Restaurant at Ambaji Temple: કોરોનાના કારણે અંબાજી મંદિર તો બંધ છે પણ ભોજનાલય ચાલુ છે, માત્ર 16 રૂપિયામાં મળે છે ભોજન

By

Published : Jan 24, 2022, 10:48 AM IST

thumbnail

બનાસકાંઠામાં આવેલું શક્તિપીઠ અંબાજી મંદિર અત્યારે કોરોનાના કારણે શ્રદ્ધાળુઓ માટે (Due to Corona Ambaji temple is closed) બંધ છે. તેમ છતાં અહીં આવતા ભક્તો શક્તિદ્વારથી માતાજીના શિખર અને ધજાના દર્શન કરી સંતોષ માની રહ્યા છે. જોકે, મંદિર ભલે બંધ હોય, પરંતુ અંબાજી મંદિર ટ્ર્સ્ટે પોતાનું અંબિકા ભોજનાલય (Restaurant at Ambaji Temple) સરકારની કોરોના ગાઈડલાઈન મુજબ (Restaurant continues as per Corona guideline) ભક્તો માટે ચાલુ જ રાખ્યું છે. સૌથી સારી વાત એ છે કે, અહીં માત્ર 16 રૂપિયાના રાહત દરે ભક્તોને ભરપેટ ભોજન પિરસવામાં (Meals at a discounted rate at the Ambaji Trust Restaurant) આવે છે. અહીં આવતા ભક્તો પણ બહારથી મંદિરના દર્શન કરી ભોજનાલયમાં ભોજન વ્યવસ્થાનો લાભ લે છે. જ્યારે અહીં બાળકો માટે 11 રૂપિયાના રાહત દરે ભોજન અપાય છે. એટલે અહીં દરરોજ 1,000 જેટલા ભક્તો ભોજન જમે છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.