ગુજરાત

gujarat

પહેલાં હાથ કાપ્યા, પછી તલવારના ઘા ઝિંકી યુવકની કરી ક્રૂર હત્યા, સુરતમાં 15 દિવસમાં 10 હત્યાથી હાહાકાર - Murder in Surat

By ETV Bharat Gujarati Team

Published : Apr 11, 2024, 9:36 PM IST

સુરત : 15 દિવસમાં સુરત શહેરમાં 10 હત્યાના બનાવથી ચકચાર મચી જવા પામી છે. શહેરના ઉધના વિસ્તારમાં ધોળા દિવસે ફિલ્મી ઢબે સ્કોર્પિયો કારને જાહેર રસ્તા પર રોકીને ભજન નામના વ્યક્તિના તલવારથી હાથ કાપી ઉપરા-છાપરી ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે.

સુરતમા તલવારના ઘા ઝિંકી યુવકની કરી ક્રૂર હત્યા
સુરતમા તલવારના ઘા ઝિંકી યુવકની કરી ક્રૂર હત્યા

સુરતમા તલવારના ઘા ઝિંકી યુવકની કરી ક્રૂર હત્યા

સુરતઃશહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ કફોડી થવા લાગી હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. જે શહેરમાં પોતે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી રહેતા હોય એ જ શહેરમાં છેલ્લા 15 દિવસમાં 10 હત્યાના બનાવથી ચકચાર મચી જવા પામી છે. એક બાદ એક હત્યાના બનાવ થઈ રહ્યા છે અને સૌથી અગત્યની વાત કે છેલ્લા બે મહિનાથી સુરત શહેર ઇન્ચાર્જ પોલીસ કમિશનર પર ચાલી રહ્યુ છે. સુરતમાં પોલીસ કમિશનર નિયુક્ત કરાયા નથી. ધોળા દિવસે આશરે બપોરના અઢી વાગે સિલ્વર કલરની સ્કોર્પિયો કારમાં બેસીને 37 વર્ષીય ભજન સિંહ પોતાની બેનને મળવા જઈ રહ્યો હતો ત્યારે અચાનક જ તેની પાછળથી બોલેરો પીકઅપ વાને ટક્કર મારી હતી અને સ્કોર્પિયો કારને રોકી તેની અંદરથી નીકળી રહેલા ભજન સિંહ પર અચાનક જ હુમલો કર્યો હતો.

સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી

યુવકની સરાજાહેર ક્રૂર હત્યાઃ પીકઅપ વાનમાં આવનાર ત્રણ લોકોએ ભજન સિંહના સૌથી પહેલા તલવારથી હાથ કાપી નાખ્યા હતા. તેની આંગળીઓ પણ કાપી નાખી હતી. ત્રણે હુમલાખોરોએ એક બાદ એક તલવાર થકી ભજનલાલ હુમલો કર્યો હતો, પ્રતિકાર કરતા એક હુમલાખોર ઈજાગ્રસ્ત પણ થયો છે. હત્યા બાદ હુમલાખોરો નાસી ગયા હતા. આ હુમલામાં મૃત્યુ પામનાર 37 વર્ષીય ભજન ભેસ્તાન વિસ્તારમાં રહે છે અને સેન્ટિંગના ધંધા સાથે સંકળાયેલો હતો અને પોતાની માતા તેમજ પત્ની અને બે દીકરી અને એક દીકરા સાથે રહેતો હતો.

ભજનસિંહની હત્યાથી પરિવારમાં આક્રંદ

મૃતકના પરિવારનો આરોપઃ મૃતકના નાનાભાઈ અર્જુનસિંહે જણાવ્યું હતું કે, ભાવસિંગ નામના વ્યક્તિએ તેમના મોટાભાઈ ભજનલાલની હત્યા કરી છે. બલદેવસિંહ અને ભાવસિંહ બંને શખ્સ ગેંગ ચલાવે છે. અમને જાણ નથી કયા કારણોસર હત્યા કરવામાં આવી છે. અગાઉ તેમની સાથે થયેલા વિવાદમાં અમે સમાધાન કરી લીધું હતું. ઝઘડા બાદ અમે સમાધાન સમાજ સામે કર્યું હતું. અગાઉ અમે પાંડેસરા પોલીસ મથકમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ પણ કરી હતી.

પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરીઃ પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે એક મહિના પહેલા મહારાષ્ટ્રમાં તેના કેટલાક લોકો સાથે અનબનાવની ઘટના સામે આવી હતી. આ ઘટના બાદ સમાધાન પણ કરવામાં આવ્યું હતું પરંતુ આ જ લોકો દ્વારા ભજન સિંહની હત્યા કરવામાં આવી છે. આ સમગ્ર મામલે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, જૂની અદાવત રાખીને આ હત્યા કરવામાં આવી હોય તે જાણવા મળ્યું છે આરોપીઓની શોધ ખોળ પોલીસ કરી રહી છે.

  1. વૃદ્ધાના ગળામાંથી સોનાની માળાની ચીલઝડપ, જુઓ લૂંટના LIVE CCTV - chain snatching
  2. સુરતમાં યુવતીને લગ્નના સાત દિવસ બાદ ભગાવી લાવનાર યુવકે મામાની કરી હત્યા - surat crime

ABOUT THE AUTHOR

...view details