Intro:Body:
https://www.etvbharat.com/english/national/bharat/bharat-news/madras-high-court-refuses-to-extend-parole-granted-to-nalini-a-convict-in-rajiv-gandhi-assassination-case/na20190912131305479
રાજીવ ગાંધીની ખૂની નલિનીએ કરેલી પેરોલ વધારવાની અરજી કોર્ટે ફગાવી
ચેન્નઈઃ ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યા કરનાર નલિની પુત્રીના લગ્ન માટે 30 દિવસ પેરોલ પર છુટી હતી. આ પેરોલની અવધિ વધારવા તેણે કોર્ટમાં અરજી કરી હતી.આજે મદ્રાસ હાઈકોર્ટે તેની અરજી નામંજૂર કરી છે.
ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યારી નલિનીએ પુત્રીના લગ્નમાં 6 મહિના માટે પેરોલ માગી કરી હતી. પરંતુ મદ્રાસ હાઈકોર્ટે નલિનીની પુત્રીના લગ્ન માટે 30 દિવસ માટે પેરોલ પર છોડવાની મંજૂરી આપી હતી.
ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યા દોષિત નલિનની પાછલા 27 વર્ષથી જેલની સજા કાપી રહી છે. નલીનીએ વ્યક્તિગત રીતે જામીન અરજી કરી હતી. જેમાં તેના વકીલે દલીલ કરી હતી કે આજીવન કેદની સજા ભોગવનારને દર 2 વર્ષે 1 વાર જેલમાંથી બહાર આવવા માટે જામીન મળી શકે છે આમ છતાં એણે પાછલા 27 વર્ષથી એક પણ વાર જામીન અરજી કરી નથી. આ જેલમુક્તિનો સમયગાળો પુરો થતો હોવાથી નલિનીએ ફરીવાર કોર્ટમાં અરજી કરી હતી. તેણે પેરોલનો સમયગાળો વધારવા કોર્ટ પાસે દાદ માગી હતી.
અરજીની સુનાવણી કરતાં કોર્ટે કહ્યું કે, તેણે પહેલેથી જ ત્રણ અઠવાડિયાની પેરોલ લંબાવી દીધી છે. નલિનીએ 15 સપ્ટેમ્બરના રોજ તેની પેરોલ સમાપ્ત થતાં 15 ઓક્ટોબર સુધી પેરોલ વધારવાની વિનંતી કરી હતી. તે પુત્રીના લગ્નની વ્યવસ્થા કરવા માટે 25 જુલાઈથી સામાન્ય રજા પર વેલ્લોર સેન્ટ્રલ જેલની બહાર છે. જેલમાંથી મુક્ત થયા પછી, નલિની વેલ્લોર શહેરની પૂર્વમાં સ્થિત, સથુવાચરી ખાતે રહેતા હતા.
પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યા 21 મે 1991 ના રોજ આરડીએક્સ વિસ્ફોટકથી કરી હતી.
અહેવાલો અનુસાર, વિસ્ફોટમાં 14 લોકો માર્યા ગયા હતા અને 43 ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્યારબાદ, નલિની ઉપરાંત તેમના પતિ મુરુગન, જે શ્રીલંકાના નાગરિક છે, સહિત છ અન્ય લોકો પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યાથી સંબંધિત કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે.
Conclusion: