ગુજરાત

gujarat

તમિલનાડુ: મદ્રાસ હાઈકોર્ટે જયલલિતાના ઘરને સ્મારક બનાવવા પર રોક લગાવી

By

Published : May 27, 2020, 9:08 PM IST

તમિલનાડુના ભુતપૂર્વ દિવંગત મુખ્ય પ્રધાન જે. જયલલિતાના નિવાસસ્થાનને સ્મારક બનાવવાના નિર્ણય પર મદ્રાસ હાઈકોર્ટ પુનર્વિચારણા કરવા કહ્યું છે.

jayalalita, Etv Bharat
jayalalita

ચેન્નાઈ: તમિલનાડુ સરકાર તરફથી મદ્રાસ હાઈકોર્ટ ભુતપૂર્વ દિવંગત મુખ્ય પ્રધાન જે. જયલલિતાના નિવાસસ્થાનને સ્મારક બનાવવાના નિર્ણય પર પુનર્વિચારણા કરવા કહ્યું અને તેના ભત્રીજા-ભત્રીજીને તેમની કરોડોની સંપત્તિના કાયદાકીય વારસદાર તરીકે જાહેર કર્યા છે.

જસ્ટિસ એન. કિરુબાકરણ અને ન્યાયાધીશ અબ્દુલ કુદ્દુસની ખંડપીઠે કહ્યું કે પોઝ ગાર્ડન ખાતે 'વેદ નિલયમ' ને રાજ્યના મુખ્ય પ્રધાનનો સત્તાવાર નિવાસસ્થાન પણ બનાવી શકાય છે અને જરૂર પડે તો કેમ્પસના કેટલાક ભાગોને સ્મારક બનાવી શકાય છે.

તમિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે દિવંગત મુખ્ય પ્રધાન જે. જયલલિતાના નિવાસસ્થાનને સ્મારકમાં રૂપાંતરિત કરવા હંગામી ધોરણે એક વટહુકમ બહાર પાડ્યા બાદ અદાલતે આ આદેશ આપ્યો છે.

અદાલતે જયલલિતાના ભત્રીજા-ભત્રીજીને તેમની કરોડોની સંપત્તિના કાયદાકીય વારસદાર તરીકે જાહેર કર્યા છે.

કોર્ટે ટ્રસ્ટ બનાવવાનું કામ પૂર્ણ કરવાના હેતુથી સુનાવણી આઠ અઠવાડિયા માટે મુલતવી રાખી છે.

ABOUT THE AUTHOR

...view details