ગુજરાત

gujarat

કોલસાની આયાતમાં અદાણી અને એસ્સાર ગ્રૂપ સામે વધુ ચાર્જ વસૂલવાના આરોપો સામે CBIને તપાસનો આદેશ આપ્યો

By ETV Bharat Gujarati Team

Published : Dec 20, 2023, 6:22 AM IST

દિલ્હી હાઈકોર્ટે CBI અને DRIને કોલસાની આયાતમાં ઓવરચાર્જ કરવાના મામલે અદાણી અને એસ્સાર ગ્રુપ સામે તપાસ કરવાનો આદેશ આપ્યો છે.

Etv Bharat
Etv Bharat

નવી દિલ્હી : અદાણી અને એસ્સાર ગ્રૂપ સહિત અન્ય કંપનીઓ દ્વારા કોલસાની આયાત માટે ઊંચા ભાવ વસૂલવાના આરોપોની તપાસ કરવા દિલ્હી હાઈકોર્ટે સીબીઆઈ અને ડીઆરઆઈ (ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ)ને નિર્દેશ આપ્યો છે. જસ્ટિસ સુરેશ કુમાર કૈતની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું કે આ મામલે વાસ્તવિક સ્થિતિની તપાસ થવી જોઈએ અને નિયમોનું ઉલ્લંઘન કરતી કંપનીઓ સામે પગલાં લેવા જોઈએ.

બે કંપની સામે તપાસના આદેશ : આ મામલે બે અરજી દાખલ કરવામાં આવી છે. પહેલી અરજી સેન્ટર ફોર પબ્લિક ઈન્ટરેસ્ટ લિટીગેશન વતી વકીલ પ્રશાંત ભૂષણ દ્વારા દાખલ કરવામાં આવી છે. બીજી અરજી કોમન કોઝ વતી હર્ષ મંડરે દાખલ કરી છે. અરજીમાં ડીઆરઆઈના રિપોર્ટની તપાસ માટે એસઆઈટીની રચના કરવાની માંગ કરવામાં આવી છે. જેમાં પાવર જનરેટ કરતી કંપનીઓ સામે વધુ ભાવ વસૂલવાની વાત કરવામાં આવી છે.

પહેલા નોટિસ આપવામાં આવી હતી :હર્ષ મંડરે પોતાની અરજીમાં આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે ડીઆરઆઈના રિપોર્ટના આધારે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં એસઆઈટીની રચના કરવામાં આવે. બંને અરજીમાં કહેવામાં આવ્યું છે કે ડીઆરઆઈએ ત્રણ પ્રોજેક્ટની તપાસ કરી હતી. આ પ્રોજેક્ટ પૈકી એક અદાણીનો, બીજો ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટ અને ત્રીજો પાવર પ્લાન પ્રોજેક્ટ છે. ડીઆરઆઈએ 2015માં એસ્સાર ગ્રુપને કારણદર્શક નોટિસ પણ જારી કરી હતી.

અન્ય દેશોએ પણ તપાસ કરવા કહ્યું : સુનાવણી દરમિયાન સીબીઆઈએ કહ્યું કે તે આ કેસ સાથે સંબંધિત અનેક પાવર જનરેશન કંપનીઓની તપાસ કરી રહી છે. આમાં કરવામાં આવેલ વ્યવહારો ખૂબ જટિલ છે અને તે વિદેશી દેશોના છે. જેના કારણે તપાસમાં પણ મુશ્કેલી પડી રહી છે. આ માટે અન્ય દેશોમાંથી પણ તપાસ માટે વિનંતી પત્ર મોકલવામાં આવ્યો છે.

  1. ગાંધીનગરમાં દક્ષિણ ભારતથી પરત ફરેલ 2 નાગરિકો કોરોના પોઝિટિવ, હોમ આઈસોલેટ કરાયા
  2. IRCTC લાવ્યું છે 10 દિવસીય દક્ષિણ દર્શન યાત્રા, કેટલો છે પેકેજ ચાર્જ અને કઈ મળશે સુવિધાઓ ???

ABOUT THE AUTHOR

...view details