નવી દિલ્હી:ભારતની અધ્યક્ષતામાં યોજાયેલી G20 સમિટના બીજા દિવસે વિશ્વના નેતાઓએ રવિવારે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજઘાટની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીના સ્મારક પર પુષ્પાંજલિ સમારોહમાં ભાગ લેવા આવેલા વિશ્વ નેતાઓનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજઘાટ પર પહોંચેલા વિશ્વ નેતાઓનું એક પછી એક ખાદી ભેટ આપીને સ્વાગત કર્યું હતું.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડનનું ખાદીની શાલ ઓઢાડીને સ્વાગત:આ દરમિયાન બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા રાજઘાટ પહોંચ્યા હતા. નેધરલેન્ડના વડાપ્રધાન માર્ક રુટે પણ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા અને પુષ્પાંજલિ અર્પણ કરવા દિલ્હીના રાજઘાટ પહોંચ્યા હતા. બંને નેતાઓએ એકબીજાને અભિનંદન આપ્યા અને કેમેરા સામે પોઝ આપ્યા હતા. મોરેશિયસના પીએમ પ્રવિંદ કુમાર જુગનાથ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે દિલ્હીના રાજઘાટ પહોંચ્યા હતા.
ઓમાનના નાયબ વડાપ્રધાન અસદ બિન તારિક બિન તૈમૂર અલ સઈદ રાજઘાટ પહોંચ્યા:પીએમ મોદીએ ખાદીની ભેટ આપીને તેમનું સ્વાગત કર્યું હતું. સિંગાપોરના વડાપ્રધાન લી સિએન લૂંગે પણ રાજઘાટની મુલાકાત લીધી હતી. ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા રાજઘાટ પહોંચ્યા.