ગુજરાત

gujarat

ખાતાવહી ૨૦૨૦: ખૂબ જ નિરાશાજનક!

By

Published : Feb 3, 2020, 12:27 PM IST

મોદી ૨.૦ હેઠળ પહેલી પૂર્ણ કક્ષાની ખાતાવહી શનિવારે રજૂ કરવામાં આવી. વેપારો અને પરિવારોને આશા હતી કે ખાતાવહી અર્થતંત્રને સુસ્તીને હરાવવામાં મદદ કરશે. મેક્રૉઇકૉનૉમિસ્ટ રેણુ કોહલી સમજાવે છે કે નાણા પ્રધાનનું પ્રવચન કેમ થોડું જ પ્રેરણાદાયી હતું.

ખાતાવહી ૨૦૨૦: ખૂબ જ નિરાશાજનક!
ખાતાવહી ૨૦૨૦: ખૂબ જ નિરાશાજનક!

સુસ્તી સામે પ્રતિસાદની વ્યાપક આશાઓની વચ્ચે ખાતાવહીમાં બહુ થોડું છે.

છેવટે, અવિરત સુસ્તીમાંથી થોડીક રાહત માટે પ્રતિક્ષિત ખાતાવહી નિરાશારૂપ સાબિત થયું, જેણે અડધી અપેક્ષાઓ પણ પૂરી ન કરી.

વેપારો અને પરિવારોને આશા હતી કે તેમની ખરીદ શક્તિને વધારવામાં ખાતાવહી મદદ માટે કંઈક કરશે, જોકે એ વાત જાણીતી હતી કે તેમ કરવા માટે સરકાર સંસાધનો માટે સંઘર્ષ કરી રહી છે.

પરંતુ (i) આગવી શાંત રીતે સબસિડી ચૂકવણી મોકૂફ રાખીને, (ii) આવતા વર્ષે જંગી સરકારી વિનિવેશકરણ દ્વારા સંસાધનોના અસાધારણ સંગ્રહ, અને (iii)કેટલાક નિર્દિષ્ટ આધારો પર રાજકોષીય ખાધમાં જીડીપીના ૦.૫ ટકા જેટલા વિચલનની જોગવાઈ કરતા એફઆરબીએમ પલાયન પેટાનિયમનો સહારો- આ બધા છતાં ખાતાવહી જરૂરી નાણાકીય ઉત્તેજન આપવામાં અક્ષમ રહી.
તે માત્ર નાણાકીય સંકોચનને ટાળવામાં પ્રબંધન કરી શક્યું; સરકારની ખાતાવહીની આવી સ્થિતિ છે.

આવકવેરાના દરોમાં કપાત-તેનાથી શું ફાયદો થશે?

પરંતુ (i) આગવી શાંત રીતે સબસિડી ચૂકવણી મોકૂફ રાખીને, (ii) આવતા વર્ષે જંગી સરકારી વિનિવેશકરણ દ્વારા સંસાધનોના અસાધારણ સંગ્રહ, અને (iii)કેટલાક નિર્દિષ્ટ આધારો પર રાજકોષીય ખાધમાં જીડીપીના ૦.૫ ટકા જેટલા વિચલનની જોગવાઈ કરતા એફઆરબીએમ પલાયન પેટાનિયમનો સહારો- આ બધા છતાં ખાતાવહી જરૂરી નાણાકીય ઉત્તેજન આપવામાં અક્ષમ રહી.

તે માત્ર નાણાકીય સંકોચનને ટાળવામાં પ્રબંધન કરી શક્યું; સરકારની ખાતાવહીની આવી સ્થિતિ છે.

ચોક્કસ રીતે, વ્યક્તિગત કરદાતાઓ પાસે અનેક મુક્તિઓ અને કપાતો જેમાંનો મુખ્ય એક ભથ્થાઓ પરની છે (દા.ત. ઘરનું ભાડું, લીવ ટ્રાવેલ, હાઉસિંગ લૉન પર વ્યાજ અને બીજી બધી), જતી કરીને નવા દર પસંદ કરવાનો વિકલ્પ છે,

સકળ માગને ઉત્તેજન આપવા માટે, આ ખાતાવહીની તાત્કાલિક અસર દેખાય તેમ લાગતું નથી કારણકે કરદાતાઓ સ્વાભાવિક જ સાવધ રહેશે અને કોઈ વિકલ્પની પસંદગી કરતા પહેલાં તેમની પ્રાપ્ય આવક પર અંતિમ અસરનો અભ્યાસ કરશે.

આથી લાંબા સમય પછી ચોખ્ખું પરિણામ દેખાશે; તે પછી પણ, નાણા પ્રધાને કેટલાંક ઉદાહરણો વર્ણવ્યાં છતાં, સંતુલિત કરનારી અસરનું પરિણામ કદાચ કર બચતમાં ન પણ આવે.

જ્યાં સુધી સ્પષ્ટ કે દૃશ્યમાન ઉત્તેજનનો પ્રશ્ન છે ત્યાં સુધી આ બાબત આ પગલાને એકબાજુએ મૂકે છે.

સબ કા વિશ્વાસ

નાણા પ્રધાને વિશ્વાસ, સંપત્તિ સર્જકો (એટલે કે વેપારીઓ અને સાહસિકો)ના ભરોસા પર ભાર મૂક્યો.

