ગુજરાત

gujarat

Nupur Sharma: સસ્પેન્ડેડ બીજેપી નેતા નુપુર શર્માને બંદૂકનું લાઈસન્સ મળ્યું

By

Published : Jan 12, 2023, 8:51 PM IST

ભાજપમાંથી (BJP) સસ્પેન્ડ કરાયેલી નૂપુરે દિલ્હી પોલીસને ફરિયાદ કરી હતી કે તેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. 26 મેના રોજ એક ટીવી ડિબેટમાં પયગંબર મોહમ્મદ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેના પછી માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં હંગામો થયો હતો.

nupur sharma got arms license
nupur sharma got arms license

નવી દિલ્હી: ભાજપમાંથી હાંકી કાઢવામાં આવેલી નુપુર શર્માને હથિયાર રાખવાનું લાયસન્સ મળી ગયું છે. દિલ્હી પોલીસ અધિકારીનું કહેવું છે કે તેમને આ લાઇસન્સ સ્વરક્ષણ માટે આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા પહેલા નુપુર બીજેપીના પ્રવક્તા હતા. તેણે ટીવી ડિબેટમાં પ્રોફેટ મોહમ્મદ પર કથિત રીતે વાંધાજનક ટિપ્પણી કરી હતી, જેનો દેશ અને વિદેશમાં દરેક જગ્યાએ જોરદાર વિરોધ થયો હતો. જેના કારણે પાર્ટીએ તેમની હકાલપટ્ટી કરી હતી.

સસ્પેન્ડેડ બીજેપી નેતા નુપુર શર્માને બંદૂકનું લાઈસન્સ મળ્યું

પયગંબર મોહમ્મદ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું:ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલી નૂપુરે દિલ્હી પોલીસને ફરિયાદ કરી હતી કે તેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે અને તેણે હથિયાર રાખવાનું લાઇસન્સ માંગ્યું હતું. તેમણે 26 મેના રોજ એક ટીવી ડિબેટમાં પયગંબર મોહમ્મદ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેના પછી માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં હંગામો થયો હતો. વિશ્વના ઘણા દેશોએ તેમના નિવેદનની ટીકા કરી હતી અને ભારત સરકાર સામે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી હતી, ત્યારબાદ ભાજપે તેમને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા. તેના સમર્થનમાં આવેલા લોકો પણ તેનો ભોગ બન્યા હતા અને ઓછામાં ઓછા 2 લોકો માર્યા ગયા હતા.

આ પણ વાંચોSecurity breach at PM Modi's roadshow: કર્ણાટકમાં PM મોદીના રોડ શોમાં સુરક્ષાનો ભંગ, એક વ્યક્તિએ હાર પહેરાવવાનો કર્યો પ્રયાસ

નૂપુરને મળી હતી ધમકી:નૂપુરના સમર્થકોમાંના એક ઉમેશ કોલ્હેની મહારાષ્ટ્રના અમરાવતીમાં જૂનમાં હત્યા કરવામાં આવી હતી. થોડા દિવસો પછી રાજસ્થાનના ઉદયપુરમાં એક દરજીની હત્યા કરવામાં આવી હતી અને તેનું માથું કાપી નાખવામાં આવ્યું હતું. બાદમાં નુપુરના વકીલે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, તેના જીવને ખતરો છે. આ દરમિયાન કેટલાક વીડિયો પણ સામે આવ્યા હતા જેમાં તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

આ પણ વાંચોસરકારી જાહેરાતોના નામે પાર્ટીનો પ્રચાર થશે મોંઘો, AAPને 10 દિવસમાં 163.6 કરોડ ચૂકવવાની નોટિસ

નૂપુર શર્માએ માંગી હતી માફી:ભાજપે નુપુર શર્માની ટિપ્પણીઓથી પોતાને અલગ કર્યા અને તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા. આ મુદ્દે થયેલા હોબાળા બાદ, ભાજપે તેમની ટિપ્પણીથી પોતાને દૂર રાખીને એક નિવેદન બહાર પાડ્યું, જેમાં કહ્યું કે તે તમામ ધર્મોનું સન્માન કરે છે અને કોઈપણ ધર્મના આદરણીય લોકોનું અપમાન સ્વીકારતું નથી. નુપુર શર્માએ ભાજપમાંથી સસ્પેન્ડ કર્યા બાદ બિનશરતી પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું હતું. તેણે કહ્યું હતું કે તેનો ઈરાદો કોઈની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નહોતો. જુલાઈ મહિનામાં નુપુર સંબંધિત અરજીઓ પર સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તેણીએ દેશમાં આગ લગાવી હતી અને તેના માટે તેણે માફી માંગવી જોઈએ. કોર્ટે કહ્યું હતું કે, જે રીતે તેણે દેશભરની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે, દેશમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તેના માટે આ મહિલા જ જવાબદાર છે.

ABOUT THE AUTHOR

...view details