ગુજરાત

gujarat

સંતોની માગ પર રામમંદિરના મોડેલમાં કરવામાં આવ્યો ફેરફાર

By

Published : Sep 3, 2021, 7:43 AM IST

ram
સંતોની માગ પર રામમંદિરના મોડેલમાં કરવામાં આવ્યો ફેરફાર

ઉત્તર પ્રદેશમાં અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના બાંધકામનું કામ શરૂં થઈ ગયુ છે. રામ મંદિરના શિખરને સંતોની માગ પર ઉંચો કરવામાં આવશે. આ માટે કારસેવક પુરમમાં શિલ્પકારોની સંખ્યા વધારી દેવામાં આવી છે.

અયોધ્યા : આજથી લગભગ 3 દાયકા પહેલા જ્યારે અયોધ્યામાં વિવાદિત બંધારણને પાડવામાં આવ્યો હતો, તે જ સમયે ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે રામ નગરીના કારસેવક પુરમ પરિસરમાં પથ્થર કોતરણી શરૂ કરવામાં આવી હતી. લગભગ 15 વર્ષો સુધી આ કામ ચાલું રહ્યું હતું બાદમાં આ કામ બંધ થઈ ગયું હતું. પણ રામ જન્મભૂમિ પરિસરમાં રામ મંદિરના બાંધકામ શરૂ થતા ફરી એકવાર કારસેવક પુરમ પરિસરમાં છીણી હથોડીની ઠક-ઠક સંભળાવવા લાગી છે. લાંબા સમયના સન્નાટા બાદ ફરી એકવાર ચહલ-પહલ શરૂ થઈ ગઈ છે. રામ મંદિરના પથ્થર કોતરવાનું કામ 20 ટકા થઈ ગયું છે. 80 ટકા કામ બાકી છે જેને નિર્ધારિત સમયની અંદર પૂરુ કરવાનું છે. આ માટે અયોધ્યાના કારસેવક પુરમ કાર્યશાળામાં કામની ઝડપ વધારી દેવામાં આવી છે.

આ પણ વાંચો : અધિકારીઓ પાસે જવાબ ન હોય એટલે મુદત માંગે છે- હાઇકોર્ટ

રામ જન્મભૂમિ પરિસરમાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે લગભગ માટે 4 લાખ ઘન ફૂટ પથ્થરોની આવશ્યક્તા છે. આમાં પ્રથમ માળ માટે લગભગ 2,10000 ઘનફુટ પથ્થરોને કોતરીને સુરક્ષિત રાખી દિધા છે. હવે આ પથ્થરો સાફ સફાઈનું કામ સંસ્થા કરી રહી છે અને સાફ-સફાઈ પછી આ પથ્થરોને રામલલા પરિસરમાં મોકલવામાં આવી રહ્યા છે. સંતોની માગ પર રામ મંદિરના મોડેલમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે અને એક શિખર વધારવામાં આવ્યું છે. મોડેલના બદલાવના કારણે કામકાજમાં વધારો થયો છે, જેને શિલ્પકારોની સંખ્યા વધારવામાં આવી છે. પ્લિંથ માટે જયપુરના ગુલાબી સ્ટોન અને મિર્ઝાપુરના બલુઆ પથ્થરો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : જાણો, કોરોના વાયરસના કયા બે નવા વેરિઅન્ટ છે ખતરનાક

અયોધ્યમાં સંતોએ માગ કરી હતી કે , મંદિરના શિખરને વધુ ઉંચુ કરવામાં આવે, જેના કારણે મંદિરના મોડેલમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ કેમ્પના કાર્યાલય પ્રભારી પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું કે," પ્લિંથનું કામ પૂરૂ થઈ ગયું છે. આ બાદ પથ્થરોની જરૂર પડશે. મંદિરના કાર્યમાં કોઈ પણ રીતનો વિંલબ ન પડે તે માટે રાજસ્થાનથી વધું 15 કારીગરોએ કોતરણીનું કામ શરૂ કરવામાં આવ્યું છે. કારીગરોની સંખ્યા હજુ વધારવામાં આવશે. ગુજરાતથી વધુ કોતરણી કરનાર કારીગરોને બોલવવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details