ગુજરાત

gujarat

Ayodhya Ram Mandir: પોરબંદરમાં પ્રભુ શ્રી રામની ભવ્ય નગરયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા

By ETV Bharat Gujarati Team

Published : Jan 22, 2024, 5:04 PM IST

પોરબંદર: અયોધ્યા ખાતે ભવ્ય શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ચાલી રહી છે ત્યારે ઠેર ઠેર આ ઉજવણીનો ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. પોરબંદરમાં પણ રામભક્તો દ્વારા ભગવાન શ્રી રામચંદ્ર પ્રભુજીની નગર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાનની ભવ્ય નગર યાત્રા પોરબંદરમાં બપોરે ત્રણ કલાકે સિપલા ચોકથી ભાવના ડેરી ભાવના ડેરીથી અરિસ્ટોકીઝ અને હરિસ ટોકીઝથી ખાદી ભંડાર સુદામા ચોકથી લઈ માણેકચોક શાકમાર્કેટ અને માણેકચોક શાકમાર્કેટથી સ્વસ્તિક હોલ અને બંદર રોડ તથા ખારવા સમાજ મઢી ત્યાંથી લઈ શહીદ ચોક થઈ શ્રી રામજી મંદિર જાનકી મઠ ખાતે પૂર્ણ થઈ હતી. આ નગરયાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા અને ધાર્મિક સામાજિક અને રાજકીય આગેવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. સૌએ દર્શનનો લાભ લીધો હતો ડીજેના તાલે સૌ રામ ભક્તો જુમી ઉઠ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details