ગુજરાત

gujarat

'સરદાર સાહેબને કોંગ્રેસે ક્યારેય પોતાના ના ગણ્યા'; મોદી સોજીત્રા ખાતે કોંગ્રેસ પર વરસ્યા

By

Published : Dec 2, 2022, 5:42 PM IST

'સરદાર સાહેબને કોંગ્રેસે ક્યારેય પોતાના ના ગણ્યા'
gujarat-assembly-election-2022-prime-minister-narendra-modi-address-at-anand-sojitra ()

વડાપ્રધાને સોજીત્રામાં(pm modi public meeting in sojitra) કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું- 'આખી ચૂંટણીમાં મોદીને ગાળો દેવાની અને મતદાન આવે એટલે EVMને ગાળો દેવાની' વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિધાનસભા ચૂંટણીની (gujarat assembly election 2022) બીજા તબક્કાની બેઠકો (second phase of gujarat assembly election) સર કરવા માટે હાલ જોર શોરથી પ્રચાર કરી રહ્યા છે

સોજીત્રા(આણંદ):ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં(gujarat assembly election 2022) પ્રથમ તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે.રાજ્કીય પક્ષોની નજર હવે 5મી ડિસેમ્બરે યોજાનારા બીજા તબક્કાના મતદાન(second phase of gujarat assembly election) પર છે. બીજા તબક્કાની 93 બેઠક પર શનિવારે સાંજે 5 વાગ્યે પ્રચાર પડઘમ શાંત થઈ જશે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા સોજીત્રા ખાતે યોજાઈ (pm modi public meeting in sojitra) હતી. ત્યાં તેઓ કોંગ્રેસને આડે હાથે લીધી હતી.તેમને કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું કે 'કોંગ્રેસને સરદાર સાહેબ સાથે વાંધો અને દેશની એકતા (congres against the sardar patel and unity of india) સામે પણ વાંધો'

કોંગ્રેસ પર પ્રહાર:આણંદના સોજીત્રા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભા યોજી હતી. સંબોધનમાં તેમને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમને કહ્યું હતું કે કોંગ્રેસને હાર દેખાય એટલે પછી EVM પર ઠીકરું ફોડે છે. કોંગ્રેસ અત્યારથી EVMની વાતો કરે છે એટલે સ્પષ્ટ છે કે કોંગ્રેસ હાર નક્કી છે.તેમને વધુમાં જણવ્યું હતું કે કોંગ્રેસનાના બધા ખેલ આ દેશનો બચ્ચો બચ્ચો સમજી ગયો છે. કોંગ્રેસને સરદાર સાહેબ સાથે વાંધો અને દેશની એકતા સામે પણ વાંધોછે(congres against the sardar patel and unity of india). સરદાર સાહેબને કોંગ્રેસે ક્યારેય પોતાના ના ગણ્યા. ગુલામીની માનસિકતા કોંગ્રેસમાં ઘર કરી ગઈ છે. કોંગ્રેસની ગુલામીની માનસિકતા છે તે ક્યારેય દેશનું ગૌરવ, સન્માનની ચિંતા ન કરી શકે.

સરદાર સાહેબ સાથે અન્યાય: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભામાં સંબોધન વખતે જણાવ્યું કે કોંગ્રેસને સરદાર સાહેબ સાથે વાંધો અને દેશની એકતા સામે પણ વાંધો હતો. કારણ કે એનું આખું રાજકારણ ભાગલા પાડો અને રાજ કરોનું હતું(congres against the sardar patel and unity of india) અને સરદાર સાહેબનું એક કરોનું હતું...તો મેળ જ ન પડે ને. કોંગ્રેસના નેતાઓ તમારે ત્યાં વોટ માગવા આવે તો તેને સવાલ પૂછજો કે સરદાર વલ્લભભાઈ પટેલ કોંગ્રેસમાં હતા? સરદાર સાહેબનું સરદાર સરોવર ડેમ પર દુનિયાનું સૌથી મોટું સ્મારક બન્યું છે ત્યાં તમે ક્યારેય જઈ આવ્યા?

વડાપ્રધાન મોદીનો પ્રચંડ પ્રચાર:વડાપ્રધાને આજે બનાસકાંઠા અને પાટણમાં જાહેરસભાને સંબોધી હતી. ત્રીજી સભા આણંદના સોજીત્રામાં સભા સંબોધી હતી. વડાપ્રધાને સરદાર પટેલ અને ખંભાતમાં અવારનવાર થતા હુલ્લડોને લઈ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા.આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમદાવાદમાં 54 કિલોમીટરનો મેરેથોન રોડ શો ચાંદખેડા ખાતે કર્યો હતો. સાંજે 5.15 વાગ્યે નરોડા ગામથી શરૂ થયેલો આ મેગા રોડ શો રાતે 9 વાગ્યે ચાંદખેડા ચાર રસ્તા ખાતે પૂર્ણ થયો હતો. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની 13 વિધાનસભા અને ગાંધીનગરની એક વિધાનસભા મળી કુલ 14 વિધાનસભામાં ફરી પૂર્ણ થયો છે. આ રોડ-શોમાં છેકથી છેક સુધી રોડની બંને તરફ અમદાવાદીઓ ઉમટી પડ્યા હતા

ABOUT THE AUTHOR

...view details