ગુજરાત

gujarat

અમરનાથ યાત્રીઓથી ભરેલી બસનો અકસ્માત, ઘટના થઇ CCTVમાં કેદ

By

Published : Jul 14, 2022, 1:59 PM IST

Updated : Jul 14, 2022, 4:43 PM IST

જમ્મુ-કાશ્મીરના કાઝીગુંડમાં ગુરુવારે અમરનાથ યાત્રીઓને (amarnath yatra 2022) લઈ જતી બસ ક્રેશ થઈ ગઈ હતી(bus accident in qazigund). અકસ્માતમાં 14 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

Etv Bharatઅમરનાથ યાત્રીઓથી ભરેલી બસનો અકસ્માત, અનેક લોકો ઈજાગ્રસ્ત
Etv Bharatઅમરનાથ યાત્રીઓથી ભરેલી બસનો અકસ્માત, અનેક લોકો ઈજાગ્રસ્ત

શ્રીનગર:દક્ષિણ કાશ્મીરના કુલગામના કાઝીગુંડના બદ્રગુંડ વિસ્તારમાં આજે (amarnath yatra 2022) ગુરુવારે એક માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 14 અમરનાથ યાત્રા યાત્રીઓ ઈજાગ્રસ્ત થયા છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બદરાગુંડ ક્રોસિંગ પર અમરનાથ યાત્રી યાત્રીઓને (bus accident in qazigund) લઈ જતી બસમાં એક ટિપર ડમ્પર અથડાયું હતું, જેના પરિણામે 20 યાત્રીઓ ઈજાગ્રસ્ત થયા હતા. તેમણે વધુમાં કહ્યું કે, ઈજાગ્રસ્ત થયેલા 20 શ્રદ્ધાળુઓમાંથી 18ને નાની-મોટી ઈજાઓ થઈ છે જ્યારે બે ગંભીર ઈજાઓ સાથે જીએમસી અનંતનાગમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

ઘટના થઇ CCTVમાં કેદ

આ પણ વાંચો:કેનેડામાં મહાત્મા ગાંધીની પ્રતિમાને કરી ખંડિત, ઈન્ડીયન એમ્બેસીએ દ્વારા કાર્યવાહીની માંગ

અમરનાથ યાત્રાને રોકી:ઉલ્લેખનીય છે કે, પ્રશાસને ખરાબ હવામાનને કારણે બાલતાલ અને પહેલગામ બંને જગ્યાએથી અમરનાથ યાત્રાને રોકી દીધી છે. જોકે, યાત્રામાં ભાગ લેનાર ભક્તોના ઉત્સાહમાં કોઈ ઘટાડો થયો નથી. અગાઉ, જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સ્થિત પવિત્ર અમરનાથ ગુફા વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટનામાં ઓછામાં ઓછા 17 લોકોના મોત બાદ યાત્રા સ્થગિત કરવામાં આવી હતી.

આ પણ વાંચો:ફિલ્મ ઈમર્જન્સીનું ટીઝર રિલીઝ, જૂઓ કંગનાનો ફસ્ટ લુક

આ વર્ષે અમરનાથ યાત્રા 43 દિવસ ચાલશે: ઘણા તંબુઓ અને સામુદાયિક રસોડા કાદવ અને કાટમાળની પકડમાં હતા જે વાદળ ફાટ્યા પછી ટેકરી પરથી નીચે આવ્યા હતા. બે દિવસ પછી અમરનાથ યાત્રા શરૂ થઈ. આ વર્ષે અમરનાથ યાત્રા 43 દિવસ ચાલશે, જે 30 જૂને બે રૂટથી શરૂ થઈ હતી. અમરનાથ યાત્રા 11 ઓગસ્ટ સુધી ચાલશે.

Last Updated :Jul 14, 2022, 4:43 PM IST

ABOUT THE AUTHOR

...view details