ગુજરાત

gujarat

NCP છોડવું કે AAPમાં જોડાવું તે માટે રેશમા પટેલ કોની સાથે વિચારણા કરશે જૂઓ

By

Published : Nov 15, 2022, 7:06 PM IST

Updated : Nov 16, 2022, 4:09 PM IST

ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) માટે કોંગ્રેસે એનસીપી સાથે ત્રણ બેઠક પર ગઠબંધન ( Congress alliance with NCP on three seats )જાહેર કરેલું છે. જોકે આ બેઠક પર રેશમા પટેલને ટિકીટ લેવી હતી જે ન મળતાં કાર્યકર્તાઓને આગળ કરી નારાજગી ( Reshma Patel upset in NCP ) જતાવાઇ છે. આગામી સમયમાં એનસીપીમાં ( NCP ) રહેશે કે આપમાં ( AAP ) જોડાશે તે વિશે રેશમા પટેલે નિવેદન આપ્યું હતું.

NCP છોડવું કે AAPમાં જોડાવું તે માટે રેશમા પટેલ કોની સાથે વિચારણા કરશે જૂઓ
NCP છોડવું કે AAPમાં જોડાવું તે માટે રેશમા પટેલ કોની સાથે વિચારણા કરશે જૂઓ

ગાંધીનગરગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) માં એનસીપી અને કોંગ્રેસનું હંમેશા ગઠબંધન જોવા રહ્યું છે. પરંતુ વર્ષ 2022થી ચૂંટણીમાં એક અલગ પ્રકારનું સમીકરણ હવે જોવા મળ્યું છે જેમાં કોંગ્રેસ અને એનસીપીના ગઠબંધનમાં ફક્ત ત્રણ જ બેઠકો ઉપર ગઠબંધન ( Congress alliance with NCP on three seats ) કરવામાં આવ્યું છે. જેને લઈને એનસીપી ( NCP ) ના બે મહત્વના અને દિગ્ગજ નેતા રેશમા પટેલ અને કાંધલ જાડેજા નારાજ છે. જેમાં કાંધલ જાડેજાએ તો રાજીનામું આપી દીધું છે. પરંતુ રેશમા પટેલે હવે રાજીનામાં અંગે વિચારણા ( Reshma Patel upset in NCP )હાથ ધરી છે.

કાર્યકર્તાઓ સાથે ચર્ચા એનસીપી ( NCP )ના મહિલા નેતા રેશમા પટેલે ઈટીવી ભારત સાથે ટેલિફોનિક વાતચીત કરતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે એનસીપી પક્ષમાંથી હજી સુધી મેં કોઈ પ્રકારનું રાજીનામું આપ્યું નથી. જ્યારે હજુ હું કયા પક્ષમાં ( AAP ) જોડાઈશ તે બાબતે પણ કોઈ પ્રકારનો વિચાર કર્યો નથી. પરંતુ જે પણ નિર્ણય કરીશ તે કાર્યકર્તાઓ સાથે ચર્ચા કર્યા બાદ જ નિર્ણય કરવામાં આવશે અને કાર્યકર્તાઓ જે કહેશે તે પ્રમાણે જ ચર્ચાઓ ( Reshma Patel upset in NCP ) કરવામાં આવશે. જ્યારે અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં એનસીપીની જ સભ્ય હોવાની વિગત રેશમા પટેલે આપી હતી.

કેમ થયા રેશમા પટેલ નારાજરેશમા પટેલની નારાજગીની વાત કરવામાં આવે તો એનસીપી( NCP ) અને કોંગ્રેસ વચ્ચેના ગઠબંધન ( Congress alliance with NCP on three seats ) દરમિયાન ગોંડલમાંથી રેશમા પટેલે એનસીપીના મેન્ડેટ પરથી કોંગ્રેસ પક્ષમાંથી ટિકિટની માંગ કરવામાં આવી હતી. પરંતુ ગુજરાત કોંગ્રેસ દ્વારા ફક્ત ત્રણ બેઠક ઉપર જ એનસીપીને સાથે રાખીને ગઠબંધન કરવામાં આવ્યું છે. જેના કારણે રેશમા પટેલ નારાજ હોવાનું સામે આવ્યું છે.

કાંધલ જાડેજાએ આપ્યું રાજીનામુંકુતિયાણા બેઠક ઉપરથી છેલ્લા બે ટર્મથી એનસીપીના મેન્ડેટ ઉપર કાંધલ જાડેજા જીત મેળવી રહ્યા છે. પરંતુ વર્ષ 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે કુતિયાણા બેઠક ઉપર કોઈપણ પ્રકારનું ગઠબંધન કર્યું નથી. ત્યારે કાંધલ જાડેજાએ પણ એનસીપી પક્ષમાંથી રાજીનામું આપ્યું છે અને કુતિયાણા બેઠક પરથી અપક્ષ તરીકેની દાવેદારી પણ નોંધાવી છે કે કુતિયાણા બેઠક ઉપરથી ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને અપક્ષ તરીકે કાંધલ જાડેજાએ પણ ફોર્મ ભર્યું છે. ત્યારે આ બેઠક ઉપર ખરાખરીનો ખેલ જામશે.

થોડા સમયની નારાજગી છે NCP ગુજરાત પ્રમુખ જયંત બોસ્કીએ ( NCP Gujarat President Jayant Bosky ) ઈટીવી સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે પક્ષમાં કોઈ નારાજગી નથી. જે નારાજગી હોય તે ફક્ત થોડા સમય માટેની જ હોય છે, બધા પોતપોતાનું ભવિષ્ય નક્કી કરી શકે છે. 13 નવેમ્બરના રોજ રાજકોટ જિલ્લા પ્રમુખ સંદીપ ડોબરીયા એ પણ એનસીપી પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે અને તેનું કારણ પણ રેશમા પટેલને ગોંડલની બેઠક ઉપર ટિકિટ ન મળવાનું દર્શાવવામાં આવ્યું છે. આમ હવે રેશમા પટેલ પણ આવનારા દિવસમાં જે પણ નિર્ણય હશે તે નિર્ણય સત્ત્વર જાહેરાત કરવામાં આવશે.

Last Updated :Nov 16, 2022, 4:09 PM IST

ABOUT THE AUTHOR

...view details