ગુજરાત

gujarat

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા પહેલા કોંગ્રેસના દિગ્દગજ નેતાઓની યોજાઈ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ

By

Published : Dec 4, 2022, 10:34 AM IST

Updated : Dec 4, 2022, 10:54 AM IST

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો (Gujarat Assembly Elections 2022) બીજા તબક્કાને (Second phase voting) લઈને માત્ર થોડા કલાકો બાકી છે. ત્યારે તમામ રાજકીય પાર્ટીઓની નજર હવે ગુજરાતના વિધાનસભાના બીજા તબક્કા પર રહી છે. તમામ રાજકીય પાર્ટીઓના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ (Joint Press Conference of Congress Party) કરવામાં આવી હતી જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ (Senior Congress leaders) હાજરી આપી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા પહેલા કોંગ્રેસના દિગ્દગજ નેતાઓની યોજાઈ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા પહેલા કોંગ્રેસના દિગ્દગજ નેતાઓની યોજાઈ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ

અમદાવાદ :ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો (Gujarat Assembly Elections 2022) બીજા તબક્કાને (Second phase voting) લઈને માત્ર થોડા કલાકો બાકી છે. ત્યારે તમામ રાજકીય પાર્ટીઓની નજર હવે ગુજરાતના વિધાનસભાના બીજા તબક્કા પર રહી છે. તમામ રાજકીય પાર્ટીઓના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ (Joint Press Conference of Congress Party) કરવામાં આવી હતી જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ (Senior Congress leaders) હાજરી આપી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા પહેલા કોંગ્રેસના દિગ્દગજ નેતાઓની યોજાઈ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ શું કહ્યું :ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ (Gujarat Congress in charge Raghu Sharma) ણાવ્યું હતું કે, પ્રથમ ચરણનું મતદાન 89 બેઠક પર હતું તે પૂર્ણ થયું છે. અમારી પાર્ટીને જે ફીડ બેક મળ્યું જેથી કોંગ્રેસના ખૂબ સારા પરિણામ આવશે. 7 નેતાઓએ આ કેમ્પેઈનમાં ભાગ લીધો અને મલ્લિકારજુન ખડગે એ પણ સભાઓ ગજવી છે. રાહુલ ગાંધીએ દ્વારકા સહિત ગુજરાતમાં સભાઓ ગજવી છે.

26 લોકસભા બેઠકમાં સિનિયર નેતાઓએ પ્રચાર કર્યો :કોંગ્રેસે ઉદયપુરમાં નવસંકલ્પ શિબિરમાં (Navsankalp camp in Udaipur) મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દે કન્યાકુમારીથી લઇ કાશ્મીર સુધી ભારત જોડો યાત્રાની (Bharat Jodo Yatra) ચર્ચા થઈ હતી. યાત્રામાં લાખો લોકો જોડાઇ રહ્યા છે. જેથી ખ્યાલ આવે છે કે, લોકો ખૂબ હેરાન છે. ભરત જોડો યાત્રા સામાન્ય માણસ સુધી પહોંચી છે. કૉંગ્રેસે આ વખતે બુથ મેનેજમેન્ટમાં ધ્યાન આપ્યું છે. 182 વિધાનસભા સહિત 26 લોકસભા બેઠકમાં સિનિયર નેતાઓએ પ્રચાર કર્યો. સરકારની નિષ્ફળતાની સામે કોંગ્રેસે ખૂબ વિરોધ કર્યો છે. ભાજપની સ્થિતિ ખૂબ ખરાબ છે .ગુજરાત ગૌરવ યાત્રા ભાજપે નીકળી પણ યાત્રા નિષ્ફળ નીવડી હતી.

125 થી પણ વધુ બેઠકો સાથે અમે સરકાર બનાવીશું :કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે, બીજેપી પ્રથમ વાર કોઈ વ્યક્તિના નામે વોટ માંગવામાં નિષ્ફળ ગઈ છે. કોંગ્રેસ મુદ્દાઓને આધારિત ચૂંટણી લડવામાં સફળ થઈ છે. મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર સામે પ્રથમ ચરણનું મતદાન થયું છે. મહિલાઓ અને યુવાઓએ મોટી માત્રામાં વોટ કરી કોંગ્રેસને સપોર્ટ કર્યો છે. ભાજપના હાજા ગગડે તેવી અમારી મીટીંગો થઈ છે. પ્રધાનપ્રધાન રોડ શોથી શું મેસેજ આપવા માંગતા હતા.? કેશોદમાં પ્રધાનપ્રધાન પ્રચાર કરવા આવ્યા અને ઉમેદવારનું નામ જ ખોટું બોલ્યા હતા. 125 થી પણ વધુ બેઠકો સાથે અમે સરકાર બનાવીશું.

પાંચમી તારીખે જે મતદાન થશે તે જંગી મતદાન થશે :ભરતસિંહ સોલંકી જણાવ્યુ હતું કે, ગુજરાતની જનતાએ જોયું ભાજપ ગુજરાતમાંથી જાય છે. 150 બેઠકની વાત કરતી ભાજપનો એકડો નીકળી જશે. ઉત્તર ગુજરાતમાં, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં યાત્રામાં જવાનું થયું ત્યાં દેખાયું કે, ભાજપને જાકારો આપે છે. આવનારી પાંચમી તારીખે જે મતદાન થશે તે જંગી મતદાન થશે. અમે ગુજરાતના મતદારોને અપીલ કરીએ છીએ કે મતદાન કરવા જાઓ.

કોંગ્રેસ સરકાર બનશે :રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાએ (National Spokesperson Pawan Khera) જણાવ્યુ હતું કે, અમારી બેઠકમાં એક નિર્ણય લેવાયો છે. જેમાં કોંગ્રેસ સરકાર બનશે ત્યારે સ્ટેમ્પ ડ્યુટી નોટીફિકેશન રદ કરવામાં આવશે. ગુજરાતના લાખો પરિવારોને ફાયદો થશે. ગુજરાતમાં હજી વિધાનસભાની ચૂંટણીનો બીજો તબક્કો (Second phase voting) બાકી છે એ પહેલા જ પ્રથમ તબક્કામાંથી કોંગ્રેસે 65 થી વધુ સીટો સાથે તેઓ જિંદગી જીત મેળવશે તેવી આશા પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવે છે.

Last Updated :Dec 4, 2022, 10:54 AM IST

ABOUT THE AUTHOR

...view details