ગુજરાત

gujarat

COVID 19 INDIA એકટીવ કેસોની સંખ્યા 559 દિવસની અંદર સૌથી ઓછી

By

Published : Dec 11, 2021, 2:42 PM IST

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની તરફથી જાહેર કરાયેલ તાજા આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Covid 19 New Case) 7,992 જેટલા નવા કેસો સામે આવ્યા છે અને 393 દર્દીઓની મૃત્યુ થઈ (Deaths of 393 Covid patients) છે. દેશમાં સતત 44 દિવસથી ચેપના દૈનિક કેસોની સંખ્યા 15,000 થી નીચે (number of daily cases of infection since 44 days is below 15,000) જોવા મળી રહ્યો છે.

COVID 19 INDIA એકટીવ કેસોની સંખ્યા 559 દિવસમાં સૌથી ઓછી
COVID 19 INDIA એકટીવ કેસોની સંખ્યા 559 દિવસમાં સૌથી ઓછી

  • દેશમાં હજુ સુધી કુલ 3,41,14,331 લોકો સલામત
  • દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 7,992 નવા કેસ
  • આરોગ્ય મંત્રાલય પ્રમાણે ચેપના કેસોની સંખ્યા 15,000 થી નીચે

નવી દિલ્હી: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના (COVID 19 INDIA) 7,992 નવા કેસ (COVID 19 New Case) સામે આવ્યા છે, ત્યારબાદ કોરોના વાયરસથી ચેપગ્રસ્ત થનાર લોકોની કુલ સંખ્યા 3,46,682,736 થઈ ગઈ છે, જ્યારે ભારતમાં સારવાર લેતા દર્દીઓની સંખ્યાનો આંકડો 93,277 છે, જે 559 દિવસોના અનુસંધાને સૌથી ઉંચા સ્તર પર છે.

રાષ્ટ્રીય સ્તર પર સાજા થનાર દર્દીઓની સંખ્યાનો દર 98.36 ટકા

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની તરફથી શનિવારના સવારે જાહેર કરેલ આંકડા મુજબ, વધુ 393 દર્દીઓના મોતના તાંડવ બાદ મૃતકોની સંખ્યા વધીને હાલ દેશમાં સતત 4,75,128 થઇ ગયો છે. 44 દિવસથી દેશમાં સતત ચેપના કેસોની સંખ્યા 15,000 થી (number of daily cases of infection since 44 days is below 15,000) નીચે છે. આરોગ્ય મંત્રાલય દ્વારા માહિતી અપાઇ છે કે, કોરાનાની સારવાર લેનાર દર્દીઓની સંખ્યા ઘટીને 93,277 થઇ ગય છે, જે કુલ કેસોના 0.27 ટકા છે. આ સંખ્યા છેલ્લા 559 દિવસમાં સૌથી ઓછી છે. રાષ્ટ્રીય સ્તર પર સાજા થનાર દર્દીઓની સંખ્યાનો દર 98.36 ટકા છે અને તે માર્ચ, 2020 પછી સૌથી વધુ છે.

24 કલાકમાં સારવાર લેનાર દર્દીઓની સંખ્યા 1,666 જેટલી ઘટી

છેલ્લા 24 કલાકમાં સારવાર લેનાર દર્દીઓની સંખ્યા 1,666 જેટલી ઘટી છે. આ આંકડા અનુસાર, દિનપ્રતિદિન ચેપનો દર 0.64 ટકા નોંધાય છે, જે છેલ્લા 68 દિવસથી બે ટકાથી ઓછો છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.71 ટકા દાખલ કરવામાં આવ્યો છે, જે છેલ્લા 27 દિવસથી એક ટકાથી ઓછો છે.

દેશમાં હજુ સુધી કુલ 3,41,14,331 લોકો ચેપ મુક્ત

દેશમાં હજુ સુધી કુલ 3,41,14,331 લોકો ચેપ મુક્ત છે અને કોવિડ-19 થી મૃત્યુનો દર 1.37 ટકા (death rate from Covid-19 is 1.37 percent) છે. રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન (Nationwide Vaccination Campaign) અંતર્ગત અત્યાર સુધીમાં કોવિડ-19 રસી 131.99 કરોડથી વધુ લોકોને આપી ચૂંક્યા છીએ.

આ પણ વાંચો:Corona Update : દેશમાં છેલ્લા 24 કલાકમાં 14,313 નવા કેસ, 181 મૃત્યુ

આ પણ વાંચો:ગત બે દિવસમાં કોરોના કેસના રિપોર્ટમાં ઘટાડો : આરોગ્ય મંત્રાલય

ABOUT THE AUTHOR

...view details