ગુજરાત

gujarat

સરકારે 'અગ્નિપથ' ભરતીમાં માત્ર 2 દિવસમાં કર્યા ફેરફાર

By

Published : Jun 17, 2022, 9:18 AM IST

સરકારે 'અગ્નિપથ' ભરતીમાં માત્ર 2 દિવસમાં કર્યા ફેરફાર
સરકારે 'અગ્નિપથ' ભરતીમાં માત્ર 2 દિવસમાં કર્યા ફેરફાર

અગ્નિપથ યોજનાના વિરોધ વચ્ચે, સરકારે આ (Agneepath scheme) પ્રક્રિયા હેઠળ ભરતીની ઉંમર વર્ષ 2022 માટે અગાઉ જાહેર કરેલી 21 વર્ષથી વધારીને 23 વર્ષ કરી દીધી છે. આ સાથે સરકારે કહ્યું છે, કે યોજનાને લઈને જાણીજોઈને (army recruitment agnipath) ઘણી ખોટી માન્યતાઓ ફેલાવવામાં આવી રહી છે. નવું મોડલ માત્ર સશસ્ત્ર દળોમાં જ નવી ક્ષમતાઓનું નિર્માણ કરશે નહીં, પરંતુ તે યુવાનો માટે ખાનગી ક્ષેત્રના માર્ગો પણ ખોલશે.

નવી દિલ્હી: સશસ્ત્ર દળોમાં ભરતી માટે જાહેર કરાયેલી 'અગ્નિપથ' યોજના વિરુદ્ધ ટ્રેનોમાં આગચંપી, જાહેર (Agneepath scheme) અને પોલીસ વાહનોને આગ લગાડવાની ઘટનાઓ વચ્ચે, સરકારે ગુરુવારે વર્ષ 2022 માટે આ પ્રક્રિયા હેઠળ ભરતીની ઉંમર પૂર્વ-ઘોષિત કરી હતી. 21 વર્ષથી વધારીને 23 વર્ષ મંગળવારે (army recruitment agnipath) અગ્નિપથ યોજનાની જાહેરાત કરતા સરકારે કહ્યું હતું કે, તમામ નવી ભરતી માટે વય મર્યાદા સાડા 17 થી 21 વર્ષની વચ્ચે (protest on agnipath) હોવી જોઈએ.

આ પણ વાંચો:અગ્નિપથ યોજના અંગે તમને પણ છે કોઈ પ્રશ્ન, તો અહીં મેળવો તેનો જવાબ

સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "છેલ્લા બે વર્ષ દરમિયાન ભરતી શક્ય નથી તે હકીકતને ધ્યાનમાં રાખીને, સરકારે નિર્ણય લીધો છે કે, 2022 માટે પ્રસ્તાવિત ભરતી પ્રક્રિયા માટે એક વખતની છૂટ (વય મર્યાદામાં) આપવામાં આવશે." તેમજ અગ્નિપથ યોજનાના વિરોધમાં (government clarifies on agnipath scheme) ઘણા રાજ્યોમાં વિરોધ થઈ રહ્યો છે. દરમિયાન, સરકારે સ્પષ્ટતા કરી હતી કે, નવું મોડલ માત્ર સશસ્ત્ર દળોમાં જ નવી સંભાવનાઓનું નિર્માણ કરશે નહીં, પરંતુ તે યુવાનો માટે ખાનગી ક્ષેત્રના માર્ગો પણ ખોલશે અને તેમને નિવૃત્તિ સમયે મળતા નાણાકીય પેકેજ સાથે ઉદ્યોગસાહસિક બનવામાં મદદ કરશે. અને નવી ભરતી યોજના વિરુદ્ધ ઘણા રાજ્યોમાં હિંસક પ્રદર્શનો થયા હતા.

આ પણ વાંચો:બીજા પક્ષની વાત સાંભળ્યા વગર કેમ ચલાવવામાં આવી રહ્યાં છે બુલડોઝર?

કેટલો મળશે પગારઃસંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર અગ્નિપથ યોજના હેઠળ યુવાનોને પ્રથમ વર્ષમાં 4.76 લાખનું વાર્ષિક પેકેજ મળશે. ચોથા વર્ષ સુધીમાં તે વધીને 6.92 લાખ થઈ જશે. આ સિવાય અન્ય જોખમ અને હાડમારી ભથ્થા પણ મળશે. ચાર વર્ષની સેવા બાદ યુવાનોને 11.7 લાખ રૂપિયાનું સર્વિસ ફંડ આપવામાં આવશે. આના પર કોઈ ટેક્સ લાગશે નહીં.

ABOUT THE AUTHOR

...view details