ગુજરાત

gujarat

Lok Sabha Seat Sharing : કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે દિલ્હીમાં લોકસભા ચૂંટણી માટે ગઠબંધન, સીટ વહેંચણી નક્કી

By ETV Bharat Gujarati Team

Published : Feb 22, 2024, 2:18 PM IST

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે દિલ્હીમાં લોકસભા ચૂંટણી માટે ગઠબંધનની ફોર્મ્યુલા નક્કી થઈ ગઈ છે. દિલ્હીમાં 4-3ની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે. આમ આદમી પાર્ટી 4 અને કોંગ્રેસ ત્રણ સીટો પર ચૂંટણી લડશે. હજુ તેની ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ બંને પક્ષના નેતાઓ આ ફોર્મ્યુલાને નકારવાનું ટાળી રહ્યા છે.

Lok Sabha Seat Sharing : કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે દિલ્હીમાં લોકસભા ચૂંટણી માટે ગઠબંધન, સીટ વહેંચણી નક્કી
Lok Sabha Seat Sharing : કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે દિલ્હીમાં લોકસભા ચૂંટણી માટે ગઠબંધન, સીટ વહેંચણી નક્કી

નવી દિલ્હી : આગામી લોકસભા ચૂંટણી માટે વિપક્ષી પાર્ટીઓના ગઠબંધનમાં સીટોની વહેંચણી અંગે ચર્ચા ચાલી રહી છે. હાલમાં જ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે આમ આદમી પાર્ટી પંજાબની તમામ સીટો પર એકલા હાથે ચૂંટણી લડશે અને દિલ્હીમાં પણ તૈયારીઓ પૂર્ણ કરી છે. પાર્ટીના મહાસચિવ અને સાંસદ સંદીપ પાઠકે પણ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ગઠબંધનના સિદ્ધાંતને અનુસરીને આમ આદમી પાર્ટી દિલ્હીમાં કોંગ્રેસને એક સીટ આપવા તૈયાર છે અને આમ આદમી પાર્ટી 6 સીટો પર ચૂંટણી લડશે.

ઔપચારિક જાહેરાત ટૂંક સમયમાં : આ તમામ નિવેદનો ઉપરાંત પુષ્ટિ થયેલ સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હીની સાત લોકસભા સીટો માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીટ વહેંચણીનો મામલો લગભગ નક્કી થઈ ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આમ આદમી પાર્ટી ચાર સીટો પર પોતાના ઉમેદવાર ઉતારશે જ્યારે કોંગ્રેસ દિલ્હીની ત્રણ સીટો પર પોતાના ઉમેદવારો ઉભા કરશે. હજુ તેની ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ બંને પક્ષના નેતાઓ આ ફોર્મ્યુલાને નકારવાનું ટાળી રહ્યા છે. ગુરુવારે, જ્યારે પાર્ટીના વરિષ્ઠ નેતા, દિલ્હી સરકારના મંત્રી, આતિશીને દિલ્હી વિધાનસભામાં આ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું, "સીટ વહેંચણી અંગે ઔપચારિક જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે, કૃપા કરીને રાહ જુઓ."

સીટોની વહેંચણી મહત્વનો મુદ્દો : લોકસભા ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા માટે સીટોની વહેંચણી એક મહત્વનો મુદ્દો છે, તેથી આ મુદ્દે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે અનેક રાઉન્ડની વાતચીત થઈ છે. આ પહેલાં આમ આદમી પાર્ટીએ ગુજરાત, ગોવા અને આસામની લોકસભા સીટો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા હતાં

લોકસભા ચૂંટણીનો પડકાર : તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી આમ આદમી પાર્ટી માટે ઘણી રીતે મહત્વપૂર્ણ છે. રાષ્ટ્રીય પક્ષ બન્યા પછી, આમ આદમી પાર્ટી તેના રાષ્ટ્રીય વિસ્તરણની શક્યતાઓ તલાશી રહી છે. તાજેતરમાં પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું પ્રદર્શન સારું રહ્યું ન હતું. તેથી હવે પક્ષ માટે લોકસભા ચૂંટણીમાં વાપસી કરવી પડકાર છે.

વધુ સારી તકો પર મંથન : દિલ્હી, પંજાબ, ગુજરાત, ગોવા અને હરિયાણામાં જ્યાં આમ આદમી પાર્ટીને લાગે છે કે વધુ સારી તકો છે ત્યાં આમ આદમી પાર્ટી લોકસભા ચૂંટણીમાં પોતાનું ખાતું ખોલીને પ્રભાવ બતાવવા માંગે છે. અગાઉ 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પોતાનું ખાતું ખોલાવી શકી ન હતી, બંને વખત પાર્ટીના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ હતી. દિલ્હીની તમામ સાત લોકસભા સીટો ભાજપના ખાતામાં ગઈ હતી. 7માંથી 5 સીટો પર પણ આમ આદમી પાર્ટી ત્રીજા ક્રમે રહી હતી અને તેને માત્ર 18.2 ટકા વોટ મળ્યા હતા. જ્યારે કોંગ્રેસને 22.6 ટકા અને ભાજપને 56.9 ટકા વોટ મળીને તમામ સાત બેઠકો પર મળ્યા હતાં.

  1. Lok Sabha Election 2024: AAP પંજાબની તમામ લોકસભા સીટો પર ચૂંટણી લડશે, અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી
  2. રાહુલ ગાંધીની યાત્રા પાર્ટ-2 બાદ કોંગ્રેસને ઓછામાં ઓછી 150 લોકસભા બેઠકો જીતવાની આશા

ABOUT THE AUTHOR

...view details