ગુજરાત

gujarat

બીલીમોરાના ઉડાચ સહિત આસપાસના ગામોમાં ચૂંટણી બહિષ્કાર, "પુલ નહી તો મત નહી"ના બેનર્સ લાગ્યા - Loksabha Election 2024

By ETV Bharat Gujarati Team

Published : Apr 11, 2024, 8:11 PM IST

નવસારીના આંતલિયા ઉડાચ ગામને જોડતા પુલનું સમારકામ ન થતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગામના મતદારોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Loksabha Election 2024 Navsari Udach No Bridge No Vote BJP Naresh Patel MLA

"પુલ નહી તો મત નહી"ના બેનર્સ લાગ્યા
"પુલ નહી તો મત નહી"ના બેનર્સ લાગ્યા

"પુલ નહી તો મત નહી"ના બેનર્સ લાગ્યા

નવસારીઃ બીલીમોરામાં આંતલિયા ઉડાચને જોડતા પુલનું સમારકામ છેલ્લા 2 વર્ષથી ચાલી રહ્યું છે. ગોકળગતિએ ચાલતા આ સમારકામથી ગ્રામ્યજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઉડાચ અને તેની આસપાસના જેસિયા, વાઘલધરા, બળવાડા ગામના લોકોએ કર્યો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. ગ્રામ્યજનોએ "પુલ નહી તો મત નહી" સૂત્ર સાથેના બેનર્સ સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતું.

"પુલ નહી તો મત નહી"ના બેનર્સ લાગ્યા

પુલના અભાવે 20 કિમી લાંબો આંટોઃ આંતલિયા અને ઉડાચ વચ્ચેથી પસાર થતી કાવેરી નદી ઉપર વર્ષોની માંગ બાદ અંદાજે 8 કરોડના ખર્ચે પુલ બન્યો હતો. 2 વર્ષ અગાઉ કાવેરી નદીમાં આવેલા ઘોડાપુરમાં પુલના દક્ષિણ તરફના બે પીલર બેસી જતા પુલને તાત્કાલિક વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. 2 વર્ષ બાદ પણ પુલનું સમારકામ પૂર્ણ ન થતા ગ્રામજનોમાં રોષ વ્યાપી ગયો છે. ઉડાચ, જેસીયા, વાઘલધરા, વલવાડા સહિતના ગામોના વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને મુસાફરોને ચોમાસામાં 20 કિમી લાંબો આંટો ફરવો પડે છે. આજે રોષે ભરાયેલ ગ્રામજનોએ પુલના ઉત્તરી છેડે વિરોધ પ્રદર્શન કર્યુ હતું. "પુલ નહી તો મત નહી" સૂત્ર સાથેના બેનર્સ સાથે વિરોધ પ્રદર્શન કરાયું હતું.

બ્રિજ સમારકામની કામગીરી પૂરી કરવામાં ન આવે ત્યાં સુધી કોઈપણ પક્ષના આગેવાનોએ ગામમાં પ્રવેશ ન કરવો. ઉડાચ તેમજ આસપાસના ગામો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવે છે...મનોજ પટેલ(સ્થાનિક આગેવાન, ઉડાચ, બીલીમોરા)

રાજ્ય સરકારમાંથી સમારકામ માટે 4.54 કરોડ રૂપિયા મંજૂર થયા છે અને એન્જીનીયર તેમજ કોન્ટ્રકટર બંનેને પણ તૈયાર રાખ્યા છે. જેવો પોઝિટિવ રીપોર્ટ મળશે કે પુલનું સમારકામ 2થી 2.5 મહિનામાં પૂર્ણ કરીને લોકો માટે પુલ ખુલ્લો મુકવામાં આવશે. અમે દરેક સમસ્યાઓનું નિરાકરણ લાવી ચોમાસા પહેલા આ બ્રિજ કાર્યરત કરી દઈશું...નરેશ પટેલ(ધારાસભ્ય, ગણદેવી)

  1. કચ્છમાં ભાજપના ચૂંટણી પ્રચારના પ્રવાસ દરમિયાન, પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ નોંધાયો - Purushottam Rupala
  2. Election Boycott : પાટણમાં સાગોટાની શેરીના રહિશોએ કર્યો ચૂંટણી બહિષ્કાર, કારણ માત્ર એક અધૂરી માંગ...

ABOUT THE AUTHOR

...view details