ગુજરાત

gujarat

અભિનેતા અક્ષય કુમાર ગૌતમ ગંભીર ફાઉન્ડેશનને 1 કરોડ આપશે

By

Published : Apr 25, 2021, 10:08 AM IST

ભાજપના સાંસદ ગૌતમ ગંભીરે માહિતી આપી છે કે, અક્ષય કુમારે ગંભીર ફાઉન્ડેશનને 1 કરોડ રૂપિયાનું દાન આપવાનું નક્કી કર્યું છે. તેમણે જણાવ્યું છે કે, તેનાથી કોરોનાથી અસરગ્રસ્ત લોકો માટે દવાઓ, ઓક્સિજન અને ખોરાકની વ્યવસ્થા કરવામાં આવશે.

akshay kumar and gambhir
akshay kumar and gambhjir

  • અક્ષય કુમાર પૂર્વ દિલ્હીના સાંસદ ગૌતમ ગંભીરને ટેકો આપવા આગળ આવ્યા
  • ગૌતમ ગંભીર ફાઉન્ડેશનને 1 કરોડ રૂપિયા આપવાનું જણાવ્યું
  • દવાઓ, ઓક્સિજન અને ખોરાક માટે 1 કરોડ રૂપિયા આપશે

નવી દિલ્હી: ક્રિકેટરથી રાજકારણી બનેલા પૂર્વ દિલ્હીના સાંસદ ગૌતમ ગંભીરને ટેકો આપવા વિખ્યાત ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર આગળ આવ્યા છે. ખરેખર, અક્ષય કુમારે ગંભીર ફાઉન્ડેશનને દવાઓ, ઓક્સિજન અને ખોરાક માટે 1 કરોડ રૂપિયા દાન આપવાનું જણાવ્યું છે.

આ પણા વાંચો :ગૌતમ ગંભીરે 1 કરોડ રૂપિયાનું પીએમ રાહત ફંડમાં કર્યું યોગદાન

નિરાશાના આ સમયમાં દરેક સહાય આશાની કિરણ પેદા કરે છે : ગૌતમ ગંભીર

સાંસદ ગૌતમ ગંભીરે શનિવારે સાંજે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, અભિનેતા અક્ષય કુમાર ગંભીર ફાઉન્ડેશનને જરૂરિયાતમંદ લોકોને ખોરાક, દવા અને ઓક્સિજન આપવા માટે 1 કરોડ રૂપિયા આપી રહ્યા છે. આ સાથે જ ગંભીરે લખ્યું કે નિરાશાના આ સમયમાં દરેક સહાય આશાની કિરણ પેદા કરે છે.

ગૌતમ ગંભીરનું ટ્વિટ

આ પણા વાંચો :અક્ષયે નાસિક પોલીસને કોરોનાથી બચવા 500 સ્માર્ટ વોચ દાન કરી

જરૂરિયાતમંદ લોકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે

ગૌતમ ગંભીરે જણાવ્યું છે કે, હાલમાં તે પૂર્વ દિલ્હીમાં જ દવા વહેંચી રહ્યો છે. ટૂંક સમયમાં પુસા રોડ સ્થિત ફાઉન્ડેશનની ઓફિસથી પણ દવાઓનું વિતરણ શરૂ કરવામાં આવશે. જેથી વધુ લોકોને દવા મળી શકે. આ ઉપરાંત જરૂરિયાતમંદ લોકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details