ગુજરાત

gujarat

બૃંદા કરાતના સરકાર પર પ્રહારઃ કહ્યું-આ સરકાર 'મેક ઈન ઈન્ડિયા' નહીં, દેશને વેચવા કરી રહી છે પ્રયાસ

By

Published : Nov 29, 2019, 12:14 PM IST

નવી દિલ્હી: નાગરીક ઉડ્ડયન પ્રધાન હરદિપ સિંહ પુરીએ સંસદમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર પાસે એર ઈન્ડિયાના ખાનગીકરણ કરવા સિવાય કોઈ વિકલ્પ બાકી રહ્યો નથી. જે અંગે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના (માર્ક્સવાદી) નેતા અને પૂર્વ સાંસદ બૃંદા કરાતે સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું કે, વર્તમાન સરકાર દેશને વેચવાનો પ્રયાસ કરી રહી છે.

બૃંદા કરાતના સરકાર પર પ્રહાર
બૃંદા કરાતના સરકાર પર પ્રહાર

કરાતે ઈટીવી ભારત સાથેની ખાસ મુલાકાતમાં સરકાર પર સવાલ ઉઠાવતા જણાવ્યું કે, 'આ કેવા પ્રકારનો આર્થિક દ્રષ્ટિકોણ છે?' આ સરકાર 'મેક ઈન ઈન્ડિયા નહીં' ભારતને વેચવાનો પ્રયાસ કરી રહી છે.’

કરાતે નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદિપ સિંહ પુરીના એ પ્રશ્નનો જવાબ આપ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, સરકાર પાસે એર ઈન્ડિયાના ખાનગીકરણ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી, અન્યથા એર લાઈન્સને બંધ કરવી પડશે.

બૃંદા કરાતે કહ્યું કે, આ રાષ્ટ્રીય એરલાઈન છે અને સરકારે એર લાઈનને બરબાદ કરી છે. જે ચિંતાનો વિષય છે. નાણાં પ્રધાન નિર્મલા સિતારમણે બુધવારે સંસદમાં એ વાતનો સ્વીકાર કર્યો હતો કે, ધીમાં વિકાસ દર વચ્ચે વર્તમાન કેન્દ્ર સરકાર દેશની અર્થવ્યવસ્થાને સુધારવા આવશ્યક કાર્યવાહી કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, દેશની અર્થવ્યવસ્થા ગત છ વર્ષમાં સૌથી નીચલા સ્તરે પહોંચી છે. સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા ખાનગીકરણના પગલાની બૃંદા કરાતે નિંદા કરી હતી.

વધુમાં કરાતે કહ્યું કે, સરકાર દરેક વસ્તુનું ખાનગીકરણ કરી રહી છે. એક દિવસ સરકાર કહેશે કે, 'અમે દેશની રક્ષા કરવા સક્ષમ નથી માટે દેશને પણ ખાનગી ક્ષેત્રમાં સોંપવામાં આવે'. જ્યારે કેન્દ્ર સરકારના જણાવ્યાં મુજબ તેમનું લક્ષ્ય દેશની અર્થવ્યવસ્થાને પાંચ ટ્રિલિયન ડોલર સુધી લઈ જવાનું છે. સરકારની નિંદા કરતા કરાતે કહ્યું કે, 'ભૂખમરાના મામલામાં 117 દેશમાં ભારત 102માં સ્થાને છે. સરકારે પહેલાં આ દિશામાં ધ્યાન આપવાની જરૂર છે.’



https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/brinda-karat-on-privatisation-of-air-india/na20191128205601177



બૃંદા કરાતના સરકાર પર પ્રહાર: કહ્યું, આ સરકાર 'મેક ઈન ઈન્ડિયા' નહીં, દેશને વેચવા કરી રહી છે પ્રયાસ





સીપીએમ નેતા અને પુર્વ સાંસદ બૃંદા કરાતે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું કે, આ સરકાર દેશને વેચવાનો પ્રયાસ કરી રહી છે. આ પહેલાં નાગરીક ઉડ્ડયન પ્રધાન હરદિપ સિંહ પુરીએ સંસદમાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર પાસે એર ઈન્ડિયાનું ખાનગીકરણ કરવા સિવાય કોઈ વિકલ્પ બાકી રહ્યો નથી. બૃંદા કરાતે ઈટીવી ભારત સાથે ખાસ વાતચીતમાં તેમની પ્રતિક્રિયા જણાવી હતી.  





નવી દિલ્હી: નાગરીક ઉડ્ડયન પ્રધાન હરદિપ સિંહ પુરીએ સંસદમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર પાસે એર ઈન્ડિયાના ખાનગીકરણ કરવા સિવાય કોઈ વિકલ્પ બાકી રહ્યો નથી. જે અંગે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના (માર્ક્સવાદી) નેતા અને પૂર્વ સાંસદ બૃંદા કરાતે સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું કે, વર્તમાન સરકાર દેશને વેચવાનો પ્રયાસ કરી રહી છે.



કરાતે ઈટીવી ભારત સાથેની વિશેષ મુલાકાતમાં સરકાર પર સવાલ ઉઠાવતા જણાવ્યું કે, 'આ કેવા પ્રકારનો આર્થિક દ્રષ્ટિકોણ છે?' આ સરકાર 'મેક ઈન ઈન્ડિયા નહીં' ભારતને વેચવાનો પ્રયાસ કરી રહી છે.





કરાતે નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદિપ સિંહ પુરીના એ પ્રશ્નનો જવાબ આપ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે, સરકારક પાસે એર ઈન્ડિયાના ખાનગીકરણ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી, અન્યથા એર લાઈન્સને બંધ કરવી પડશે.





વધુમાં બૃંદા કરાતે કહ્યું કે, આ રાષ્ટ્રીય એરલાઈન છે અને સરકારે એર લાઈનને બરબાદ કરી છે. જે ચિંતાનો વિષય છે. નાણાં પ્રધાન નિર્મલા સિતારમણે બુધવારે સંસદમાં એ વાતનો સ્વીકાર કર્યો હતો કે, ધીમાં વિકાસ દર વચ્ચે વર્તમાન કેન્દ્ર સરકાર દેશની અર્થવ્યવસ્થાને સુધારવા આવશ્યક કાર્યવાહી કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, દેશની અર્થવ્યવસ્થા ગત છ વર્ષમાં સૌથી નીચલા સ્તરે પહોંચી છે. સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા ખાનગીકરણના પગલાની બૃંદા કરાતે નિંદા કરી હતી.  





વધુમાં કરાતે કહ્યું કે, સરકાર દરેક વસ્તુનું ખાનગીકરણ કરી રહી છે. એક દિવસ સરકાર કહેશે કે, 'અમે દેશની રક્ષા કરવા સક્ષમ નથી માટે દેશને પણ ખાનગી ક્ષેત્રમાં સોંપવામાં આવે'. જ્યારે કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ તેમનું લક્ષ્ય દેશની અર્થવ્યવસ્થાને પાંચ ટ્રિલિયન ડોલર સુધી લઈ જવાનું છે. સરકારની નિંદા કરતા કરાતે કહ્યું કે, 'ભૂખમરાના મામલામાં 117 દેશમાં ભારત 102માં સ્થાને છે. સરકારે પહેલાં આ દિશામાં ધ્યાન આપવાની જરુર છે.


Conclusion:

ABOUT THE AUTHOR

...view details