સીતારમણે વારંવાર આપણને બધાને મોદી સરકારના માનીતા સૂત્ર – સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસની યાદ અપાવી.

માળખાગત ફેરફાર, પૂરી નહીં થયેલી અપેક્ષાઓ, સ્પષ્ટતાનો અભાવ અને આર્થિક નીતિઓની દિશા વિશે અસુવિધા તેમજ આવી બીજી બધી બાબતોના કારણે ખાનગી વેપારોની ધારણાઓ; આવાં અનેક કારણોના લીધે ગત મહિનાઓમાં ‘વિશ્વાસમાં ખાધ’ના ગણગણાટનો આ સીધો પ્રતિસાદ હતો. એમ માનવામાં આવે છે કે આનાથી આર્થિક પ્રવૃત્તિઓને અસર કરતા વેપાર વિશ્વાસને ઓછો કરવામાં અસર પડી છે.

આ સંદર્ભમાં નક્કર પગલાંઓ છે કરદાતાઓનું ઘોષણાપત્રને વૈધાનિક કાયદામાં ફેરવવો, ચહેરાવિહીન આકલનને સંવાદમાં વિસ્તાવરો, કૉન્ટ્રાક્ટ અધિનિયમને મજબૂત કરવો વગેરે, અહીં પરિણામો સમય જતાં એકંદર વેપાર વિશ્વાસ અને લાગણીમાં પરિવર્તન દ્વારા માત્ર અવલોકન કરવામાં આવશે
નોકરી સૃજન

ખાતાવહી નોકરીના સર્જન માટે કેટલાક નજીવા પ્રયાસો કરે છે. દા.ત. શહેરી સ્થાનિક સંસ્થાઓ હવે તાજા ઈજનેરી વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશિપ તકોની દરખાસ્ત કરશે. આ કેટલું મદદરૂપ છે તે આપણને કહેવા માટે તેમને શ્રેષ્ઠ રોજગારી મળી છે!

પછી, ગત ડિસેમ્બરમાં જાહેર કરાયેલા ૧૦૨ લાખ કરોડના નેશનલ ઇન્ફ્ર્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન હેઠળ, રાષ્ટ્રીય પરિયોજના પ્રબંધન સંસ્થા રચવામાં આવશે જે બિનસરકારી હિતધારકોને તેમનાં કૌશલ્યોનું પ્રદાન કરવા માટે સાંકળશે.

શિક્ષકો, નર્સો, અર્ધ તબીબી કર્મચારીગણ અને કાળજીપ્રદાતાઓને વિદેશમાં રોજગારીની તકો શોધવા માટે આંતરરાષ્ટ્રીય ધોરણોને પહોંચી વળવા માટે સહાય કરાશે.

જે લોકો વધુ સારી આર્થિક તકો માટે વિદેશ સ્થળાંતર કરવા માગતા હોય તેમણે આનાથી આનંદ વ્યક્ત કરવો જોઈએ!

આ ઉપરાંત, સરકારે વૃદ્ધિને પાછી લાવવા માટે આંતરમાળખા સૃજન પર આધાર રાખવાનું ચાલુ રાખ્યું છે.

ગત પાંચ વર્ષમાં જે અતિ ઝડપી ગતિએ રસ્તાઓ અને હાઇવે બન્યા છે અને જેણે એનએચએઆઈને દેવામાં ધકેલ્યું છે પરંતુ વૃદ્ધિમાં ઈચ્છિત કે અપેક્ષિત પરિણામો મળ્યાં નથી, તે જોતાં આ પ્રેરણાદાયી લાગતું નથી.

કાળજી લેનાર સમાજ માટે!

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી કાર્યક્રમ (મનરેગા)ને ફાળવણી ૧૩.૪ ટકા ઘટાડાઈ છે જ્યારે પીએમ-કિસાન હેઠળ ફાળવણી એક વર્ષ પહેલાં હતી તેટલી જ રહી છે. નાણાકીય વર્ષ ૨૦માં રકમ પૂરી વપરાઈ પણ નથી!

અનુસૂચિત જાતિ અને અન્ય અવિકસિત સમૂહોના વિકાસ માટે છત્રી યોજના માટે ખર્ચ વ્યય અનુક્રમે ૧૨ ટકા અને ૨૦ ટકા છે.

કૃષિ, ખેતી, આજીવિકા, ગ્રામીણ વિકાસ અને બીજા બધા વિશે ઘણું કહેવાયું છે પરંતુ રાજ્યોને પ્રોત્સાહિત કરવાની બાબતમાં, બહુ સ્પષ્ટતા નથી.

એકંદરે, આ ખાતાવહીમાં થાકની ભાવના દેખાતી હોય તેમ લાગે છે. એ વાત સાચી છે કે સરકાર પાસે નાણાં ખૂટ્યાં છે પરંતુ ખાતાવહી ભાષણ બતાવે છે કે તેની પાસે વિચારો અને ઉકેલો ખૂટ્યા નથી!

(-રેણુ કોહલી નવી દિલ્હી આધારિત મેક્રૉઇકૉનૉમિસ્ટ છે. ઉપર વ્યક્ત કરેલાં મંતવ્યો તેમનાં પોતાનાં છે.)

Intro:Body:

blank


Conclusion:

ABOUT THE AUTHOR

...view details