ગુજરાત

gujarat

લોકડાઉનમાં કર્ણાટક સરકારે 1,610 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી

By

Published : May 6, 2020, 4:14 PM IST

કર્ણાટક સરકારે બુધવારે કોવીડ -19 પ્રેરિત લોકડાઉનથી મુશ્કેલીમાં લોકસહાય માટે રૂપિયા 1,610 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. જેનાથી ખેડૂતો, ફૂલો ઉગાડનારા, વૉશરમેન, ઓટો રિક્ષા અને ટેક્સી ડ્રાઇવરો, MSMEs,મોટા ઉદ્યોગો, વણકરો, મકાન કામદારો અને નાગરિકોને રાહત થશે.

K'taka govt announces
K'taka govt announces

બેંગલુરુ: કર્ણાટક સરકારે બુધવારે કોવીડ -19-પ્રેરિત લોકડાઉનથી મુશ્કેલીમાં લોકસહાય માટે રૂપિયા 1,610 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે.

મુખ્યપ્રધાન બી એસ યેદીયુરપ્પાએ જાહેર કરેલા પગલાથી ખેડુતો, ફૂલો ઉગાડનારા, વૉશરમેન, ઓટો રિક્ષા અને ટેક્સી ડ્રાઇવરો, MSMEs,મોટા ઉદ્યોગો, વણકરો, મકાન કામદારો અને નાગરિકોને રાહત થશે.

સરકારે 11 ટકા એક્સાઈઝ ડ્યુટી વધારાની પણ જાહેરાત કરી હતી, જે બજેટમાં જાહેર કરાયેલા છ ટકા વધુ છે.

મુખ્યપ્રધાન જણાવ્યું હતું કે, દોઢ મહિનાથી વધુ સમયના લોકડાઉનને કારણે સમાજના તમામ વર્ગના લોકો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, એમ મુખ્યમંત્રીએ નોંધ્યું હતું.

લોડાઉનનેના કારણે ફૂલોના ઉત્પાદકોએ તેમની ઉત્પાદનની માંગના અભાવને પગલે તેમના ફૂલોનો નાશ કર્યો છે. એક અંદાજ મુજબ ખેડૂતોએ લગભગ 11,687 હેક્ટરમાં ફૂલોની ખેતી કરી હતી.

ફૂલો ઉગાડનારાઓને પડતી મુશ્કેલીઓને સમજીને સરકારે પાકના નુકસાન માટે એક હેક્ટર દીઠ રૂ. 25,000 ની વળતરની જાહેરાત કરી. શાકભાજી અને ફળો ઉગાડનારા ખેડુતો તેમની પેદાશોનું વેચાણ કરી શક્યા ન હતા, જેથી સરકારે નિર્ણય કર્યો છે કે, તેમની માટે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવે.

કોવિડ -19 એ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં સેવાકીય વ્યાવસાયિકો જેવા કે નર્સ અને વોશરમેન (ધોબીસ) ને પણ અસર કરી છે, અને આશરે ,5000 વોશરમેન અને આશરે 2,30,000 લાભ આપવા માટે પ્રત્યેક રૂ. 60,000 નું વળતર આપવાનું નક્કી કરાયું છે.

આશરે 7,75,000 ટેક્સી ડ્રાઇવરોને દરેક સમયના 5,000 રૂપિયા વળતર આપીને મદદ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.

લોકડાઉનને MSMEsને પણ ઉત્પાદનના ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે. તેમને પુનર્જીવિત થવામાં થોડો વધુ સમય લાગતો હોવાનું યેદિયુરપ્પાએ જણાવયું હતું.

MSMEsના વીજળી બીલોના માસિક નિયત ચાર્જ બે મહિના માટે માફ કરવામાં આવશે.

મોટા ઉદ્યોગોના વીજળી બીલોમાં નિયત ચાર્જની ચુકવણી દંડ અને વ્યાજ વિના બે મહિના માટે મુલતવી રાખવામાં આવશે.

મુખ્યપ્રધાને તમામ કેટેગરીના વીજ ગ્રાહકો માટે ચોક્કસ લાભની પણ જાહેરાત કરી હતી.

રાજ્ય સરકારે 109 કરોડ રૂપિયાની વીવર્સ લોન માફી યોજનાની ઘોષણા કરી દીધી છે, જેમાંથી 2019 કરોડ દરમિયાન 29 કરોડ રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે. 80.00 કરોડની સંતુલન રકમ તાત્કાલિક જાહેર કરવામાં આવશે. જેથી વણકરો પોતાનો વ્યવસાય ચાલુ રાખવા માટે નવી લોન મેળવવામાં મદદ કરશે.

મુખ્યપ્રધઆને પીડિત વણકરના લાભ માટે નવી વીવર સન્માન યોજના (નેકાર સમાના યોજના) ની પણ જાહેરાત કરી.

આ યોજના અંતર્ગત, સરકાર સીધા ડીબીટી દ્વારા હેન્ડલૂમ વણકરના બેંક ખાતામાં રૂ .2,000 જમા કરશે. આનાથી રાજ્યના લગભગ 54000 હેન્ડલૂમ વણકરોને લાભ થશે. રાજ્યમાં રજિસ્ટર્ડ બિલ્ડિંગ કામદારોની સંખ્યા 15.80 લાખ છે.

સરકારે ડીબીટીના માધ્યમથી 11.80 લાખ મકાન કામદારોના બેંક ખાતામાં 2 હજાર રૂપિયા ટ્રાન્સફર કરી દીધા છે.

લાભાર્થીઓ બેંક ખાતાની વિગતોની ચકાસણી કર્યા પછી બાકીના ચાર લાખ બાંધકામ કામદારોના ખાતામાં રૂપિયા 2,000 ટ્રાન્સફર કરવાની કાર્યવાહી પહેલાથી જ શરૂ કરી દેવામાં આવી છે.

આ ઉપરાંત સરકારે 3,000 રૂપિયાની વધારાની રકમ ડીબીટી દ્વારા મકાન કામદારોને ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો છે.

ઉપરોક્ત મુખ્યપ્રધાને કહ્યું હતું કે, વળતર રૂપિયા 1,610.00 કરોડની અંદાજિત કિંમત સાથે આપવામાં આવશે, જે લોકડાઉનને કારણે મુશ્કેલીમાં મુકાયેલા લોકોને મદદ કરશે.

ABOUT THE AUTHOR

...view details