ગુજરાત

gujarat

આસામમાં પૂરની સ્થિતિ ખુબ જ ગંભીર, લગભગ 13 લાખ લોકો પ્રભાવિત

By

Published : Jul 13, 2020, 10:47 AM IST

આસામમાં પૂરની સ્થિતિ ખુબ જ ગંભીર બનતી જણાય છે. આસામના બારપેટા સૌથી વધુ પ્રભાવિત જિલ્લો છે, જ્યાં 3.84 લાખ લોકો પ્રભાવિત થયા છે તો ધીમજીમાં આશરે 1.31 લાખ લોકો અને ગોલાઘાટમાં 1.08 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે.

Assam's flood
આસામમાં પુર

આસામ/ગુવાહાટીઃ આસામમાં પૂર અને ભૂસ્ખલનમાં ચાર લોકોના મોત થયા છે. રાજ્યમાં કુદરતી આફતની સ્થિતી વધુ ગંભીર બનતી જણાય છે. રાજ્યના 24 જિલ્લાઓમાં આશરે 13 લાખ લોકો પ્રભાવિત થયા છે.

NDRFની ટીમોએ બચાવ કામગીરી હાથ ધરી હતી અને સતત વરસાદને પગલે બરપેટા જિલ્લામાં 487 ફસાયેલા ગ્રામજનોને બહાર કાઢ્યા હતાં. આ ઉપરાંત NDRFની ટીમોએ માસ્ક વિતરણ, ડૂબેલા વિસ્તારોની સ્ક્રિનીંગ અને કોવિડ-19 કટોકટીના કારણે યોગ્ય સામાજિક અંતર જાળવવામાં જિલ્લા વહીવટને પણ મદદ કરી હતી.

NDRFની ટીમોએ સ્થળ પર પહોંચી અને 777 ફસાયેલા ગ્રામજનોને સ્થળાંતર કરી સલામત સ્થળોએ ખસેડ્યા છે. આ ઉપરાંત ટીમો પણ જિલ્લા પ્રશાસનને માસ્ક વિતરણ, ડૂબેલા વિસ્તારોમાં તપાસ કરવામાં મદદ કરે છે અને COVID-19 મહામારીને લીધે યોગ્ય સામાજિક અંતર જાળવી રાખે છે. NDRFએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, પ્રથમ બટાલિયન દ્વારા ગુવાહાટીમાંથી આ વર્ષે ચોમાસાની ઋતુમાં 950થી વધુ ફસાયેલા ગ્રામજનોને સ્થળાંતર કરાયા છે. 18 જિલ્લામાં વિવિધ સ્થળોએ રસ્તાઓ, પુલ અને અન્ય માળખાઓને નુકસાન પહોંચ્યું છે

ASDMA અધિકારીઓએ ઉમેર્યું હતું કે, પૂરને કારણે લગભગ 810 મકાનો સંપૂર્ણ અથવા આંશિક રીતે નુકસાન થયું છે. ધીમાજી, લખીમપુર, વિશ્વનાથ, સોનિતપુર, ઉદલરુગૂ, દરાંગ, બક્સા, નલબારી, બારપેટા, ચિરાંગ સહિત 33 જિલ્લાઓમાં 12.97 લાખ લોકો પ્રભાવિત થયા છે. બારપેટા સૌથી વધુ પ્રભાવિત જિલ્લો છે, જ્યાં 3.84 લાખ લોકો પ્રભાવિત છે તો ધીમજીમાં આશરે 1.31 લાખ લોકો અને ગોલાઘાટમાં 1.08 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. શનિવાર સુધીમાં 20 જિલ્લાઓમાં પુરથી 6.01 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે.

વર્તમાનમાં પૂરની લહેરના કારણે ઓછામાં ઓછા 8.03 લાખ ઘરેલું પ્રાણીઓ અને 24.2 લાખ મરઘાં અસરગ્રસ્ત થયા છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, અસમ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના કર્મચારીઓ, સ્થાનિક વહીવટ સાથે અસરગ્રસ્ત લોકોને બચાવવા અને છૂટાછવાયા ગ્રામજનોને રાહત સામગ્રીના વિતરણ સહિત રાહત સેવાઓ આપવા માટે સતત કામ કરી રહ્યાં છે. આ દરમિયાન સતત ચોમાસાના વરસાદને કારણે પૂર્વોત્તર રાજ્યોમાં અનેક નદીઓ છે, હવામાન વિભાગે આગામી બે દિવસમાં વધુ વરસાદની આગાહી કરતા રવિવારે પણ પ્રદેશના અન્ય રાજ્યોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં.

ABOUT THE AUTHOR

...view details