆત પહેલા વિશ્વના નેતાઓએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી

By ETV Bharat Gujarati Team

Published : Sep 10, 2023, 2:00 PM IST

G20 સમિટના સમાપનની જાહેરાત પીએમ મોદીએ કરી દીધી છે. આજના સત્રની શરૂઆત પહેલા વિશ્વના નેતાઓએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.

HN-NAT-10-09-2023-G20 Summit: World leaders arrive at Rajghat to pay tribute to Mahatma Gandhi
HN-NAT-10-09-2023-G20 Summit: World leaders arrive at Rajghat to pay tribute to Mahatma Gandhi

નવી દિલ્હી:ભારતની અધ્યક્ષતામાં યોજાયેલી G20 સમિટના બીજા દિવસે વિશ્વના નેતાઓએ રવિવારે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજઘાટની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીના સ્મારક પર પુષ્પાંજલિ સમારોહમાં ભાગ લેવા આવેલા વિશ્વ નેતાઓનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજઘાટ પર પહોંચેલા વિશ્વ નેતાઓનું એક પછી એક ખાદી ભેટ આપીને સ્વાગત કર્યું હતું.

વિશ્વના નેતાઓએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડનનું ખાદીની શાલ ઓઢાડીને સ્વાગત:આ દરમિયાન બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા રાજઘાટ પહોંચ્યા હતા. નેધરલેન્ડના વડાપ્રધાન માર્ક રુટે પણ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા અને પુષ્પાંજલિ અર્પણ કરવા દિલ્હીના રાજઘાટ પહોંચ્યા હતા. બંને નેતાઓએ એકબીજાને અભિનંદન આપ્યા અને કેમેરા સામે પોઝ આપ્યા હતા. મોરેશિયસના પીએમ પ્રવિંદ કુમાર જુગનાથ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે દિલ્હીના રાજઘાટ પહોંચ્યા હતા.

અસદ બિન તારિક, ઓમાનના નાયબ વડા પ્રધાન

ઓમાનના નાયબ વડાપ્રધાન અસદ બિન તારિક બિન તૈમૂર અલ સઈદ રાજઘાટ પહોંચ્યા:પીએમ મોદીએ ખાદીની ભેટ આપીને તેમનું સ્વાગત કર્યું હતું. સિંગાપોરના વડાપ્રધાન લી સિએન લૂંગે પણ રાજઘાટની મુલાકાત લીધી હતી. ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા રાજઘાટ પહોંચ્યા.

વિશ્વના નેતાઓએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી

યુનાઇટેડ નેશન્સ સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ,એશિયન ડેવલપમેન્ટ બેંક મસાત્સુગુ આસાકાવા, વિશ્વ આરોગ્ય સંસ્થાના મહાનિર્દેશક ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસ, વિશ્વ બેંકના વડા અજય બંગા, આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જિવા અને અન્ય પ્રતિનિધિઓ મહાત્માને શ્રદ્ધાંજલિ આપવા રાજઘાટ પહોંચ્યા. રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ નેતાઓ અને પ્રતિનિધિમંડળના વડા ભારત મંડપમ ગયા હતા.

બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના
  1. G20 Summit: ભારત મંડપમમાં ભરાયા પાણી, કોંગ્રેસે વીડિયો શેર કરીને મોદી સરકાર પર કટાક્ષ કર્યો
  2. G20 Summit 2nd day: PM મોદીએ G20 સમિટના સમાપનની જાહેરાત કરી
    PM મોદીએ રાજઘાટ પર વિદેશી મહેમાનોનું સ્વાગત કર્યું

ભારત મંડપમમાં વૃક્ષારોપણ સમારોહનું આયોજન કરવામાં આવશે. આ પછી નેતાઓ G20 સમિટના ત્રીજા સત્ર 'વન ફ્યુચર'માં ભાગ લેશે. અગાઉ શનિવારે રાજઘાટ ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આયોજિત G20 વિશેષ રાત્રિભોજનમાં વિશ્વના નેતાઓએ હાજરી આપી હતી. રાષ્ટ્રપતિ મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું સ્વાગત કર્યું.

(ANI)

ABOUT THE AUTHOR

...view details