ગુજરાત

gujarat

Porbandar: મનસુખ માંડવિયા 8 માર્ચથી બે દિવસ પોરબંદર વિસ્તારની મુલાકાતે

By ETV Bharat Gujarati Team

Published : Mar 7, 2024, 9:51 AM IST

Updated : Mar 7, 2024, 10:38 AM IST

આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પોરબંદર લોકસભાની સીટ પરથી ઉમેદવાર તરીકે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાનું નામ જાહેર કરવામાં આવ્યું છ. આ નામ જાહેર થયા બાદ પ્રથમ વખત મનસુખ માંડવીયા આગામી 8 માર્ચે પોરબંદર પધારશે.

Porbandar:
Porbandar:

Porbandar:

પોરબંદર:આગામી લોકસભા ચૂંટણીને લઈને પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખ માંડવિયા 8 માર્ચથી બે દિવસ પોરબંદર વિસ્તારની મુલાકાતે છે. મનસુખ માંડવીયાનું ઠેર ઠેર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા વિશેષ સ્વાગત કરવામાં આવશે. મનસુખ માંડવીયાના આગમનનો કાર્યકર્તાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આ સમયે અર્જુન મોઢવાડિયા પણ સાથે જોડાય તેવી શક્યતાઓ પણ હાલ વર્તાઈ રહી છે. 300 બાઈક અને 100 કાર સાથે એરપોર્ટથી કીર્તિ મંદિર સુધી રેલીનું આયોજન પણ કરાયું છે.

પ્રવાસ કાર્યક્રમ 8 માર્ચ:

11 વાગે - પોરબંદર એરપોર્ટ ખાતે આગમન

11.10 થી 11.30 - એરપોર્ટથી કીર્તિમંદિર ખાતે રવાના 300 બાઈક અને 100 કાર સાથે કીર્તિમંદિરે પુષ્પાંજલિ કાર્યક્રમ

11.30 થી 12.15 - સુદામા મંદિર ખાતે દર્શન

12.30 થી 1.15 - તાજાવાલા હોલ ખાતે કાર્યકર્તા સાથે મુલાકાત

01.30 વાગે - રાણાવાવ ખાતે સ્વાગત

02.00 વાગે - કુતિયાણા ખાતે બાલા હનુમાન મંદિરે દર્શન

02.45 વાગે - પાજોદ

03.00 વાગે - બાટવા

03.30 વાગે - સ્વામીનારાયણ મંદિર દર્શન માણાવદર

04.30 વાગે - માલબાપા મંદિર માણેકવાડા

05.00 વાગે - કાર્યકર્તા સાથે મુલાકાત સાવજ ડેરી, ખોખરડા

05.30 વાગે - સરદાર ચોક, મેંદરડા

06.00 વાગે - ઉમાધામ મંદિર દર્શન, ગાઠીલા

07.30 વાગે - સ્વાગત બાપુના બાવલા ચોક, ઉપલેટા

08.30 વાગે - ગત ભૂલકા ગરબી કુંભારવાડા, ધોરાજી

09.15 વાગે - ભોજન તથા રાત્રી રોકાણ જેતપુર

પ્રવાસ કાર્યક્રમ 9 માર્ચ:

07.30 વાગે - વીરપુર દર્શન

08.00 થી 10.00 - પદયાત્રા વીરપુર થી ખોડલધામ

11.00 વાગે - રમાનાથધામ મંદિર ગૉડલ દર્શન

11.30 વાગે - રામજીમંદિર દર્શન ગોંડલ

12.00 વાગે - દાસીજીવણમંદિર દર્શન, ઘોઘાવદર (ગોંડલ)

12.30 વાગે - સ્વાગત ધારાસભ્યના નિવાસ સ્થાન, ગોંડલ

01.00 વાગે - ગોંડલ અક્ષર ડેરી(BAPS) - દર્શન અને ભોજન

  1. Bharat Jodo Nyaya Yatra: આજે દાહોદ પહોંચશે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા, ધાવડિયા ગામથી પ્રવેશ કરશે
  2. Bharat jodo nyay yatra: રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આજે પહોંચશે ગુજરાત, જાણો યાત્રાની સંપૂર્ણ વિગત...
Last Updated :Mar 7, 2024, 10:38 AM IST

ABOUT THE AUTHOR

...view details