ગુજરાત

gujarat

રામલલાના દર્શન માટે 28 દેશમાંથી NRI રામ ભક્તો પહોંચશે અયોધ્યા, સરયુ ઘાટ પર વિશેષ આરતી - Ayodhya Ram Temple

By ETV Bharat Gujarati Team

Published : Apr 21, 2024, 2:43 PM IST

અયોધ્યા સ્થિત ભવ્ય રામ મંદિરમાં રામલલાના દર્શન કરવા માટે દેશના ખૂણે-ખૂણેથી ભક્તોનો પ્રવાહ અવિરત ચાલી રહ્યો છે. આ શ્રેણીમાં હવે વિદેશમાં વસતા ભારતીય રામ ભક્તો પણ રામલલાના દર્શન માટે પહોંચશે.

રામલલાના દર્શન માટે 28 દેશમાંથી NRI રામ ભક્તો પહોંચશે અયોધ્યા
રામલલાના દર્શન માટે 28 દેશમાંથી NRI રામ ભક્તો પહોંચશે અયોધ્યા

અયોધ્યા :દેશના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ભક્તો રામ મંદિરમાં રામલલાના દિવ્ય દર્શન કરી ચૂક્યા છે. દર્શનાર્થીઓનો પ્રવાહ અવિરત ચાલુ છે. જોકે વિદેશમાં રહેતા પ્રવાસી ભારતીયો પણ રામ લલ્લાના દર્શન કરવા આતુર છે. ત્યારે આજે 28 દેશોમાંથી 88 પ્રવાસી ભારતીયો રામ નગરીમાં પ્રભુ રામના દર્શન કરવા માટે પહોંચશે.

અયોધ્યામાં NRI દર્શનાર્થી :દિલ્હી સ્ટડી ગ્રુપના પ્રમુખ ડો. વિજય જોલીએ જણાવ્યું કે, રવિવારે આનંદ વિહાર રેલવે સ્ટેશનથી વંદે ભારત ટ્રેન દ્વારા રામલલાના દર્શન માટે 88 NRI સહિત 400થી વધુ શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચશે. સાંજે 6 કલાકે સરયુ ઘાટ ખાતે આરતીના કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યારબાદ હનુમાન ગઢી પર દર્શન માટે જશે.

ખાસ પરિચય બેઠક :જાનકી મહેલ સભાગૃહમાં NRI અને રામ ભક્તો સાથે પરિચય બેઠક યોજાશે. આ બેઠકમાં ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાય સહિતના અન્ય લોકો પણ ભાગ લેશે. આ યાત્રાના બીજા દિવસ 22 એપ્રિલે સવારે 7 વાગ્યે તેઓ ચંપત રાય, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંપર્ક વિભાગના વડા રામલાલ, VHP સંરક્ષક મંડળના સભ્ય દિનેશ ચંદના નેતૃત્વમાં રામલલાના દર્શન કરશે.

દર્શનાર્થી ધન્ય થયા : અધ્યક્ષે જણાવ્યું હતું કે, અયોધ્યા સ્થિત ભવ્ય રામ મંદિરમાં રામલલાના દર્શન કરવા માટે દેશના ખૂણે-ખૂણેથી ભક્તોનો પ્રવાહ અવિરત ચાલી રહ્યો છે. આ સંબંધમાં શનિવારે કેનેડાથી આવેલા NRI ડો.રાજેશ દ્વિવેદી, ડો.પ્રમોદ ગોપીનાથન, ડો.રામકૃષ્ણ બેથને રામ લલ્લાના દર્શન કર્યા હતા. તેમણે મંદિરની ભવ્યતા પર ભારે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે તે રામલલાને જોઈ શકશે. અમને ખૂબ જ સુંદર દર્શન થયા છે.

  1. પીએમ મોદી વારાણસી બેઠક પર ઉમેદવારી માટે જ્યોતિષીય આગાહી
  2. ભગવાન વિષ્ણુના 7મા અવતાર ભગવાન શ્રી રામની જન્મજયંતિ રામનવમી

ABOUT THE AUTHOR

...view details