VHPના સ્થાપક અને અધ્યક્ષ પ્રવિણ તોગડીયા બોટાદની મુલાકાત બાદ પાલીતાણાની મુલાકાતે પહોંચ્યા હતાં. જ્યાં તેમણે VHPના કાર્યકરો સાથે બેઠક કરી પાલીતાણા ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી પણ આપી હતી. પાલીતાણા આવેલ પ્રવિણ તોગડીયાને મળવા માટે વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા.
સરકારની ૧૭ દેશો સાથેની મુક્ત વેપાર નીતિ દેશમાં 1 કરોડ લોકોને બેરોજગાર કરશે: પ્રવિણ તોગડીયા
ભાવનગરઃ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક અને અધ્યક્ષ પ્રવિણ તોગડીયા શુક્રવારે ભાવનગરના પાલીતાણા ખાતે આવ્યા હતાં. જ્યાં તેમણે VHPના આગેવાનો અને કાર્યકરોની મુલાકાત કરી હતી. પ્રવિણ તોગડીયાએ મીડિયા સાથેની વાતચીતમાં GDP અને સરકારની કેટલીક નીતિઓ અંગે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, હાલની સરકાર રિજીઓનલ ઇકોનોમિકલ કો.ઓપરેશન પાર્ટનરશીપ હેઠળ 17 દેશો સાથે મુક્ત વેપાર નીતિ અપનાવવા જઈ રહી છે. જેના કારણે આ દેશોમાં વધી પડતું દૂધ અને દૂધનો પાવડર ભારતમાં ઈમ્પોર્ટ થશે. જેથી ભારતના 1 કરોડ પશુપાલકો લોકોને સીધી અસર થશે અને તેઓ બેકાર બની જશે.
તદ્ઉપરાંત ચીનનો સસ્તો માલ ભારતમાં આવવાના કારણે અન્ય 50 લાખ લોકોની રોજગારી પણ છીનવાઈ જશે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, વર્લ્ડ બેન્ક મુજબ દેશની GDPમાં 1 ટકાનો ઘટાડો થશે. જેથી 1 કરોડ લોકો બેકાર બનશે. દેશમાં ધંધા-ઉદ્યોગ ભાંગી રહ્યા છે, તે સમયે ભારત સરકારે મુક્ત વ્યાપારનો નિર્ણય ન કરવો જોઈએ.
ફોર્મેટ : એવીબી
આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના સ્થાપક અને અધ્યક્ષ પ્રવીણ તોગડીયા આજે ભાવનગરના પાલીતાણા ખાતે આવ્યા હતા , જ્યાં તેમને આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના આગેવાનો અને કાર્યકરો સાથે મુલાકાત કરી હતી,જ્યારે મીડિયા સાથેની વાતચીત માં તેમણે જીડીપી અને સરકારની કેટલીક નીતિઓ અંગે સરકાર પર પ્રહાર કર્યા હતા.
Body:આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના સ્થાપક અને અધ્યક્ષ પ્રવીણ તોગડીયા આજે બોટાદની મુલાકાત બાદ ભાવનગર જિલ્લાના પાલીતાણાની મુલાકાતે પહોંચ્યા હતા.જ્યાં તેમણે આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના કાર્યકરો સાથે મિટિંગ યોજી હતી તેમજ પાલીતાણા ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી પણ આપી હતી. પાલીતાણા આવેલ પ્રવીણ તોગડીયાને મળવા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પહોંચ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથેની વાતચીત માં તેમણે જણાવ્યું હતું કે હાલની સરકાર રિજીઓનલ ઇકોનોમિકલ કો.ઓપરેશન પાર્ટનરશીપ હેઠળ 17 દેશો સાથે મુક્ત વેપાર નીતિ અપનાવવા જઈ રહી છે જેના કારણે આ દેશોમાં વધી પડતું દૂધ અને દૂધનો પાવડર ભારતમાં ઈમ્પોર્ટ થશે,જેનાથી ભારતના પશુપાલકો કે જેમનું ગુજરાન દૂધ ઉત્પાદન પર ચાલે તેવા 1 કરોડ લોકોને તેની સીધી અસર થશે અને આ 1 કરોડ લોકો બેકાર બની જશે, આ ઉપરાંત ચીનનો સસ્તો માલ ભારતમાં આવવાના કારણે અન્ય 50 લાખ લોકોની રોજગારી પણ છીનવાઈ જશે, સાથે તેમણે જણાવ્યું હતું કે વર્લ્ડ બેન્ક મુજબ દેશમાં 1 ટકો જીડીપી ઘટશે, 1 ટકો જીડીપી ઘટતા 1 કરોડ લોકો બેકાર બનશે, દેશમાં ઉદ્યોગ ધંધા ભાંગી રહ્યા છે આવા સમયે ભારત સરકારે મુક્ત વ્યાપાર નો નિર્ણય ના કરવો જોઈએ.Conclusion:પ્રવીણ તોગડીયાની સરકારને ટકોર કેટલી યોગ્ય છે તે આવનારો સમય જ બતાવશે પરંતુ દેશનો ઘટેલો જીડીપી અને વૈશ્વિક મંદીની કેટલી અસર આવનારા સમયમાં થશે તે જોવું રહ્યું.
બાઈટ- પ્રવીણ તોગડીયા-આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અધ્યક્ષ.