ગુજરાત

gujarat

L K Adwani: રામ મંદિર માટે અડવાણીજીએ સોમનાથથી યાત્રા શરુ કરી હતીઃ વજુભાઈ વાળા

By ETV Bharat Gujarati Team

Published : Feb 3, 2024, 5:05 PM IST

દેશના પૂર્વ નાયબ વડા પ્રધાન લાલ કૃષ્ણ અડવાણીને ભારત રત્ન એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત પર અનેક દિગ્ગજ નેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે. જેમાં રાજ્યના પૂર્વ નાણાં પ્રધાન, કર્ણાટકના પૂર્વ ગવર્નર અને ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાએ પણ કેન્દ્ર સરકારના આ નિર્ણયને વધાવ્યો છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. L K Adwani Bharat Ratna Ram Mandir Yatra From Somnath Vajubhai Vala

રામ મંદિર માટે અડવાણીજીએ સોમનાથથી યાત્રા શરુ કરી હતી
રામ મંદિર માટે અડવાણીજીએ સોમનાથથી યાત્રા શરુ કરી હતી

અડવાણીજી નાયબ વડા પ્રધાન હતા ત્યારે પણ તેમણે સામાન્ય કાર્યકર્તાની જેમ જ કામ કર્યુ

રાજકોટઃ લાલ કૃષ્ણ અડવાણીની ભારત રત્ન માટે પસંદગી કરવામાં આવી છે. આ સમાચારને લઈને દિગ્ગજ નેતાઓ અને મહાનુભાવોના પ્રતિભાવો સામે આવી રહ્યા છે. પૂર્વ નાણાં પ્રધાન વજુભાઈ વાળાએ પણ પોતાની પ્રતિક્રિયા રજૂ કરી છે. એલ કે અડવાણીની ભારત રત્ન માટે થયેલ પસંદગીને તેમણે આવકારી છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને વજુભાઈએ વધાવ્યો છે.

સમગ્ર જીવન રાષ્ટ્રને અર્પિત કર્યુઃ વજુભાઈ વાળાએ જણાવ્યું હતું કે, લાલ કૃષ્ણ અડવાણી એ વ્યક્તિ છે જેમણે રાષ્ટ્રને માટે સમગ્ર જીવન ખર્ચી કાઢ્યું છે. ભારત દેશ માટે તેમજ તમામ ભારતીયો સુખી થાય તે માટેના પ્રયત્નો આખી જિંદગી લાલ કૃષ્ણ અડવાણીએ કર્યા છે. તેટલું જ નહિ પરંતુ ભારતની આન, બાન અને શાન વધે તેમજ ભારતીય સંસ્કૃતિના પુનરુત્થાન માટે તેઓ આજીવન પ્રયત્નશીલ રહ્યા છે. આમ લાલ કૃષ્ણ અડવાણીએ પોતાના જીવનની એક એક ક્ષણ-ક્ષણ અને એક એક કણ-કણએ રાષ્ટ્રને સમર્પિત કર્યો છે. આજે 96 વર્ષની વયે પણ તેઓ રાષ્ટ્ર માટે સક્રિય છે.

સોમનાથ મંદિરથી યાત્રાઃ વજુભાઈ વાળાએ સૌરાષ્ટ્રના ગૌરવને રજૂ કરતી બાબત જણાવી હતી. આજે રામ મંદિર દરેક ભારતીયના હૃદયમાં સ્થપાયું છે ત્યારે વજુભાઈએ રામ મંદિર માટે અડવાણીજીએ જે ભોગ આપ્યો તેની વાત કરી હતી. વજુભાઈએ જણાવ્યું કે રામ મંદિર માટે અડવાણીજીએ સોમનાથ મંદિરેથી યાત્રા કાઢી હતી. આ યાત્રા દરમિયાન ઘણી બધી સમસ્યાઓ પણ સર્જાઈ હતી. જો કે આ બધી સમસ્યાઓને પાર કરીને બાબરી મસ્જિદ તૂટી હતી. રામ મંદિર માટે કોઈની જમીન આપણે દબાવી નથી. સુપ્રીમ કોર્ટના નિર્ણયના આધારે જે જગ્યાએ જૂનું મંદિર હતું ત્યાં જ હાલ નવું મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. લાલ કૃષ્ણ અડવાણી આ દેશના નાયબ વડાપ્રધાન રહી ચૂક્યા છે ત્યારે તે સમયે પણ તેઓ સામાન્ય કાર્યકર્તાની જેમ જ કામ કરતા હતા.

લાલ કૃષ્ણ અડવાણીએ પોતાના જીવનની એક એક ક્ષણ-ક્ષણ અને એક એક કણ-કણએ રાષ્ટ્રને સમર્પિત કર્યો છે. રામ મંદિર માટે અડવાણીજીએ સોમનાથ મંદિરેથી યાત્રા કાઢી હતી. તેઓ દેશના નાયબ વડા પ્રધાન હતા ત્યારે પણ તેઓ સામાન્ય કાર્યકર્તાની જેમ જ કામ કરતા હતા...વજુભાઈ વાળા(પૂર્વ નાણાં પ્રધાન)

Bharat Ratna LK Advani : અડવાણીજીને ભારત રત્ન મળવો ખૂબ જ ખુશી અને ગૌરવની વાત-વિજય રૂપાણી

LK Advani Will Get Bharat Ratna: 'ભાજપ રત્ન' અડવાણીને મળશે 'ભારત રત્ન', PM મોદીએ આપી શુભેચ્છા

ABOUT THE AUTHOR

...view details