- બધા પ્રધાનો માટે એક યાત્રા પ્રભારી અને 4 સહ પ્રભારી બનાવવામાં આવી રહ્યા છે
- ભાજપે મોદી મંત્રીમંડળમાં શામેલ 43 નવા મંત્રિઓ માટે જન આશીર્વાદ યાત્રાની યોજના બનાવી છે
- મોદી સરકારના નવા લીધેલા પ્રધાનો માટે ભાજપ જન આશીર્વાદ યાત્રા કાઢશે
નવી દિલ્હી- મોદી સરકારમાં શામેલ થયેલા નવા પ્રધાનોની જન આશીર્વાદ યાત્રા (Jan Ashirwad Yatra) મંદિર, મઠ, ગુરુદ્વારા અને શહીદોના ઘર પાસેથી નીકળશે. પ્રધાનો અહી થોડી વાર રોકાશે પણ અને મોદી સરકારની જન કલ્યાણકારી યોજનાઓ વિશે વાત કરશે. ભાજપે મોદી મંત્રીમંડળમાં શામેલ 43 નવા મંત્રિઓ માટે જન આશીર્વાદ યાત્રાની યોજના બનાવી છે. જે પ્રદેશમાં યાત્રા થવાની છે ત્યાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને તેમની ટીમને આ જવાબદારી સોંપવામાં આવી છે. બધા પ્રધાનો માટે એક યાત્રા પ્રભારી અને 4 સહ પ્રભારી બનાવવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો- વડાપ્રધાન-ગૃહપ્રધાનને સંબોધીને કચ્છ ભાજપની પરિસ્થિતી વર્ણવતો નનામી પત્ર થયો વાયરલ
પ્રધાનના લોકસભા વિસ્તારથી નજીક 300-400 કિલોમીટર દૂરથી યાત્રા શરૂ કરવામાં આવશે
16 ઓગસ્ટથી આ યાત્રાની શરૂઆત થશે અને બધા પ્રધાનોની યાત્રા લગભગ ત્રણ દિવસ ચાલશે. પ્રધાનના લોકસભા વિસ્તારથી નજીક 300-400 કિલોમીટર દૂરથી યાત્રા શરૂ કરવામાં આવશે, તેથી જન આશીર્વાદ યાત્રા લગભગ 4-5 જિલ્લાઓને જરૂર કવર કરશે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગે કહ્યું કે, મોદીના વડાપ્રધાન બન્યા પહેલાનો ઇતિહાસ રહ્યો છે કે, કેન્દ્ર સરકારના પ્રધાનો સામાન્ય જનતાથી ઘણા દૂર હોય છે, પરંતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ટ્રેન્ડને તોડવા માંગે છે. તેઓ ઇચ્છે છે કે, તેમના મંત્રિમંડળના બધા પ્રધાન જનતા સાથે જોડાયેલા રહે અને જનતાને તેમની સાથે પોતાપણાનો અહેસાસ થાય.