પોરબંદરમાં વાતાવરણ ખરાબ હોવાને કારણે માછીમારોને સમુદ્રમાંથી પરત આવવા કોસ્ટ ગાર્ડ દ્વારા અપાઈ સુચના
પોરબંદર: ગુલાબ વાવાઝોડાના ખતરાને કારણે ગુજરાતમાં હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. મેરિટાઇમ બોર્ડ દ્વારા ત્રણ નમ્બરનું સિગ્નલ પોરબંદરના બંદર પર લગાવવામાં આવ્યું છે. કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોને સમુદ્રમાંથી કિનારે ફરવાં સૂચના આપાઈ રહી છે.